Junagadhતા. 27
જુનાગઢ મનપાને પગારદારો, વેતનદારો, વ્યવસાયીઓ અને વેપારીઓ પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવાની કામગીરી સોંપાયેલ છે. ત્યારે વ્યવસાયી કરદાતાઓને વ્યવસાય વેરાની વર્ષ ૨૦૨૫-૨૬ ની તથા પાછલી બાકી રહેતી રકમ તા ૩૦/૦૯/૨૦૨૫ સુધીમાં ભરપાઈ કરવા મનપા દ્વારા અનુરોધ છે. અને વ્યવસાય વેરો મુદત હરોળમાં ભરપાઈ કરવામાં નહી આવે તો, આસામીઓ સામે વ્યવસાય વેરા કાયદાની જોગવાય હેઠળ કડક પગલાં ભરવામાં આવશે. તેમ જુનાગઢ મહાનગરપાલિકા સેવા સદનની અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ યાદીમાં વધુમાં જણાવાયુ છે કે, દુકાનદારો, વેપારીઓ, તબીબો, વ્યવાસયીઓ, ટેકનીલ અને પ્રોફેશનલ કન્સલ્ટન્ટ, વીમા એજન્ટ, કોન્ટ્રાક્ટર, ટુર ઓપરેટર, કેબલ ટીવી ઓપરેટર, એડવર્ટાઈઝિંગ એજન્ટ, સિનેમા ઘરો, આંગડીયા સવિસ, પ્રાઇવેટ લી. કંપનીઓ, બેંક, એસ્ટેટ એજન્ટ, કારખાના માલિકો વગેરે સર્વિસ પ્રોવાઇડરોએ વ્યવસાયવેરાની રકમ ઓંફીસ સમય દરમ્યાન જુનાગઢ મહાનગરપાલિકા સેવા સદન ખાતે જન સેવા કેન્દ્ર, ગ્રાઉન્ડ ફ્લોરમાં જમા કરાવી દેવા તેમજ જે કરદાતાઓએ વ્યવસાય વેરા અંગે કરાવેલ ન હોય અને વ્યવસાયવેરો ભરેલ ન હોય તેવા કરદાતાઓ પાસેથી દંડ અને વ્યાજ સાથે વ્યવસાય વેરો વસુલ કરવામાં આવશે.
આ સાથે વ્યવસાયવેરા અંગે રજીટ્રેશન કરાવનું બાકી હોય,તેવા વ્યવસાયીઓએ તાત્કાલીક રજીસ્ટ્રેશન કરાવી લેવા અધિક કમિશનર, વ્યવસાય વેરા અને નાયબ કમિશનર મહાનગર સેવા સદન જુનાગઢ દ્વારા કરદાતાઓને જાણ કરવામાં આવેલ છે.