રાહુલ ગાંધીએ કહ્યું કે, વિરોધ પ્રદર્શનોમાં કોઈ ગુસ્સો કે દ્વેષ નહોતો : દેશના યુવાનોનું સન્માન કરવું જોઈએ
New Delhi, તા.૨૯
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પેપર લીક વિરોધી બિલ પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય રસ્તા પર ઉતરી ગયું છે. ભાજપના આપણા મિત્રોએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે શું ખોટું થયું છે. ભાજપના નેતાઓના બાળકો પણ આંદોલન સાથે સહમત થશે. રાહુલ ગાંધીએ કહ્યું પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો. લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વિરોધ પ્રદર્શનોમાં કોઈ ગુસ્સો કે દ્વેષ નહોતો. દેશના યુવાનોનું સન્માન કરવું જોઈએ. વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેઓ આપણા દેશનું ભવિષ્ય છે. દેશ વિદ્યાર્થીઓની લાગણીઓ સમજે છે. યુવાનોનો ગુસ્સો યોગ્ય છે. દરેક ભારતીયને વિદ્યાર્થીઓ પર ગર્વ છે. વિદ્યાર્થીઓ સમજે છે કે દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે. યુવાનો હંમેશા સત્યની પાછળ દોડે છે.
લોકસભામાં મંગળવારે એન્ટી પેપરલીક બિલ પર ચર્ચાની શરૂઆત થઈ હતી. આ બિલની આજે પણ સંસદમાં ચર્ચા ચાલુ હતી. લોકસભામાં બુધવારે કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના સભ્યોએ હંગામો શરૂ કર્યો. હંગામાના કારણે સદનની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત પણ કરાઈ હતી. ત્યારબાદ ફરીથી ચર્ચા શરૂ થઈ. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ એન્ટી પેપરલીક બિલ પર બોલ્યા. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય રસ્તાઓ પર ઉતર્યું. ભાજપમાં જે પણ લોકો છે, અમારા તે મિત્રોએ જઈને પોતાના બાળકોને પૂછવું જોઈએ કે શું ખોટું થયું. આંદોલનથી ભાજપ નેતાના બાળકો પણ સહમત હશે. લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ખુબ ઉત્સાહિત હતો અને મને ભરોસો થયો કે દેશનું ભવિષ્ય આપણા રસ્તાઓ પર શું કરી રહ્યું છે. આ ગુસ્સો, હિંસા કે નફરત નહતી. આ દેશના યુવાઓ અને આવનારી પેઢીની ગાઢ ભાવના હતી અને મને લાગે છે કે તમામ રાજકીય પક્ષોએ, જેમાં ભાજપના મારા મિત્રો પણ સામેલ છે, તે ભાવનાનું સન્માન કરવું જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જો ભાજપના મારા મિત્રો પોતાના બાળકોને જઈને પૂછે કે તેમના ભાઈ બહેન જે કરી રહ્યા છે, તેમના વિશે તેઓ શું વિચારે છે, તો તેમને તેમના બાળકોનું પણ સમર્થન જ મળશે. જે થયું તેમાં કશું પણ ખોટું નથી અને દરેક ભારતીયને તેના પર ગર્વ હોવો જોઈએ.
વિપક્ષના નેતાએ કહ્યું કે, યુવાઓને તમે ઈડિયટ કહો છો, વિદ્યાર્થીઓ પર દરેક ભારતીયને ગર્વ છે. વિદ્યાર્થીઓ સમજી રહ્યા છે કે દુનિયા કઈ રીતે બદલાઈ રહી છે. યુવાઓ સચ્ચાઈ પાછળ દોડે છે. તેમના માટે સચ્ચાઈ મીઠી હોય છે. યુવાઓ ખુલ્લા દિલ, ખુલ્લા વિચારોના છે. જેને શીખવાની ધગશ છે તે જ વિદ્યાર્થી છે.
તેમણે કહ્યું કે મે વિચાર્યું કે ઈડિયટ પણ છે, વિદ્યાર્થી પણ છે. તેમને પૂછ્યું કે આ ત્રીજી કેટેગરી ક્યાં જાય છે- અંધ ભક્ત? આ ત્રણ કેટેગરી છે. વિદ્યાર્થીઓ જે છે તે શિક્ષણની સિસ્ટમની વાત કરે છે. વિદ્યાર્થીઓ આઠ-૧૦ કલાક ભણે છે. એજ્યુકેશન મોંઘુ છે. વર્ષો ભણે છે. જેના પર ટ્રેઝરી બેન્ચથી સભ્યોએ જોરદાર હોબાળો કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ સજાગ છે. સચ્ચાઈ જાણે છે. એક પરીક્ષા પર શિક્ષણના બજેટથી વધુ ખર્ચ થાય છે. અંધભક્ત મૂરખને ભગવાન ગણે છે.

