Veraval,તા.27
ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પો.અધિ. બી.એસ.વ્યાસ,વિભાગીય પો.અધિ.વી.આર.ખેંગાર નાઓ દ્રારા આગામી ગણેશ ચતુર્થી,રામદેવપીર મહારાજના ધ્વજારોહણ,ઇદે મીલાદ તહેવારો સબબ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે આયોજકો તેમજ વિવિધ સમાજનાં આગેવાનો સાથે સીટી પો.સ્ટે.સીટી પીઆઈ એચ.આર.ગોસ્વામી ની અધ્યક્ષતા માં શાંતી સમીતીની મીટીંગ યોજવા આવેલ હોય વેરાવળ શહેરના તમામ સમાજ/ધર્મના આગેવાનોને વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે શાંતી સમીતીની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. અને આ મીટીંગમાં ગણેશ ચતુર્થીના તહેવાર સબબ ગણેશજીની સ્થાપના/વિસર્જનના આયોજકો તથા રામદેવપીર મહારાજના ધ્વજારોહણ સબબ નીકળનાર શોભાયાત્રાના આયોજકો તથા ઇદે મીલાદ સબબ મુસ્લીમ સમાજના આગેવાનોને જરૂરી માર્ગદર્શન સુચનાઓ આપવામાં આવેલ તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને હિંદુ-મુસ્લિમ સમાજના લોકોમાં ભાઇચારાની ભાવાના જળવાઇ રહે તેમજ કોઇ પણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવી કોઇ પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ ન થાય તેમજ શાંતિ પૂર્વક તહેવારોની ઉજવણી કરવા આયોજકો/આગેવાનોને અનુરોધ કરવામાં આવેલ.