આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના હાદાનગર દેસાઈનગર પેટ્રોપંપની પાછળ રહેતા અને આઇપીસીએલમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ મનીષભાઈ પરમાર અને મિત્ર જયદીપભાઇ પ્રહલાદભાઈ માંડલિયા (રહે.ભરતનગર સીતારામનગર) તથા મયુરભાઈ જીતેન્દ્રભાઈ ઝાલા (રહે.નંદનવન સોસાયટી, કાળીયાબીડ) તથા ધુ્રવભાઈ દિનેશભાઈ પરમાર (રહે.ચંદ્રહીલ સોસાયટી, લીલા સર્કલ) તથા ફેનીલભાઈ ભુપતભાઈ ચૌહાણ (રહે. ખેડુતવાસ ભાવનગર) સાથે કોબડી ગામે મહેશભાઈ ઘેવરીયાની વાડીએ ગઈ તા.૨૧ જૂન ૨૦૨૫ જમવાનુ આયોજન હોવાથી કાર લઈને ગયા હતા અને જમ્યા બાદ કાર નંબર જીજે-૦૪-બીઈ-૧૧૯૯માં જયદિપભાઈ, બ્રિજેશભાઈ, મયુરભાઈ પરત ભાવનગર આવતા હતા ત્યારે મામસા ઓવરબ્રીજ ઉતરતા ગંગામાની દેરીની પાસે ટ્રક નંબર જીજે-૦૪-એક્સ-૬૪૮૭ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી કાર સાથે અથડાવી દેતા કારમાં સવાર ત્રણેય મિત્રોને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જયદીપભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે બ્રિજેશભાઈએ ટ્રક ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- 4 જુલાઈનું રાશિફળ
- 4 જુલાઈનું પંચાંગ
- World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી
- હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3
- તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે
- Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે