Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઓગસ્ટમાં UPI વ્યવહારો 20 અબજને વટાવી ગયા

    September 10, 2025

    Rohit Sharma ઓલટાઇમ ગ્રેટ નથી : માંજરેકરના વિવાદાસ્પદ વિધાન

    September 10, 2025

    ક્રોસ વોટીંગ છતાં પણ Radhakrishnan બે દશકામાં સૌથી ઓછા મતે જીત્યા

    September 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઓગસ્ટમાં UPI વ્યવહારો 20 અબજને વટાવી ગયા
    • Rohit Sharma ઓલટાઇમ ગ્રેટ નથી : માંજરેકરના વિવાદાસ્પદ વિધાન
    • ક્રોસ વોટીંગ છતાં પણ Radhakrishnan બે દશકામાં સૌથી ઓછા મતે જીત્યા
    • Nepal માં વિરોધ અને અંધાધૂંધી વચ્ચે મોલ અને દુકાનોમાં લૂંટફાટ
    • Bhupendra Patel સૌથી વધુ દિવસ સળંગ શાસન કરનારા પહેલા પાટીદાર મુખ્યમંત્રી બન્યા
    • કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે Junagadhમાં
    • Surendranagar: કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ શંખેશ્વર પોલીસે દંડ ફટકાર્યો!
    • Gujaratના18 પ્રવાસીકાઠમંડુ એરપોર્ટ પર શક્તિસિંહે સોશ્યલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»જામીન નિયમ, જેલ એ અપવાદ : હાલ આ નિયમ ભુલાઇ ગયો છે : Chief Justice Gavai
    રાષ્ટ્રીય

    જામીન નિયમ, જેલ એ અપવાદ : હાલ આ નિયમ ભુલાઇ ગયો છે : Chief Justice Gavai

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 8
    દેશમાં કેન્દ્રીય સહિતની એજન્સીઓ અને પોલીસ દ્વારા થઇ રહેલી ધરપકડો અંગે વધુ એક વખત નારાજગી વ્યકત કરતા સુપ્રીમ કોર્ટે કાનુન પાલન એજન્સીઓને યાદ અપાવી હતી કે જામીન એ નિયમ છે. જયારે જેલ એ અપવાદ હોવો જોઇએ. પરંતુ આપણી એજન્સીઓ આ વાત ભૂલી ગઇ છે.

    તેમણે ઉમેર્યુ કે દસકાઓથી ન્યાયિક પ્રક્રિયામાં પણ આ મુદ્દો બની રહ્યો છે પરંતુ હાલના સમયમાં તેનો પૂર્ણ રીતે અમલ થતો નથી. રવિવારે કોચીમાં જસ્ટીસ વી.આર.ક્રિષ્ના ઐય્યર મેમોરીયલ લો લેકચરમાં વકતવ્ય આપતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઇ તેમના પૂરોગામી માફક જણાવ્યું હતું કે અનેક કેસોમાં મે આ પ્રકારે જામીન આપીને આ સિધ્ધાંતનો અમલ કરવા માટે પ્રયત્ન કર્યો છે અને હાઇકોર્ટ તેમજ નીચલી અદાલતોમાં તે મુજબ આગળ વધે તે નિશ્ચિત કરવા પ્રયત્ન કર્યો છે.

    તેમણે ઉમેર્યુ કે ર0ર4માં જ આ પ્રકારના ન્યાયિક સિધ્ધાંતોનો અમલ કરવા માટે મને મનીષ સીસોદીયા, કવિતાના ઇડી અંગેના કેસમાં  મે તેનો અમલ કર્યો હતો. તેમણે જસ્ટીલ ઐય્યરને યાદ કરતા જણાવ્યું કે ખાસ કરીને દેશના ગરીબ તેમજ ન્યાયિક પ્રક્રિયાથી વંચિત રહેલા અંડર ટ્રાયલ (કાચા કામના કેદી) માટે ન્યાય મળે તે નિશ્ચિત કર્યુ હતું.

    2024માં સુપ્રીમ કોર્ટે આ પ્રકારે કાચા કામના કેદીઓ માટે અનેકવિધ આદેશો આપ્યા હતા જેમાં જેઓ લાંબા સમયથી ટ્રાયલની રાહ જોઇને જેલમાં સબડે છે અને પોતાને ખરેખર જે સજા થઇ શકે તેના કરતા અર્ધી કે વધુ સજા ભોગવી લીધી છે તેઓની તાત્કાલીક મુકિતના આદેશ આપ્યા હતા.

    એટલું જ નહીં પ્રિવેન્સન ઓફ મની લોન્ડરીંગ એકટ અને અનલોફુલ એકટીવીટી પ્રિવેન્સ એકટ હેઠળ જામીન માટે આકરી જોગવાઇ હોવા છતાં પણ અનેક આરોપીઓને જામીન અપાયા હતા. તેમણે એ યાદ અપાવ્યૂં કે જસ્ટીસ ઐય્યર અંડર ટ્રાયલ કેદીઓને લાંબો સમય ટ્રાયલ વગર જેલમાં રાખવાના સખ્ત વિરોધી હતા.

    ગત ઓગષ્ટમાં સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદા સમયે કાચા કામના કેદીને જેલ એ અંતિમ વિકલ્પ હોવો જોઇએ અને જામીન એ તેમના માટે પ્રથમ તક હોવી જોઇએ તે નિશ્ચિત કર્યુ હતું. અગાઉ પણ સુપ્રીમ કોર્ટે 7 વર્ષ કે તેથી ઓછી સજાવાળા ગુનામાં જો આરોપી કોઇ રીતે સામાજીક ખતરો ન હોય કે અન્ય શરતો મુજબ તેને જેલમાં રાખવો જરૂરી હોય તો જ તેને કારાવાસમાં રાખવા આદેશ આપ્યો હતો.

    સુપ્રીમ કોર્ટે અગાઉ પણ હાઇકોર્ટ સહિતના આદેશોને આ રીતે  ફેરવ્યા હતા. જસ્ટીલ ગવૈયે કહ્યું હતું કે જયારે જામીન આપવા એ નિયમ છે ત્યારે અદાલતોએ તેનો ઉપયોગ કરવામાં જરાપણ ખચકાટ રાખવો જોઇએ નહીં.

    આરોપી સામે ગંભીર અપરાધો હોય તો પણ જામીન માટે અદાલત કાનુન મુજબ જ જવું જોઇએ. જો ઇચ્છિત કેસોમાં જામીન નહીં અપાય તો બંધારણની કલમ ર1 મુજબ જે વ્યકિતગત સ્વતંત્રતાની ગેરેંટી આપવામાં આવી છે તેનો ભંગ ગણાશે.

    Chief Justice Gavai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઓગસ્ટમાં UPI વ્યવહારો 20 અબજને વટાવી ગયા

    September 10, 2025
    રાષ્ટ્રીય

    ક્રોસ વોટીંગ છતાં પણ Radhakrishnan બે દશકામાં સૌથી ઓછા મતે જીત્યા

    September 10, 2025
    રાષ્ટ્રીય

    GST ભાવઘટાડા પર ખુદ નાણામંત્રી નજર રાખશે : દર મહિને રિપોર્ટ

    September 10, 2025
    રાષ્ટ્રીય

    નવી થાર ખરીદ્યા બાદ મહિલા દ્વારા લીંબુ પરથી ચલાવવા જતા પહેલા માળેથી નીચે પટકાઈ

    September 10, 2025
    રાષ્ટ્રીય

    ટેરીફ મુદ્દે વાતચીત માટે ટ્રમ્પ તૈયાર : PM મોદીએ કહ્યું હું પણ ઉત્સુક

    September 10, 2025
    લેખ

    AIIMS નવી દિલ્હીમાં બ્રેઈન બાયો બેન્કની શરૂઆત કરાઈ

    September 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઓગસ્ટમાં UPI વ્યવહારો 20 અબજને વટાવી ગયા

    September 10, 2025

    Rohit Sharma ઓલટાઇમ ગ્રેટ નથી : માંજરેકરના વિવાદાસ્પદ વિધાન

    September 10, 2025

    ક્રોસ વોટીંગ છતાં પણ Radhakrishnan બે દશકામાં સૌથી ઓછા મતે જીત્યા

    September 10, 2025

    Nepal માં વિરોધ અને અંધાધૂંધી વચ્ચે મોલ અને દુકાનોમાં લૂંટફાટ

    September 10, 2025

    Bhupendra Patel સૌથી વધુ દિવસ સળંગ શાસન કરનારા પહેલા પાટીદાર મુખ્યમંત્રી બન્યા

    September 10, 2025

    કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે Junagadhમાં

    September 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઓગસ્ટમાં UPI વ્યવહારો 20 અબજને વટાવી ગયા

    September 10, 2025

    Rohit Sharma ઓલટાઇમ ગ્રેટ નથી : માંજરેકરના વિવાદાસ્પદ વિધાન

    September 10, 2025

    ક્રોસ વોટીંગ છતાં પણ Radhakrishnan બે દશકામાં સૌથી ઓછા મતે જીત્યા

    September 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.