New Delhi તા.25
આગામી માસમાં ભારતમાં યોજાનારી બ્રીકસ દેશોની શિખર પરિષદમાં હવે બાંગ્લાદેશના વડાપ્રધાન તારીક અહેમદ હાજરી નહી આપે. તેઓની આ યાત્રા પુર્વે બાંગ્લાદેશે શરત મુકી હતી કે શેખ હસીના કે જેઓ બાંગ્લાદેશના પુર્વ વડાપ્રધાન છે અને ભારતમાં હાલ આશરો લઈ રહ્યા છે તેને બાંગ્લાદેશને સોંપવામાં આવે. આ ઉપરાંત અન્ય માંગણીઓ પણ તેઓએ કરી છે .
પરંતુ ભારતે મુલાકાતને કોઈ શરતી બનાવવાની માંગણી ફગાવી દીધી છે. સૌથી મહત્વનું એ છે કે બાંગ્લાદેશ હવે તબકકાવાર ચીન અને પાકિસ્તાન ભણી ઝુકી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાન, સાઉદી અરેબીયા તથા તુર્કીએ વચ્ચે જે સંરક્ષણ કરાર થયા તેમાં બાંગ્લાદેશ પણ જોડાય તેવી શકયતા છે. અગાઉ વડાપ્રધાન તારીક રહેમાન સતા સંભાળ્યા બાદ પાડોશી ભારત પહોંચવાના બદલે ચીન પહોંચી ગયા હતા અને હવે ઈસ્લામીક નાટોમાં જોડાવવા માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે.

