Morbi,તા.03
જીનપરામાં રહેતા ૫૪ વર્ષીય પૌઢને બીમારી હોય અને ઉલટી થતા તેમજ શ્વાસ ચડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું
વાંકાનેરના જીનપરા શેરી નં ૧૦ માં રહેતા વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા (ઉ.વ.૫૪) નામના પૌઢને બીપી અને ડાયાબીટીસની બીમારી હોય અને ગત તા. ૦૧ ના રોજ રાત્રીના ઉલટી ઉધરસ અને શ્વાસ ચડી જતા બેભાન થઇ ગયા હતા જેથી સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
વાંકાનેરમાં પાવડરના ઢગલામાં પડી જતા શ્વાસ રૂંધાઇ જતા માસૂમનું મોત
ઢુવા માટેલ રોડ પરની ફેકટરીમા શ્રમિકના ચાર વર્ષના પુત્ર પાવડરના ઢગલામાં પડી જતા શ્વાસ રૂંધાઇ જતા મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર સત્તાધાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મુકેશભાઈ માવીના ચાર વર્ષના પુત્ર યોગેશ રમતા રમતા અકસ્માતે પાવડરના ઢગલા (કુંડી) માં પડી જતા શ્વાસ રૂંધાઇ જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે