Junagadhતા. ૨૨
જુનાગઢ જિલ્લાના રોજગાર વાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો માટે મેનેજર, પ્રાયોરીટી પાર્ટનર, એસેમ્બલી, સર્વિસ, મશીન ઓપરેટરની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ આઇ.ટી.આઇ., ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર વાંચ્છુઓ માટે ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે આગામી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર વાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે અત્રે જણાવેલ ભરતી મેળાના સ્થળ ઉપર સમયસર ઉપસ્થિત થવાનું રહેશે. ઉક્ત ભરતી મેળામાં રોજગાર વાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢના ટેલિફોન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ ઉપર સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જુનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

