લોકસભામાંTMC સાંસદ કલ્યાણ બેનર્જીને અસંસદીય ટિપ્પણી કરવા બદલ બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરાયા
New Delhi, તા.૨૨
ટીએમસી નેતા કલ્યાણ બેનર્જી અને તેમના પૂર્વ પક્ષ સહયોગીઓ તથા એનસીપીઆઈ (TMC)ના કેટલાક સાંસદો વચ્ચે ગૃહમાં તીખી તકરાર થઈ છે. તૃણમૂલ કોંગ્રેસ TMCના સાંસદ કલ્યાણ બેનર્જીને ગૃહમાં મહિલા સભ્યો સાથે કથિત ગેરવર્તણૂક અને દુર્વ્યવહાર કરવા તથા તેમની સામે અસંસદીય ટિપ્પણીઓ કરવાના મામલે બુધવારે ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બેનર્જીએ કથિત રીતે ્TMCના એક બળવાખોર સાંસદને ચોર પણ કહ્યા હતા, જેનાથી વિપક્ષના વિરોધ વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ, લોકસભા ચેમ્બરની અંદર મુકાબલાની સ્થિતિ સર્જાઈ હતી.લોકસભાની કાર્યવાહી બે વાર સ્થગિત થયા બાદ, બપોરે ૨ વાગ્યે શરૂ થઈ, ત્યારે પીઠાસીન સભાપતિ કૃષ્ણ પ્રસાદ તેન્નેટીએ જણાવ્યું કે, આજે સાંસદ કલ્યાણ બેનર્જીએ કેટલીક મહિલા સભ્યો વિરુદ્ધ અસંસદીય ટિપ્પણીઓ કરી છે, જેની લેખિત ફરિયાદ સ્પીકર ઓમ બિરલાને મળી છે. તેમણે કહ્યું, ’આ ગૃહની ગરિમા વિરુદ્ધ છે. સાંસદનું આ વર્તન અત્યંત વાંધાજનક છે.’
સમગ્ર મામલાને લઈને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં પ્રસ્તાવ મૂક્યો કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જી, જેમણે મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂક અને દુર્વ્યવહાર કર્યો છે, તેમને હાલના સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. ગૃહે આ પ્રસ્તાવને ધ્વનિમતથી સ્વીકારી લીધો, ત્યારબાદ પીઠાસીન સભાપતિ તેન્નેટીએ બેનર્જીને સત્રના બાકીના સમયગાળા માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી, અને તેમને તાત્કાલિક ગૃહની બહાર જવાનો આદેશ આપ્યો.
આ પહેલાં પણ બેનર્જીની TMC સાંસદો એવા મિતાલી બાગ, શતાબ્દી રોય અને કાકોલી ઘોષ દસ્તીદાર સાથે તીખી તકરાર થઈ હતી. આ ત્રણેય પહેલાTMC સાથે જોડાયેલા હતા, પરંતુ બાદમાં પક્ષ છોડીને TMCમાં સામેલ થઈ ગયા હતા.TMC પ્રમુખ મમતા બેનર્જી પ્રત્યે વફાદાર રહ્યા હોય તેવા, બેનર્જીને ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ, સાંસદો સાથે ચર્ચા કરતા જોવામાં આવ્યા હતા. આ ટકરાવનું સાચું કારણ તરત જ જાણી શકાયું નહોતું. પરિસ્થિતિને શાંત કરવા માટે વિપક્ષના કેટલાક સાંસદોએ વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. જ્યારે કેટલાક સભ્યોએ બેનર્જીને પૂછ્યું કે, શું થયું હતું, તો તેઓ લોકસભા ચેમ્બર છોડીને ચાલ્યા ગયા હતા. આ ચર્ચા પછી, મિતાલી બાગ, કાકોલી ઘોષ દસ્તીદાર અને TMCના અન્ય સાંસદોએ આ મુદ્દો ઉઠાવવા માટે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે તેમના ચેમ્બરમાં મુલાકાત કરી હતી.

