Jamnagar તા. ૨૬,
કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ ટેમુભા જાડેજા (દિગુભા જાડેજા)ની પુનઃ નિયુકિત કરવામાં આવી છે. તેમનો પદગ્રહણ સમારોહ ગઈકાલ તા. ૨૫.૭.૨૫ના સાંજે ૪ વાગ્યે ગાંધીનગર મેઈન રોડ પર આવેલા વિશ્વકર્મા વાડી માં યોજવામાં આવ્યો છે.
જામનગર શહેરની સમસ્યાઓ, વિકાસ મુદ્દાઓ માટે મજબુત લડતના સંકલ્પ સાથે દિગુભા જાડેજાએ શહેર જિલ્લાના અનેક મહાનુભાવો ની ઉપસ્થિતિમાં તેમનો પદભાર સંભાળ્યો હતો.આ સમારોહમાં પૂર્વ સંસદ સભ્ય વિક્રમભાઈ માડમ, વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફભાઈ ખફી, પ્રદેશ અગ્રણી સહારા બેન મકવાણા, મહામંત્રી ભરતસિંહ વાળા, ઉપરાંત કોંગ્રેસના અગ્રણીઓ તેમજ શહેર જિલ્લા ના કોંગી આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેઓની હાજરીમાં શહેર પ્રમુખ દીગુભા જાડેજા પોતાનો પદ ભાર સંભાળ્યો હતો.