Nepal,તા.19
9 સપ્ટેમ્બરના રોજ, નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શનોના દબાણ વચ્ચે કેપી શર્મા ઓલીએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું. ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરેલા લોકોના તોફાનમાં નેપાળી સરકાર ડૂબી ગઈ. રાજીનામું આપ્યાના દસ દિવસ પછી, ઓલી પહેલી વાર જાહેરમાં દેખાયા.
નેપાળના પદભ્રષ્ટ વડા પ્રધાન ઓલી 10 દિવસ પછી જાહેરમાં દેખાયા. ગુરુવારે તેમને શિવપુરી લશ્કરી બેરેકથી ભક્તપુર લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના માટે એક ઘર ભાડે રાખવામાં આવ્યા છે.
8 અને 9 સપ્ટેમ્બરના રોજ જેન – ઝી દ્વારા વિરોધ પ્રદર્શન પછી ઓલી વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનથી આર્મી હેલિકોપ્ટરમાં નીકળ્યા હતા. ઓલીને શિવપુરીમાં લશ્કરી બેરેકમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.
વિરોધીઓએ કાઠમંડુમાં તેમના ખાનગી ઘર, ઝાપામાં તેમના પૈતૃક ઘર અને દમકમાં તેમના ઘરને આગ ચાંપી દીધી હતી. પરિણામે, તેમના માટે બીજું ભાડાનું ઘર મળી ગયું. તેમને આર્મી હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવ્યા.
ઓલી તેમના નવા ભાડાના ઘરમાં પહોંચ્યા ત્યારે તેમને કેટલાક સમર્થકોએ આવકાર્યા. નેપાળી યુવાનોએ સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે હિંસક વિરોધ પ્રદર્શનો કર્યા છે, જેના પરિણામે 20 થી વધુ લોકો માર્યા ગયા છે. સંસદ ભવન અને ઓલીના અંગત નિવાસસ્થાન સહિત અનેક સરકારી ઇમારતોને આગ ચાંપી દેવામાં આવી હતી.
ઓલીએ રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું, જે 10 સપ્ટેમ્બરના રોજ સ્વીકારવામાં આવ્યું હતું. તેમના રાજીનામા બાદ, ઓલી અને અન્ય મંત્રીઓએ સેનાના શિવપુરી બેરેકમાં આશરો લીધો, અને તેમના ઠેકાણા અંગે અફવાઓ ફેલાઈ ગઈ.