Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Qatar માં યોજાયેલી વાટાઘાટોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ

    October 19, 2025

    Trumpની નીતિઓનો વિરોધ કરવા માટે હજારો લોકો રસ્તા પર ઉતર્યા, લંડનથી વોશિંગ્ટન સુધી ’નો કિંગ્સ’ પ્રદર્શનો થયા

    October 19, 2025

    20 ઓક્ટોબર નું પંચાંગ

    October 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Qatar માં યોજાયેલી વાટાઘાટોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ
    • Trumpની નીતિઓનો વિરોધ કરવા માટે હજારો લોકો રસ્તા પર ઉતર્યા, લંડનથી વોશિંગ્ટન સુધી ’નો કિંગ્સ’ પ્રદર્શનો થયા
    • 20 ઓક્ટોબર નું પંચાંગ
    • 20 ઓક્ટોબર નું રાશિફળ
    • London ના રસ્તાઓ પર કરણ જોહર સાથે ગૌરી ખાન જોવા મળી, જેમાં મહિપ કપૂર અને ભાવના પાંડે પણ પોઝ આપ્યા
    • સ્ટાર્સ ઇકો-ફ્રેન્ડલી દિવાળી ઉજવે છેઃ Sunita Ahuja ફટાકડા નહીં ફોડે, નીના પર્વતો પર જશે
    • વેનેઝુએલાની સુંદરીAmira Moreno એ ’મિસ ટીન યુનિવર્સ ૨૦૨૫’નો તાજ પહેરાવ્યો
    • દુકાનદાર Madhuri Dixit ને તેની દુકાન પર જોઈને ચોંકી ગયો, તૃપ્તિએ સ્થાનિક દુકાનમાંથી જૂતા ખરીદ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»‘Jalkranti Granth’નું વિમોચન વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના CM પટેલના હસ્તે 31મી ઓગષ્ટનાં રોજ યોજાશે
    અમદાવાદ

    ‘Jalkranti Granth’નું વિમોચન વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના CM પટેલના હસ્તે 31મી ઓગષ્ટનાં રોજ યોજાશે

    Vikram RavalBy Vikram RavalAugust 30, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા. 30,

    સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે અને જળક્રાંતિ આવી છે, તેવા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત જળક્રાંતિ ગ્રંથનું વિમોચન તા. 31મી ઓગષ્ટ, 2025ના રોજ રવજીભાઈ વસાણી અને વલ્લભભાઈ કાકડિયાની આગેવાનીમાં લેઉવા પટેલની 19 સંસ્થાઓના ઉપક્રમે લેઉવા પટેલ સમાજની સંસ્થા, કેળવણી ધામ નિકોલ ખાતે રાજ્યનાં માનનીય મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવશે. ‘જળક્રાંતિ ગ્રંથ’ના વિમોચન પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા, પી.કે. લહેરી, વસંતભાઈ ગજેરા, આર.પી.પટેલ, જેરામભાઈ વાંસજાળિયા, કાનજીભાઈ ભાલાળા સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

    રાજ્યમાં જળક્રાંતિ લાવનાર મનસુખભાઈ સુવાગીયાએ સ્વલિખિત ‘જળક્રાંતિ ગ્રંથ’ અંગે જણાવ્યું હતું કે, મારા 30 વર્ષના જળરક્ષા તપ પછી મને પ્રાપ્ત થયેલા જળસંકટના જ્ઞાન અને અનુભવોની જાણકારી ભાવિ પેઢીને મળી રહે તે, માટે ‘જળક્રાંતિ ગ્રંથ’ લખવાની મને પ્રેરણા મળી. જે માટે મે સતત 97 દિવસ બરડા ડુંગરમાં આવેલી ઐતિહાસિક નગરી ધુમલીની તપોવન વિદ્યાપીઠમાં રહી ૨૨૫ પાનાનો ‘જળક્રાંતિ ગ્રંથ’ લખ્યો.છે. આ ગ્રંથમાં જળતત્વ, વરસાદના પ્રકાર, નક્ષત્રનાં ગુણધર્મો, વિજળી અને મેઘગર્જનાનો પ્રભાવ, ભૂગર્ભ જળ પરિક્ષણ, જળરક્ષાના મોડેલ ગામોનો ઇતિહાસ, વિશ્વ જળસંકટ નિવારણનો ઉપાય અને માનવ ઘડતર તથા કર્મથી જીવનપ્રાપ્તિ જેવા આધ્યાત્મિક પ્રકરણોનો સમાવેશ કર્યો છે.

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ‘જળક્રાંતિ ગ્રંથ’ 20 થી વધુ વિદ્વાનોએ વાંચીને વિશ્વ પ્રેરક જળવિજ્ઞાન અને જળક્રાંતિના ઈતિહાસ તરીકે વર્ણવ્યો છે. ‘જળક્રાંતિ ગ્રંથ’ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ કરીને સમગ્ર વિશ્વના 200 દેશોમાં મોકલી આપી જળસંકટ નિવારણની પ્રેરણા આપવામાં આવશે. ‘જળક્રાંતિ ગ્રંથ’ સિવાય મારા લિખિત અન્ય આઠ ગ્રંથોના વેચાણમાંથી પ્રાપ્ત થતી આવક જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રસેવામાં વાપરવામાં આવે છે.

    મનસુખભાઈની ચેકડેમ-તળાવની યોજનાને રાષ્ટ્રવ્યાપી કરવાના ધ્યેયથી તા. 20-11-99 ના રોજ જામકાની ધરતી ઉપર દેશનો પ્રથમ જળક્રાંતિ દિન ઉજવાયો. ક્રાંતિકારી સંત સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ ચેકડેમ-તળાવની યોજનાને જળક્રાંતિ નામ આપ્યું. શ્રી મનસુખભાઈ સુવાગીયાને તેમણે જળક્રાંતિના પ્રણેતા ઘોષિત કર્યા.

    જો આપણે ભારતને સમગ્ર વિશ્વમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું હશે તો, આપણે આપણા દેશની મુખ્ય ઓળખ કૃષિપ્રધાન દેશની ખેતપેદાશોનું વિપુલ માત્રામાં ઉત્પાદન કરીને તેની નિકાસ દ્વારા વિકાસ સાધી શકાશે. તેના માટે આપણે સૌએ સૌના સાથ અને પુરુષાર્થથી સમગ્ર ભારતમાં 51 લાખ જેટલા ચેકડેમ-તળાવ બનાવવા તેમજ 51 લાખ જેટલી ખેત તલાવડીનું નિર્માંણ કરવાનો સંકલ્પ કરવો પડશે તેમ તેઓએ વધુમાં ઉમેર્યુ હતું.

    ગુજરાત રાજ્યમાં 80ના દશકમાં ઉદભવેલા જળસંકટને મૂળમાંથી ઉખેડી નાખવા માત્ર 11 ધોરણ પાસ કિસાનપુત્ર મનસુખભાઈ સુવાગીયાએ બીડું ઝડપી ગામદીઠ 5 થી 51 ચેકડેમ-તળાવની પાંચ સિધ્ધાંતની યોજના બનાવી. જેમાં, ગ્રામ સંગઠન, લોકફંડ, ચેકડેમ-તળાવ માટે યોગ્ય સ્થળની પસંદગી, પોતે જ વિકસાવેલી(શોધેલી) ચેકડેમની 100 વર્ષ ટકી રહે તેવી નવી ખૂબ જ સસ્તી ડિઝાઇન અને શ્રમદાનના સહારે ગામે ગામ આ યોજનાને સાકાર કરવા સંકલ્પ કર્યો, અને 50 હજાર લોકોને જળરક્ષાનો સંકલ્પ લેવડાવી જળક્રાંતિ ટ્રસ્ટની સ્થાપના કરી. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ૩૦૦થી વધુમાં ગામોમાં 3200થી વધુ ચેકડેમ, તળાવ બંધાવ્યા છે. જેનાથી ગામની 3 થી 30 કરોડ રૂપિયાનું કૃષિ ઉત્પાદન વધ્યું છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Dhanteras રાહત : સોના- ચાંદીના ભાવમાં ગાબડુ

    October 18, 2025
    ગુજરાત

    Harsh Sanghvi ને કેબીનેટ કક્ષા સાથે નાયબ મુખ્યમંત્રી બનાવાયા

    October 17, 2025
    અમદાવાદ

    Gujarat High Court માં ચેરિટી કમિશનર સંબંધિત અરજી પાછી ખેંચવાની મંજૂરી

    October 17, 2025
    ગુજરાત

    Gujarat HC માં દાંપત્ય વિવાદનો હેબિયસ કોર્પસ કેસ

    October 17, 2025
    રાષ્ટ્રીય

    Commonwealth Games યજમાની : અમદાવાદ ગ્લોબલ સ્પોર્ટસ હબ બનશે

    October 16, 2025
    ગુજરાત

    PM નરેન્દ્ર મોદીને 1,11,75,000થી વધુ પોસ્ટકાર્ડ લખાયાં,ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બન્યો

    October 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Qatar માં યોજાયેલી વાટાઘાટોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ

    October 19, 2025

    Trumpની નીતિઓનો વિરોધ કરવા માટે હજારો લોકો રસ્તા પર ઉતર્યા, લંડનથી વોશિંગ્ટન સુધી ’નો કિંગ્સ’ પ્રદર્શનો થયા

    October 19, 2025

    20 ઓક્ટોબર નું પંચાંગ

    October 19, 2025

    20 ઓક્ટોબર નું રાશિફળ

    October 19, 2025

    London ના રસ્તાઓ પર કરણ જોહર સાથે ગૌરી ખાન જોવા મળી, જેમાં મહિપ કપૂર અને ભાવના પાંડે પણ પોઝ આપ્યા

    October 19, 2025

    સ્ટાર્સ ઇકો-ફ્રેન્ડલી દિવાળી ઉજવે છેઃ Sunita Ahuja ફટાકડા નહીં ફોડે, નીના પર્વતો પર જશે

    October 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Qatar માં યોજાયેલી વાટાઘાટોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ

    October 19, 2025

    Trumpની નીતિઓનો વિરોધ કરવા માટે હજારો લોકો રસ્તા પર ઉતર્યા, લંડનથી વોશિંગ્ટન સુધી ’નો કિંગ્સ’ પ્રદર્શનો થયા

    October 19, 2025

    20 ઓક્ટોબર નું પંચાંગ

    October 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.