Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mangrol નજીક બસ, ટ્રક , બોલેરો વચ્ચે અકસ્માત: સદનસીબે જાનહાની અટકી

    July 14, 2025

    Botad: રાણપુર નજીક ધસમસતા પુરમાં કાર તણાઈ, સ્વામી, બે હરિભક્તોના મોત

    July 14, 2025

    Jasdan ના નાની લાખાવડગામે પતિની હત્યામા મહિલાના જામીન રદ

    July 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mangrol નજીક બસ, ટ્રક , બોલેરો વચ્ચે અકસ્માત: સદનસીબે જાનહાની અટકી
    • Botad: રાણપુર નજીક ધસમસતા પુરમાં કાર તણાઈ, સ્વામી, બે હરિભક્તોના મોત
    • Jasdan ના નાની લાખાવડગામે પતિની હત્યામા મહિલાના જામીન રદ
    • 15 જુલાઈનું રાશિફળ
    • 15 જુલાઈનું પંચાંગ
    • Nimuben Bambhania ના હસ્તે તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ કરાયું
    • Robert Vadra ઈડી સમક્ષ હાજર થયા; સંજય ભંડારી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ
    • Himachal માં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં ૯૮ લોકોના મોત થયા છે, રાજ્યમાં ૨૦૯ રસ્તા બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Nimuben Bambhania ના હસ્તે તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ કરાયું
    સૌરાષ્ટ્ર

    Nimuben Bambhania ના હસ્તે તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ કરાયું

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે

    Bhavnagar,તા.૧૪

    ભાવનગર જિલ્લામાં “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો સર ટી. હોસ્પિટલ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રારંભ કરાવ્યા બાદ, જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ક્રમમાં ૧૨મા દિવસે ઘોઘા તાલુકામાં વયોશ્રી યોજના મૂલ્યાંકન પ્રક્રિયા અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી, સંગઠનના હોદ્દેદારો, સરપંચ સહિતના લોકો પણ જોડાયા હતા. આ ઉપરાંત તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ પણ કરાયું હતું.

    ભારત સરકાર દેશના જરૂરિયાતમંદ લાભાર્થીઓ, વયોવૃદ્ધો અને દિવ્યાંગોની મદદ માટે તત્પર છે અને વિવિધ યોજનાઓ થકી તેમને મદદ પહોંચાડી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વયોવૃદ્ધો અને દિવ્યાંગો માટે એએસઆઇએમસીઓના સહયોગથી ૧૫ જેટલા અલગ અલગ સાધનોની સહાય કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેને ચાલવા માટે લાકડી, વ્હીલ ચેર, વોકર, કાનનું મશીન, ઘૂંટણ અને કમરના બેલ્ટ, કૃત્રિમ દાંત સહિતના ૧૫ જેટલા સાધનો મૂલ્યાંકન બાદ આપવામાં આવનાર છે. જેની જરૂરી ડોક્યુમેન્ટ્‌સ સાથેની નોંધણી પ્રક્રિયા ઘોઘા સી.એચ.સી. ખાતે આજથી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે જરૂરિયાતમંદ વૃદ્ધોને પેન્શન અને આયુષ્યમાન કાર્ડ અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમોનુસાર લાભાર્થીઓને સાધનોની ફાળવણી કરવામાં આવશે.

    ૧૨ દિવસમાં અત્યાર સુધીમાં જિલ્લાભરમાં ૬,૦૯૯ લાભાર્થીઓ, જેમાં ૩,૧૫૨ પુરુષ અને ૨,૯૪૭ મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને રૂ. ૫,૮૨,૯૭,૪૦૧ની કિંમતના અલગ અલગ જરૂરિયાત મુજબના સાધનો આગામી સમયમાં આપવામાં આવશે.

    આ ઉપરાંત, તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ખાતે નવનિર્મિત અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ માત્ર ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં આધુનિક સુવિધાયુક્ત ભવન તૈયાર કરવા બદલ શાળાના આચાર્ય ડો. પ્રકાશભાઈ રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા.

    નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે, જેમાં શિક્ષણને અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે. વધુમાં, તેમણે દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે દીકરીઓ જ્યારે ભણે છે ત્યારે સમગ્ર પરિવારને આગળ લઈ જાય છે. દરેક ક્ષેત્રે દીકરીઓનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે, અને નવા પરિવર્તન સાથે દીકરીઓ શિક્ષિત થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે દીકરીઓ કોલેજ સુધી ભણી શકે તે માટે અનેક સરકારી યોજનાઓ કાર્યરત છે.

    સરકાર દ્વારા ૨.૫૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ અદ્યતન શાળા ભવનમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં શાળાની ભૌતિક સુવિધાની વાત કરીએ તો શાળામાં ત્રણ ક્લાસરૂમ, રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા, ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા, જીવ વિજ્ઞાનની પ્રયોગશાળા તથા વિદ્યાર્થીઓને વાંચન માટે પુસ્તકાલય, હાલના ટેકનોલોજીના સમયમાં તળાજાના આ વિદ્યાર્થીઓ પણ પાછળ રહી ન જાય તે માટે ૧૫ અદ્યતન કોમ્પ્યુટર ધરાવતી કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે. વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ લગાડવામાં આવ્યા છે. એક વિશાળ કહી શકાય તેવો પ્રાર્થનાખંડ છે તથા શાળાના બંને માળે વિદ્યાર્થીઓ માટે પાણી પીવા માટે ર્ઇં અને વોટર કુલર મૂકવામાં આવ્યા છે તથા ભાઈઓ અને બહેનો માટેના વોશરૂમ બનાવવામાં આવ્યા છે. શાળા તળાજા શહેરની મધ્યમાં ૧૦,૦૦૦ ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં આવેલી છે. અદ્યતન ભવન ઉપરાંત શાળામાં વિશાળ રમતનું મેદાન પણ બનાવવામાં આવ્યું છે.

    શાળાના આચાર્ય ડો. પ્રકાશભાઈ રાઠોડને સપ્ટેમ્બર ૨૦૨૨માં સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં આ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ દ્ગઈઈ્‌ પરીક્ષામાં સારો સ્કોર કરીને એમબીબીએસમાં અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત, શાળાના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં એન્જિનિયર, પોલીસ, ફોરેસ્ટ અને આર્મી જેવા વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવી રહ્યા છે.

    Bhavnagar Nimuben Bambhania state-of-the-art education hall
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Mangrol નજીક બસ, ટ્રક , બોલેરો વચ્ચે અકસ્માત: સદનસીબે જાનહાની અટકી

    July 14, 2025
    સૌરાષ્ટ્ર

    Botad: રાણપુર નજીક ધસમસતા પુરમાં કાર તણાઈ, સ્વામી, બે હરિભક્તોના મોત

    July 14, 2025
    સૌરાષ્ટ્ર

    Jasdan ના નાની લાખાવડગામે પતિની હત્યામા મહિલાના જામીન રદ

    July 14, 2025
    સૌરાષ્ટ્ર

    Savarkundla માં યુરિયા ખાતર મુદ્દે 70 ગામના ખેડૂતોનો ઉગ્ર દેખાવ

    July 14, 2025
    સૌરાષ્ટ્ર

    Porbandar: દ્વારકા દર્શને જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત,એકનું મોત, 17ને ઈજા

    July 14, 2025
    સૌરાષ્ટ્ર

    Botad માં મોટી દુર્ઘટના, કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ

    July 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mangrol નજીક બસ, ટ્રક , બોલેરો વચ્ચે અકસ્માત: સદનસીબે જાનહાની અટકી

    July 14, 2025

    Botad: રાણપુર નજીક ધસમસતા પુરમાં કાર તણાઈ, સ્વામી, બે હરિભક્તોના મોત

    July 14, 2025

    Jasdan ના નાની લાખાવડગામે પતિની હત્યામા મહિલાના જામીન રદ

    July 14, 2025

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2025

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2025

    Robert Vadra ઈડી સમક્ષ હાજર થયા; સંજય ભંડારી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ

    July 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mangrol નજીક બસ, ટ્રક , બોલેરો વચ્ચે અકસ્માત: સદનસીબે જાનહાની અટકી

    July 14, 2025

    Botad: રાણપુર નજીક ધસમસતા પુરમાં કાર તણાઈ, સ્વામી, બે હરિભક્તોના મોત

    July 14, 2025

    Jasdan ના નાની લાખાવડગામે પતિની હત્યામા મહિલાના જામીન રદ

    July 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.