ભાવનગર જિલ્લામાં શાકભાજીનું ઉત્પાદન નહિંવત હોવાથી દૈનિક માંગને લઈ મોટાભાગના લીલા શાકભાજી સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય પ્રાંતોમાંથી ભાવનગર આવી રહ્યા છે. જો કે, શહેર જિલ્લામાં પડી રહેલાં વરસાદના કારણે આ આવકમાં ઘટાડો થતાં માંગ સામે પુરવઠો ખોરવાયો છે જેના કારણે લીલી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ પણ અધુરૂં હોય તેમ સ્થાનિક કક્ષાએ ઉતાપાદિત થતાં શાકભાજી વરસાદમાં પળળી જવાના કારણે તેમાં બગાડની ટકાવારી વધતાં રોજિંદા વપરાશ સામે વ્યાપક પ્રમાણમાં ઘટ ઉભી થતા લીલી શાકભાજીના ભાવ રોકેટ ગતિએ આસમાને આંબ્યા છે. જેમાં મુખ્યત્વે ચોળી, કંટોળા, ગુવાર, રીંગણા, ટમેટા, દુધી, કોબીઝ અને ફલાવર સહિતના શાકભાજીના ભાવમાં સરેરાશ રૂા.૪૦થી રૂા.૭૦ સુધીનો જયારે તુરીયા, કારેલા, પરવળ, ટીંડોરા સહિતના શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂા રૂા.૩૦ સુધીનો વધારો થયો છે.જેના કારણે ગૃહિણીઓનેના છુટકે મોંઘા શાકભાજી ખરીદવાની નોબત આવતાં તેની કિચન બજેટ પર અસર થઈ રહી છે.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

