રોકડ અને દાગીના મળીરૂ.1.92લાખની મતાની ચોરી
રાજકોટ,તા.30
શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે દિન દહાડે બંધ મકાનના તાળા તોડી રોકડ અને સોના ચાંદીના દાગીના ચોરી જવામાં સફળ થાય છે. ત્યારે હરિધવા રોડ પર નવનીત હોલ નજીક અજાણ્યા તસ્કરોએ બંધ મકાનમાં રૂ.1.92 લાખની રોકડ તથા દાગીના ચોરી હવામાં ઓગળી ગયા હતા અજાણ્યા શખ્સોને પકડી પાડવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના હરિધવા રોડ નવનીત હોલ ચાલીસ ફૂટ રોડ પર ન્યુ સુભાષ-બી “વાસુદેવ”મકાનમા રહેતા વિશાલભાઈ અશોકભાઈ કરકરએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતીકે તે પોતાના અંગત કારણો સર ઘર બંધ કરીને બહાર ગયા હતા ત્યારે પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ મેન ડોરનો નકુચો તોડી અંદર પ્રવેશી રૂમના કબાટ માંથી રોકડ અને ચાંદીના દાગીના જેની અંદાજિત કિંમત રૂ. 1.92લાખ છે તે ચોરી ગયા હતા. ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા ચોરને પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.