Junagadh તા. ૨૨
જુનાગઢના શક્તિ પીઠ એવા ગિરનારના સૌથી ઊંચી ટૂંક પર સ્થિત મા અંબાજીના મંદિરે આજે પ્રથમ નોરતાની વહેલી સવારે, શુભ ચોઘડિયે, મંત્રોચ્ચાર અને આહવાન સાથે માતાજીના જયજયકાર સાથે ધટ સ્થાપન કરવામાં આવ્યું હતું, તે સાથે અનેક માઈ ભક્તો એ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો, અને આઠમે ગિરનારના અંબાજી મંદિર ખાતે યજ્ઞનું આયોજન થશે, એ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તો યજ્ઞના દર્શન કરવા માટે પહોંચી, માતાજીના પાવન દર્શન કરી ધન્યતા અનુભવશે.