ભાવનગર જિલ્લામાં શાકભાજીનું ઉત્પાદન નહિંવત હોવાથી દૈનિક માંગને લઈ મોટાભાગના લીલા શાકભાજી સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય પ્રાંતોમાંથી ભાવનગર આવી રહ્યા છે. જો કે, શહેર જિલ્લામાં પડી રહેલાં વરસાદના કારણે આ આવકમાં ઘટાડો થતાં માંગ સામે પુરવઠો ખોરવાયો છે જેના કારણે લીલી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ પણ અધુરૂં હોય તેમ સ્થાનિક કક્ષાએ ઉતાપાદિત થતાં શાકભાજી વરસાદમાં પળળી જવાના કારણે તેમાં બગાડની ટકાવારી વધતાં રોજિંદા વપરાશ સામે વ્યાપક પ્રમાણમાં ઘટ ઉભી થતા લીલી શાકભાજીના ભાવ રોકેટ ગતિએ આસમાને આંબ્યા છે. જેમાં મુખ્યત્વે ચોળી, કંટોળા, ગુવાર, રીંગણા, ટમેટા, દુધી, કોબીઝ અને ફલાવર સહિતના શાકભાજીના ભાવમાં સરેરાશ રૂા.૪૦થી રૂા.૭૦ સુધીનો જયારે તુરીયા, કારેલા, પરવળ, ટીંડોરા સહિતના શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂા રૂા.૩૦ સુધીનો વધારો થયો છે.જેના કારણે ગૃહિણીઓનેના છુટકે મોંઘા શાકભાજી ખરીદવાની નોબત આવતાં તેની કિચન બજેટ પર અસર થઈ રહી છે.
Trending
- Junagadh જિલ્લામાં ૯૯૯ આરોગ્ય કેમ્પ યોજાયા : ૩૬૧૮૪ લાભાર્થીઓએ લાભ લીધો
- H-1B મુદ્દે ઘમાસાણ વચ્ચે ચીને ધડાધડ લોન્ચ કર્યા નવા K વિઝા
- Pakistani Army એ પોતાના દેશમાં જ કરી એરસ્ટ્રાઇક
- Ahmedabad plane crash માં તપાસની નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર
- Congress ફરી જાહેર કર્યો PM મોદીનો AI વીડિયો
- જરૂર પડશે તો ઓપરેશન સિંદુર પાર્ટ ૨ અને ૩ ફરી શરૂ કરીશું: Rajnath Singh
- નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે, અને ભક્તોને વિવિધ આશીર્વાદ મળે છે
- US advises Pakistan ને તેના સંરક્ષણ બજેટને પારદર્શક બનાવવાની સલાહ આપી