ભાવનગર જિલ્લામાં શાકભાજીનું ઉત્પાદન નહિંવત હોવાથી દૈનિક માંગને લઈ મોટાભાગના લીલા શાકભાજી સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય પ્રાંતોમાંથી ભાવનગર આવી રહ્યા છે. જો કે, શહેર જિલ્લામાં પડી રહેલાં વરસાદના કારણે આ આવકમાં ઘટાડો થતાં માંગ સામે પુરવઠો ખોરવાયો છે જેના કારણે લીલી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ પણ અધુરૂં હોય તેમ સ્થાનિક કક્ષાએ ઉતાપાદિત થતાં શાકભાજી વરસાદમાં પળળી જવાના કારણે તેમાં બગાડની ટકાવારી વધતાં રોજિંદા વપરાશ સામે વ્યાપક પ્રમાણમાં ઘટ ઉભી થતા લીલી શાકભાજીના ભાવ રોકેટ ગતિએ આસમાને આંબ્યા છે. જેમાં મુખ્યત્વે ચોળી, કંટોળા, ગુવાર, રીંગણા, ટમેટા, દુધી, કોબીઝ અને ફલાવર સહિતના શાકભાજીના ભાવમાં સરેરાશ રૂા.૪૦થી રૂા.૭૦ સુધીનો જયારે તુરીયા, કારેલા, પરવળ, ટીંડોરા સહિતના શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂા રૂા.૩૦ સુધીનો વધારો થયો છે.જેના કારણે ગૃહિણીઓનેના છુટકે મોંઘા શાકભાજી ખરીદવાની નોબત આવતાં તેની કિચન બજેટ પર અસર થઈ રહી છે.
Trending
- 12 જુલાઈ નું રાશિફળ
- 12 જુલાઈ નું પંચાંગ
- Gujarat government વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક ૪ ટકાના વ્યાજે રૂ. ૧૫ લાખની લોન આપશે
- Amarnath Yatra પર સંકટ, પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ
- Nepal માં ઉડાન ભરેલું ડ્રોન બનાવ્યું, પરીક્ષણ દરમિયાન સંસદ ભવન પર પડ્યું, ૫ની ધરપકડ
- અમેરિકાના મૃત્યુના નારા લગાવે છે, પરંતુ ઇઝરાયલ તેના માર્ગમાં અડચણરૂપ છેઃ Netanyahu
- આ વર્ષે બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરવું ચુંટણીને કારણે મુશ્કેલ બની શકે છે
- દિલ્હી હાઈકોર્ટે film ‘Udaipur Files પર રોક લગાવી, નિર્માતા અમિત જાની સુપ્રીમ કોર્ટ જશે