Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ

    October 30, 2025

    Junagadh: કમોસમી વરસાદથી પાક નુકસાનીનો ૮૫ ટીમો દ્વારા સર્વે : સર્વેની કામગીરી ૮ દિવસમાં પૂર્ણ કરાશે

    October 30, 2025

    31 ઓક્ટોબર નું પંચાંગ

    October 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ
    • Junagadh: કમોસમી વરસાદથી પાક નુકસાનીનો ૮૫ ટીમો દ્વારા સર્વે : સર્વેની કામગીરી ૮ દિવસમાં પૂર્ણ કરાશે
    • 31 ઓક્ટોબર નું પંચાંગ
    • 31 ઓક્ટોબર નું રાશિફળ
    • વાવાઝોડા Melissa એ હૈતી, જમૈકા અને ક્યુબામાં વિનાશ વેર્યો છે, જેમાં ૨૫ લોકો માર્યા ગયા છે
    • Russian સૈનિકોએ બે યુક્રેનિયન શહેરોને ઘેરી લીધા, યુદ્ધ વચ્ચે પુતિને મોટો દાવો કર્યો
    • Sai Babaની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવનાર અભિનેતાની તબિયત લથડી, હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
    • Mahima Chaudhary એ ૫૨ વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા,સંજય મિશ્રાની દુલ્હન બની
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જમીન સંપાદનના વળતરમાં TDS કપાશે
    ગુજરાત

    જમીન સંપાદનના વળતરમાં TDS કપાશે

    Vikram RavalBy Vikram RavalAugust 30, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.30
    ગુજરાત સરકારે જમીન સંપાદન મામલે મોટો નિર્ણય લીધો છે. જમીન સંપાદન વખતે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી વખતે ટીડીએસ કાપવા સંદર્ભ એક નવો સુધારો કર્યો છે.

    મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર કરીને જમીન સંપાદનના વળતર અને વ્યાજ સહિતના વધારાની રકમ ઉપર ટીડીએસ કાપવાના નવા નિયમો જાહેર થયા છે. કોર્ટના આદેશના પગલે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી ટીડીએસ કાપ્યા વગર કોર્ટમાં જમા કરાશે.

    અરજદારને ટીડીએસનું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેથી એ ઇન્કમટેક્સ રિટર્નમાં તે બતાવી શકે. જો કોઈ પણ અરજદાર ટેક્સ ભરવામાંથી મુક્તિ કે ઘટાડેલો ટેક્સ ભરવાની પ્રમાણપત્ર રજૂ કરે તો તેના આધારે ટીડીએસ કાપવાનો રહેશે. આમ જમીન સંપાદની વળતરમાં નવા નિયમોથી ખેડૂતોને ઝટકો લાગે તો નવાઈ નહીં.

    સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા સીવીલ અપીલ નં. 15041/2017માં તા. 15/09/2017ના ચુકાદામાં જમીન સંપાદન અધિનિયમ-1894 હેઠળ સંપાદન થતી જમીનના સંદર્ભમાં વળતર તથા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત તેમજ તે અંગેની કાર્યપદ્ધતિનો નિર્દેશ કરેલ છે.

    સુપ્રિમકોર્ટના ઉક્ત તા. 15/09/2017ના ચુકાદાને ધ્યાને લઈને કેરાલા હાઈકોર્ટ દ્વારા નલિની વિરૂદ્ધ ડે. કલેકટર, જમીન સંપાદન (2006(4) આઈએલઆર કેરાલા 229)ના કેસથી જમીન સંપાદન અધિનિયમ-1894 હેઠળ સંપાદન થતી જમીનના સંદર્ભમાં વળતર તથા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત અંગે નિયત થયેલ કાર્યપદ્ધતિ અપનાવવા જમીન સંપાદન અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી. ઉકત ઠરાવમાં વળતરની રકમ અને તેના વ્યાજ પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગેની સૂચના આપવામાં આવેલ ન હતી.

    આથી જમીન સંપાદન અધિનિયમ-1894 હેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વળતર તેમજ વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગે નવેસરથી કાર્યપદ્ધતિ નક્કી કરવાની બાબત સરકારમાં વિચારણા હેઠળ હતી.

    પુખ્ત વિચારણાને અંતે જમીન સંપાદન અધિનિયમ-1894 હેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વળતર તેમજ વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગે નવી કાર્યપદ્ધતિ ઠરાવવામાં આવે છે.

    જમીન સંપાદન અધિનિયમ-1894ની કલમ-18 હેઠળના રેફરન્સ હેઠળ કોર્ટ દ્વારા વધારી આપવામાં આવેલા વળતરની વ્યાજ સહિતની રકમ પર ટી.ડી.એસ.ની કપાત કરવાની થાય છે, પરંતુ આવી કપાત જમીન સંપાદન અધિકારી દ્વારા સીધી રીતે ન કરતાં વધારાના વળતરની વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ કોર્ટમાં જમા કરાવવાની રહેશે.

    જમીન સંપાદન અધિનિયમ-1894ની કલમ-28(એ) હેઠળના વળતરની વ્યાજ સહિતની રકમ પર જમીન સંપાદન અધિકારી દ્વારા ટી.ડી.એસ. કપાત કરવાની રહેશે. ઉકત ટી.ડી.એસ. કપાત બાબતે જમીન સંપાદન અધિકારી દ્વારા ખાતેદાર/અરજદારને ઈન્કમટેક્ષની રકમ કપાત પહેલાં ઈન્કમટેક્ષ ચુકવવાની તેઓની જવાબદારી અંગે જણાવવાનું રહેશે.

    વધુમાં જમીન સંપાદન અધિકારીએ પ્રવર્તમાન આવકવેરા અધિનિયમ અને નિયમો હેઠળ કાપવાપાત્ર ટી.ડી.એસ.ની રકમ કાપીને બાકી રહેતી રકમનું ચૂકવણું ખાતેદાર/અરજદારને કરવાનું રહેશે. જો અરજદાર પ્રવર્તમાન આવકવેરા અધિનિયમ હેઠળ સક્ષમ સત્તા પાસેથી આવકવેરો ભરવામાંથી મુક્તિનં  કે ઘટાડેલા દરે આવકવેરો ભરવાનું પ્રમાણપત્ર રજૂ કરે તો આ અનુસાર ટી.ડી.એસ. રકમ જ કાપવાની રહેશે તથા બાકી રકમનું ચુકવણું કરવાનું રહેશે. જમીન સંપાદન અધિકારી દ્વારા કરવામાં આવેલ ટી.ડી.એસ.ની કપાત નિયત સમયમર્યાદામાં ઈન્કમટેક્ષ વિભાગમાં જમા કરાવવાની રહેશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર, ૩ યુવકોના કરુણ મોત

    October 30, 2025
    અમદાવાદ

    AACA celebrates its 35th year “ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ” અને “AACA Media Awards 2026”નું ભવ્ય આયોજન

    October 30, 2025
    રાજકોટ

    Rajkot માં સતત છઠ્ઠા દિવસે પણ મેઘાવી માહોલ

    October 30, 2025
    રાજકોટ

    Rajkot: ઉછીના આપેલ 8 લાખ પરત માંગતા યુવાન પર પિતરાઇ ભાઈઓનો હુમલો

    October 30, 2025
    રાજકોટ

    Rajkot: બાળકીના ગળામાંથી સોનાનો ચેન તફડાવી લેનાર ડ્રાઈવર ઝડપાયો

    October 30, 2025
    રાજકોટ

    Rajkot: શાળાએ જતી 14 વર્ષની વિદ્યાર્થિનીનો પીછો કરી એક વર્ષથી પજવણી કરતો શખ્સ ઝડપાયો

    October 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ

    October 30, 2025

    Junagadh: કમોસમી વરસાદથી પાક નુકસાનીનો ૮૫ ટીમો દ્વારા સર્વે : સર્વેની કામગીરી ૮ દિવસમાં પૂર્ણ કરાશે

    October 30, 2025

    31 ઓક્ટોબર નું પંચાંગ

    October 30, 2025

    31 ઓક્ટોબર નું રાશિફળ

    October 30, 2025

    વાવાઝોડા Melissa એ હૈતી, જમૈકા અને ક્યુબામાં વિનાશ વેર્યો છે, જેમાં ૨૫ લોકો માર્યા ગયા છે

    October 30, 2025

    Russian સૈનિકોએ બે યુક્રેનિયન શહેરોને ઘેરી લીધા, યુદ્ધ વચ્ચે પુતિને મોટો દાવો કર્યો

    October 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ

    October 30, 2025

    Junagadh: કમોસમી વરસાદથી પાક નુકસાનીનો ૮૫ ટીમો દ્વારા સર્વે : સર્વેની કામગીરી ૮ દિવસમાં પૂર્ણ કરાશે

    October 30, 2025

    31 ઓક્ટોબર નું પંચાંગ

    October 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.