સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચીન રાજકુમાર શર્મા તથા તેમની ટીમ આજે વહેલી સવારે ૪ કલાકના અરસમાં બાતમીના આધારે અમદાવાદથી ભાવનગર તરફ આવી રહેલી દારૂ ભરેલી કારનો પીછો કરી રહ્યાં હતા. આ દરમિયાન અચાનક કારે અમદાવાદ તરફ યુ-ટર્ન લઈ લેતા એસએમસીની ટીમે તેમનો પીછો શરૂ રાખ્યો હતો. આ દરમિયાન માઢીયા પાસે કાર અચાનક બંધ થતાં કારમાં સવાર બે શખ્સો એસએમસીની ટીમને જોઈને નાસી છૂટયા હતા. પરંતુ એસએમસીની ટીમે બન્ને શખ્સોનો પીછો કર્યો હતો. જેમાં અશોક બિશ્નોઈ નામના શખ્સને એસએમસીએ ઝડપી લીધો હતો અને કારમાં રાખેલો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ દરમિયાન રેઈડિંગ ટીમના પીએસઆઈ સચીન શર્માને અચાનક છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. જેથી દારૂ અને આરોપીને વેળાવદર ભાલ પોલીસ મથકમાં મુકી પીએસઆઈને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન સવારે ૭.૦૫ કલાકના અરસામાં મોત થયું હતું. જ્યારે પીએમ બાદ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે હરિયાણા રવાના કરાયો હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે હોસ્પિટલમાં પીએસઆઈનું બ્લડપ્રેશર ચેક થઈ રહ્યું હતું ત્યાં અચાનક તેમને હાર્ટએટેક આવી ગયો હતો. બનાવ અંગે શહેરના નિલમબાગ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ થઈ છે. જ્યારે ઝડપાયેલા દારૂના જથ્થા અંગે વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

