Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendaranagar: ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

    November 6, 2025

    Surendaranagar: લીંબડી હાઇવે પર ડમ્પરમાં અચાનક આગ ભભૂકી

    November 6, 2025

    રવિવારે Junagadh મુકિત દિને યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે

    November 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendaranagar: ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો
    • Surendaranagar: લીંબડી હાઇવે પર ડમ્પરમાં અચાનક આગ ભભૂકી
    • રવિવારે Junagadh મુકિત દિને યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે
    • Junagadh: ધારાસભ્ય સંજય કોરડીયા પાસે ખંડણી માંગનાર સમીર મુંબઈ એરપોર્ટમાંથી ઝડપાયો
    • Junagadh: કેશોદનાં પાણખાણ ગામે યુવાનનો આપઘાત
    • Junagadh: જંગલમાંથી હેમખેમ મળેલા લઘુ મહંત મહાદેવભારતી સારવારમાં
    • Junagadh: વંથલીના ધંધુસરની સીમમાંથી વાયરની ચોરી
    • Keshod પોલીસે ગેરકાયદે લાકડા ભરેલ ટ્રક ડીટેઇન કર્યો: વન તંત્ર અજાણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર અપાશે
    જામનગર

    Jamnagar: પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર અપાશે

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.22
    જામનગર જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કર અને મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીની અધ્યક્ષતામાં ગણેશચતુર્થી તથા નેશનલ સ્પોર્ટ્સ ડે ને  અનુલક્ષીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

    મ્યુનિસિપલ કમીશ્નરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગણેશચતુર્થીના તહેવારને અનુલક્ષીને તેમજ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-2025 નું આયોજન કરવામાં આવ્યું છે.

    જેના ભાગરૂપે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં જામનગર સહીત 29 જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ 5(પાંચ) આશ્વાસન પુરસ્કારોની પસંદગી કરી તેઓને રાજ્ય સરકાર દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

    રાજ્યનાં 29 જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી 1 થી 3 ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.5 લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.3લાખ, તૃતીય ક્રમે વિજેતાને રૂ.1લાખ 50 હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.1લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

    શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા ઈચ્છુક જામનગરના લોકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-4, પ્રથમ માળે, રૂમ નં.42, જામનગર ખાતેથી ફોર્મ મેળવી તા.28/08/2025 બપોરે 12:00 કલાક સુધીમાં પરત કરવાના રહેશે.

    આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.27-8-2025 થી તા.7-9-2025 સુધી શ્રી ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.

    જેમાં શહેરના પ્લોટ નં.98, હોટલ વિશાલ ઈન્ટરનેશનલ પાછળ તથા સરદાર રિવેરા, રણજીતસાગર રોડ લાલપુર બાયપાસ પાસે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવશે. લોકોએ આ વિસર્જન કુંડમાં જ મૂર્તિઓ વિસર્જિત કરવા તથા માત્ર ઇકોફ્રેન્ડલી જ મૂર્તિઓની પૂજા કરવા કમિશ્રર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

    29 ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતગર્ત જામનગરમાં આયોજિત કાર્યક્રમો અંગે કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું કે, જામનગરમાં તા.29 થી તા.31 ત્રણ દિવસ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.29 ના રોજ શાળા કક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે.

    તા.30 ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા અલગ-અલગ કચેરીઓની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને પોલીસ હેડ ક્વાર્ટર, ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર ખાતે કરવામાં આવ્યું છે. તથા તા.31 ઓગસ્ટના રોજ જામનગર શહેરમાં સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

    કલેકટર કેતન ઠક્કરે શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની પૂજા કરવા તથા તા.29 ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતગર્ત જામનગરમાં આયોજિત સાયક્લોથોનમાં સહભાગી થવા જામનગરવાસીઓને અપીલ કરી હતી.

    આ પત્રકાર પરિષદમાં જામનગર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર બી.એન ખેર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા તથા પ્રેસ મીડિયાના પ્રતીનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ગુરુનાનકદેવજીની 556મી જન્મ જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

    November 5, 2025
    જામનગર

    Jamnagar: બાંધકામના ધંધાર્થી ઉપર 11 શખ્સોનો હુમલો

    November 5, 2025
    જામનગર

    જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લાના પાટીયા પાસે બની હીટ એન્ડ રનની ઘટના

    November 4, 2025
    જામનગર

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025
    જામનગર

    Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ

    November 4, 2025
    જામનગર

    Jamnagar જિલ્લામાં આજથી એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendaranagar: ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

    November 6, 2025

    Surendaranagar: લીંબડી હાઇવે પર ડમ્પરમાં અચાનક આગ ભભૂકી

    November 6, 2025

    રવિવારે Junagadh મુકિત દિને યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે

    November 6, 2025

    Junagadh: ધારાસભ્ય સંજય કોરડીયા પાસે ખંડણી માંગનાર સમીર મુંબઈ એરપોર્ટમાંથી ઝડપાયો

    November 6, 2025

    Junagadh: કેશોદનાં પાણખાણ ગામે યુવાનનો આપઘાત

    November 6, 2025

    Junagadh: જંગલમાંથી હેમખેમ મળેલા લઘુ મહંત મહાદેવભારતી સારવારમાં

    November 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendaranagar: ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

    November 6, 2025

    Surendaranagar: લીંબડી હાઇવે પર ડમ્પરમાં અચાનક આગ ભભૂકી

    November 6, 2025

    રવિવારે Junagadh મુકિત દિને યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે

    November 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.