Maharashtra,તા.02
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમીના સંકેત છે અને તેમાં ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યો શિવસેના-શિંદે જૂથમાં જોડાય તેવા સંકેતથી ઉદ્ધવ ઠાકરેએ વધુ એક વખત આજે તેમના નિવાસે પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી છે અને તેમાં પક્ષ અકબંધ રહે તે નિશ્ચિત કરાશે.
અગાઉ શિવસેનામાં જે રીતે ભંગાણ પડશે અને શિંદે જૂથ અલગ થઈ ગયું તે હાલ મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં એનડીએની સાથે છે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી પણ છે તથા હાલમાં ઠાકરે જૂથના છ સાંસદોએ પણ પક્ષપલ્ટો કરીને શિંદે જૂથ સાથે જોડાઈ જતા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધી ગઈ છે તેમાં વધુ એક સમાચારમાં 14 જેટલા ધારાસભ્યો હવે પક્ષપલ્ટો કરવા તૈયાર હોવાના સંકેતથી ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યોને તાત્કાલીક બોલાવ્યા છે.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ગઈકાલે કેબીનેટ બેઠકમાં હાજરી આપવાને બદલે દિલ્હી પહોંચી ગયા હતા. જો કે માનવામાં આવે છે કે આજે સુપ્રીમકોર્ટમાં શિવસેનામાં ભંગાણ અંગે અને પ્રતિક જાળવી રાખવા મુદે સુનાવણી છે અને શિંદે તે માટે વરિષ્ઠ ધારાશાસ્ત્રી સાથે ચર્ચા માટે દિલ્હી પહોંચ્યા હતા પણ તેઓએ કેબીનેટમાં હાજરી ન આપતા ચર્ચા છેડાઈ છે.

