6.25 લાખ વળતર દીન-૬૦ મા ન ચુકવે તો વધુ ૩ માસની સાદી કેદનો હુકમ
Rajkot,તા.11
શહેરની શ્રીનાથજી પોલીસ નામની ભાગીદારી પેઢી પાસેથી ખરીદ કરેલા pvc એસેસરીઝની રકમ રૂપિયા 6.25 લાખ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે અજમેરની પેઢીના સંચાલક નજમુદિન કુરેશીને એક વર્ષની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ સ્થિત શ્રીનાથજી નામની ભાગીદારી પેઢી પાસેથી અજમેર સ્થિત નજમુદિનએ એસેસરીઝની બાકી માં ખરીદી કરી હતી. જે રકમ ચૂકવવા 6.25 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે શ્રીનાથજી પોલીસ લાસ્ટ ના ભાગીદાર કમલેશ નરસિંહભાઈ કમાણીએ અજમેર સ્થિત મજમુદ્દીન કુરેશી સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. સદરહુ કેસ ચાલવા પર આવેલ અને આખર દલીલમા જયારે ફરીયાદીના વકીલ દ્વારા આરોપીને ચેક રીટર્ન કેસમાં રાહત મળી શકે નહી, સમાજમા ચેક રીર્ટન થવાના કેસો વધી રહેલ હોય જેથી આવા આરોપીને સબક શીખડાવવો જોઇએ, અને કાયદાકીય જોગવાઇઓ મુજબ આરોપીએ કરેલ ગંભીર ગુન્હા સબંધે સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ તેવી દલીલો કરીને, તે સબંધેના વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ હતા. આમ, ફરીયાદીના એડવોકેટની દલીલો માન્ય રાખી આરોપી નજમુદ્દીન કુરેશીને તેમણે કરેલ ગંભીર ગુન્હા બદલ અદાલતે નેગો.ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમનુ ફરીયાદીને વળતર પેટે દીન-૬૦ મા ચુકવવાનો હુકમ કરેલ જો આરોપી વળતર ન ચુકવે તો વધુ ૩ માસની સાદી જેલ સજા કરવાનો હુકમ એડી.ચીફ જયુ. કોર્ટએ ફરીયાદીની તરફેણમા હુકમ ફરમાવેલ હતો.આ કામના ફરીયાદી કમલેશભાઈ નરશીભાઇ કમાણી તે શ્રીનાથજી પોલીપ્લાસ્ટ ના પ્રોપ. તરફે રાજકોટના ઘારાશાસ્ત્રી રમેશભાઈ ઘોડાસરા, અમીત ગડારા, કેતન જે. સાવલીયા અને ડેનીશ વિરાણી વીગેરે રોકાયેલ હતા.