આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના હાદાનગર દેસાઈનગર પેટ્રોપંપની પાછળ રહેતા અને આઇપીસીએલમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ મનીષભાઈ પરમાર અને મિત્ર જયદીપભાઇ પ્રહલાદભાઈ માંડલિયા (રહે.ભરતનગર સીતારામનગર) તથા મયુરભાઈ જીતેન્દ્રભાઈ ઝાલા (રહે.નંદનવન સોસાયટી, કાળીયાબીડ) તથા ધુ્રવભાઈ દિનેશભાઈ પરમાર (રહે.ચંદ્રહીલ સોસાયટી, લીલા સર્કલ) તથા ફેનીલભાઈ ભુપતભાઈ ચૌહાણ (રહે. ખેડુતવાસ ભાવનગર) સાથે કોબડી ગામે મહેશભાઈ ઘેવરીયાની વાડીએ ગઈ તા.૨૧ જૂન ૨૦૨૫ જમવાનુ આયોજન હોવાથી કાર લઈને ગયા હતા અને જમ્યા બાદ કાર નંબર જીજે-૦૪-બીઈ-૧૧૯૯માં જયદિપભાઈ, બ્રિજેશભાઈ, મયુરભાઈ પરત ભાવનગર આવતા હતા ત્યારે મામસા ઓવરબ્રીજ ઉતરતા ગંગામાની દેરીની પાસે ટ્રક નંબર જીજે-૦૪-એક્સ-૬૪૮૭ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી કાર સાથે અથડાવી દેતા કારમાં સવાર ત્રણેય મિત્રોને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જયદીપભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે બ્રિજેશભાઈએ ટ્રક ચાલક વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Trending
- ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
- Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
- જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
- 09 નવેમ્બર નું પંચાંગ
- 09 નવેમ્બર નું રાશિફળ
- Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
- Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
- રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું

