Mumbai,તા.05
બોલિવૂડના દમદાર અભિનેતા સની દેઓલ આ વર્ષની તેની ત્રીજી ફિલ્મ સાથે થિયેટર્સમાં ધમાકો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 14 Augustના રોજ સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બંટવારા 1947’ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર તેની સીધી ટક્કર ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન 2’ સાથે થશે. બંને ફિલ્મો વચ્ચે મોટો ક્લેશ જોવા મળશે અને બંને પક્ષે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં અને આમીર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ‘બંટવારા 1947’માં સની દેઓલ ઉપરાંત પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર અત્યંત દમદાર રહ્યું છે. ખાસ કરીને આ વખતે સની દેઓલ પોતાની જૂની ફિલ્મોથી અલગ એક મુસ્લિમ પાત્ર ભજવી રહ્યો છે, જે આ સમગ્ર ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. આ ફિલ્મ માટે પોઝિટિવ પરિબળો તેને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બનાવી શકે છે, તે નીચે મુજબ છે.
અત્યાર સુધી બોલિવૂડ અને સની દેઓલની ફિલ્મો પર વારંવાર વિલન તરીકે મુસ્લિમ પાત્ર બતાવવાનો આરોપ લાગતો રહ્યો છે. પરંતુ આ વખતે મેકર્સે મોટો ફેરફાર કર્યો છે. સની દેઓલ પોતે એક મુસ્લિમ પાત્ર ભજવી રહ્યા છે, જે એક હિન્દુ મહિલાના હક અને રક્ષણ માટે પોતાના જ લોકો સામે લડતો જોવા મળશે. સની દેઓલ કોઈ પણ રોલમાં હોય, પરંતુ જ્યારે વાત માતા કે સ્ત્રીના સન્માનની આવે ત્યારે તેનું પાત્ર અનોખા અંદાજમાં ઉભરી આવે છે.
સની દેઓલની ફિલ્મોની ઓળખ તેના પાવરફુલ ડાયલોગ્સ હોય છે. ‘બંટવારા 1947’ના ટ્રેલરમાં પણ સની દેઓલના મોઢેથી બોલાયેલા ડાયલોગ્સ થિયેટરમાં પ્રાણ પૂરી દે તેવા છે. તે વિરોધીઓ સામે અને માતાના રક્ષણ માટે જે સંવાદો બોલે છે, તે તેના આ નવા મુસ્લિમ પાત્ર પર ખૂબ જ સૂટ થઈ રહ્યા છે.
ફિલ્મમાં મુખ્ય હીરો સની દેઓલ હોવા છતાં આખી વાર્તાનું કેન્દ્રબિંદુ એક હિન્દુ મહિલા છે. આ એક એવી મહિલાની ભાવુક વાર્તા છે જે ભાગલા વખતે પોતાનું ઘર છોડીને જવા માગતી નથી, અને તે ઘર હવે સની દેઓલના પાત્રને મળ્યું છે. આ ફિલ્મમાં બે અલગ અલગ ધર્મો વચ્ચેનો એક અત્યંત સુંદર અને ભાવનાત્મક સંબંધ બતાવવામાં આવ્યો છે.આ ફિલ્મ માટે રોલ રિવર્સ યુએસપી સાબિત થઈ શકે છે. વાસ્તવિક જીવનમાં મુસ્લિમ ધરાવતા શબાના આઝમી આ ફિલ્મમાં એક હિન્દુ મહિલાનો રોલ કરી રહ્યા છે, જ્યારે સની પાજી હિન્દુ હોવા છતાં મુસ્લિમ પાત્ર ભજવી રહ્યા છે. મેકર્સે કરેલો આ રોલ રિવર્સ દર્શકો માટે ખૂબ જ સરપ્રાઈઝિંગ અને રસપ્રદ સાબિત થઈ રહ્યો છે.’બંટવારા 1947’માં માત્ર ધડાધડ એક્શન જ જોવા નહીં મળે, પરંતુ તેમાં ઊંડો ઈમોશનલ એંગલ પણ વણાયેલો છે. આ ભાવનાત્મક કારણોસર જ સની દેઓલ દુશ્મનો સામે લડતા નજરે પડશે. ફિલ્મમાં એક્શન અને ઈમોશન વચ્ચેનું સંતુલન તેને દરેક વર્ગના દર્શકો માટે ખાસ બનાવે છે.

