New Delhi,તા.૧૨
પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી સામે આવી છે. ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે જો દ્ગઝ્રઇ ના શહેરોને હવા સાફ કરવાનો અધિકાર છે, તો પછી અન્ય શહેરોના લોકોને કેમ નહીં? જે પણ નીતિ હોવી જોઈએ, તે સમગ્ર ભારત સ્તરે હોવી જોઈએ. આપણે ફક્ત દિલ્હી માટે નીતિ બનાવી શકતા નથી, કારણ કે દેશનો ઉચ્ચ વર્ગ ત્યાં છે. હું ગયા શિયાળામાં અમૃતસર ગયો હતો અને ત્યાંનું પ્રદૂષણ દિલ્હી કરતાં પણ ખરાબ હતું. જો ફટાકડા પર પ્રતિબંધ મૂકવો હોય, તો દેશભરમાં પ્રતિબંધ હોવો જોઈએ.
દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ફટાકડાના વેચાણ, સંગ્રહ, પરિવહન અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકતા તેના ૩ એપ્રિલના આદેશ સામેની અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. દિલ્હી-દ્ગઝ્રઇમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે સીએકયુએમને નોટિસ પણ જારી કરી હતી અને બે અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે એમ પણ કહ્યું હતું કે છેલ્લા છ મહિનામાં આ કોર્ટ દ્વારા પસાર કરાયેલા અનેક આદેશો વાયુ પ્રદૂષણના અત્યંત ઊંચા સ્તરને કારણે દિલ્હીમાં પ્રવર્તતી ભયાનક પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “સ્વાસ્થ્યનો અધિકાર બંધારણના અનુચ્છેદ ૨૧ નો આવશ્યક ભાગ છે, અને પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર પણ તેનો અભિન્ન ભાગ છે.” સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે જ્યાં સુધી કોર્ટને ખાતરી ન થાય કે “કહેવાતા” લીલા ફટાકડાથી થતું પ્રદૂષણ ન્યૂનતમ છે, ત્યાં સુધી અગાઉના આદેશો પર પુનર્વિચાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.