Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ત્રણ વર્ષમાં એક અબજ લોકોએ અપનાવ્યું AI

    November 3, 2025

    Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું

    November 3, 2025

    GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી

    November 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ત્રણ વર્ષમાં એક અબજ લોકોએ અપનાવ્યું AI
    • Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું
    • GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી
    • Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ
    • women’s team પર ઈનામોનો વરસાદ : રૂા.90 કરોડ મળશે
    • 1975 માં પીએમ ઇન્દિરા ગાંધી સાથે સૌપ્રથમ ભારતીય મહિલા ટીમ
    • Rajkot:રાજયભરનાં વેપારીઓ દ્વારા રાજીનામાનો ઢગલો કરી દેવા ચિમકી
    • 52 વર્ષે 52 રને વિજયનો અદભુત સંયોગ : Women’s Team Wins The World Cup
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
    મુખ્ય સમાચાર

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    Vikram RavalBy Vikram RavalSeptember 15, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આક્ષેપોમાં ગેરકાયદે રીતે પ્રાણીઓની ખરીદી, તેમને કેદમાં રાખીને અત્યાચાર તેમજ નાણાકીય ગેરરીતિ જેવા મુદ્દા સામેલ હતા

    New Delhi, તા.૧૫

    સુપ્રીમ કોર્ટે ૨૫ ઓગસ્ટના રોજ જામનગર સ્થિત વનતારા પ્રાણી પુનર્વસન કેન્દ્ર સામે ઉઠેલા ગંભીર આક્ષેપોની તપાસ કરવાના હેતુથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (EOW‌)ની રચના કરી હતી. વનતારા સામેના આક્ષેપોમાં ગેરકાયદે રીતે પ્રાણીઓની ખરીદી, તેમને કેદમાં રાખીને અત્યાચાર તેમજ નાણાકીય ગેરરીતિ જેવા મુદ્દા સામેલ હતા.  જો કે, એસઆઈટી રિપોર્ટ આવતા જ સુપ્રીમ કોર્ટે આ તમામ આરોપો ફગાવીને વનતારાને ક્લિનચિટ આપી છે. એટલું જ નહીં, આ આક્ષેપો કરનારાની પણ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ પ્રસન્ના વરાલેની બેન્ચે ઝાટકણી કાઢી હતી.

    વનતારા સામે પશુ-પક્ષીઓની ગેરકાયદે હેરાફેરી તેમજ હાથીઓને ગેરકાયદે રીતે ગોંધી રાખવાના આરોપ સામે તપાસની માગ કરાઈ હતી. જો કે, વનતારા સામે વિવિધ ફરિયાદો બાદ હાથ ધરાયેલી તપાસમાં EOWએ તમામ મુદ્દાની વિગતવાર સમીક્ષા કરી હતી. આ તપાસને અંતે રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, વનતારામાં કોઈપણ પ્રાણીઓને ગેરકાયદે લવાયા નથી, તેમની સાથે દુર્વ્યવહાર કરાતો નથી અને તેઓ સામે ભ્રષ્ટાચારના પણ કોઈ પુરાવા નથી. આ ટીમે સ્પષ્ટ કર્યું છે કે, વનતારાની પ્રવૃત્તિ કાયદા અને નિયમોના કડક પાલન સાથે ચાલે છે અને તે મુખ્યત્વે પ્રાણીઓના સંરક્ષણ, બચાવ તથા પુનર્વસન માટે જ કાર્યરત છે.

    આ દરમિયાન જસ્ટિસ પંકજ મિત્તલ અને પ્રસન્ના વરાલેએ ઓછા સમયમાં રિપોર્ટ આપનારી એસઆઈટીના વખાણ કર્યા હતા. એટલું જ નહીં, વનતારા તરફથી હાજર રહેલા સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે આ રિપોર્ટ જાહેર થાય. દુનિયામાં અનેક લોકો અમારી સાથે વ્યવસાયિક હરીફાઈ કરે છે, જેથી આ મુદ્દાનો દુરુપયોગ થઈ શકે છે.

    EOWનો રિપોર્ટ રજૂ થયા બાદ સોમવારે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે, વનતારા ‘કાયદાનું સંપૂર્ણ પાલન કરતી’ સંસ્થા છે. આ સાથે કોર્ટે ચેતવણી પણ આપી છે કે, માત્ર શંકા કે પુરાવા વગરના આક્ષેપોને આધારે કોઈ સંસ્થાની પ્રતિષ્ઠાને કલંકિત કરવી યોગ્ય નથી. આવા દાવા વન્યજીવન રક્ષણ અને પ્રાણી કલ્યાણ માટેના સાચા પ્રયાસોને હાનિ પહોંચાડી શકે છે.

    આ દરમિયાન કોર્ટે જણાવ્યું છે કે, ભવિષ્યમાં પ્રાણીઓ સંબંધિત આ સ્થિતિ ઉપર નજર રખાશે, પરંતુ હાલ તો વનતારા કાયદાકીય અને નૈતિક ધોરણોને અનુરૂપ કાર્યરત હોવાથી તેને બદનામ ન કરવી જોઈએ.

    આ સુનાવણીમાં અરજદારે મંદિરના હાથીઓનો મુદ્દો ઉઠાવીને પણ વનતારા પર વિવિધ આક્ષેપ કર્યા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, ‘તમને કેવી રીતે જાણ થઈ કે મંદિરના હાથીઓને સારી રીતે નથી રખાતા. આપણા દેશમાં અનેક બાબતો છે, જેના પર ગર્વ થઈ શકે. તેને કારણ વિનાના વિવાદોમાં ના ઢસડો. જો કોઈ હાથીઓ રાખવા ઈચ્છે છે અને નિયમોનું પાલન કરે છે, તેમાં ખોટું શું છે?  નોંધનીય છે કે, આ કેસની તપાસ કરવા માટે રચાયેલી એસઆઈટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જે. ચેલામેશ્વર, ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ અને મુંબઈ પૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે તેમજ વરિષ્ઠ આઈઆરએસ અધિકારી અનિશ ગુપ્તા સામેલ હતા.

    don't tarnish Supreme Court Vantara follows the law
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ત્રણ વર્ષમાં એક અબજ લોકોએ અપનાવ્યું AI

    November 3, 2025
    રાષ્ટ્રીય

    GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી

    November 3, 2025
    મુખ્ય સમાચાર

    Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ

    November 3, 2025
    રાજકોટ

    Rajkot:રાજયભરનાં વેપારીઓ દ્વારા રાજીનામાનો ઢગલો કરી દેવા ચિમકી

    November 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    Afghanistan માં 6.3ની તીવ્રતાનો જોરદાર Earthquake : 7 લોકોના મોત, 150થી વધુ ઘાયલ

    November 3, 2025
    ખેલ જગત

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ ટાઇટલ પોતાના નામે કર્યું

    November 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ત્રણ વર્ષમાં એક અબજ લોકોએ અપનાવ્યું AI

    November 3, 2025

    Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું

    November 3, 2025

    GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી

    November 3, 2025

    Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ

    November 3, 2025

    women’s team પર ઈનામોનો વરસાદ : રૂા.90 કરોડ મળશે

    November 3, 2025

    1975 માં પીએમ ઇન્દિરા ગાંધી સાથે સૌપ્રથમ ભારતીય મહિલા ટીમ

    November 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ત્રણ વર્ષમાં એક અબજ લોકોએ અપનાવ્યું AI

    November 3, 2025

    Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું

    November 3, 2025

    GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી

    November 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.