Rajkot,તા.11
નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા આગામી તા.13ને રવિવારે સવારના 8 થી બપોરના 1 કલાક સુધી બાલભવન ઓપન એર થિયેટર, રેસકોર્ષ રાજકોટ ખાતે રાહત દરે ફુલછોડ, ફળોના રોપાઓ તેમજ શાકભાજી બિયારણનાં પેકેટોનું રાહત દરે વેચાણ કરવામાં આવશે.
નવરંગ નેચર કલબ દ્વારા રવિવારે કાશ્મીરી અને ઈગ્લીશ ગુલાબનાં રોપાઓ, મોગરો, મયુર પંખ, રાતમણી ક્રીશ્મસ ટ્રી, એકર ઝોરા, કોટાન વિવિધ જાતના ફુલછોડ રોપાઓ ઘર આંગણે વાવવા લાયક રીંગણી, મરચી, ટમેટીના રોપા અને શાકભાજીના 16 જાતના નાના બિયારણના પેકેટ રૂ।.5 લેખે વિતરણ કરાશે બરબોડી (ડોડી)ના રોપા રૂ।.30 અને ટીસ્યુ કેળાના રોપા રૂ।.30 લેખે વિતરણ કરાશે તેમ કલબના વી.ડી.બાલા (મો.81606 39735)ની યાદીમાં જણાવાયું છે.