Rajkot, તા. 23
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તેમની રાજકોટ મુલાકાત દરમ્યાન રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના પરિસરમાં જિલ્લા બેન્કના શિલ્પી સ્વ. વલ્લભભાઈ પટેલ અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાઓનું અનાવરણ કર્યુ હતું.
રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.
સહકારી ક્ષેત્રની બેંકને આગળ લઇ જનાર બન્ને વિભૂતિઓની પ્રતિમાનાં અનાવરણ પ્રસંગે મંત્રીએ તેઓના યોગદાનને યાદ કરી પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. આ તકે કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમ, ડી.સી.પી.જગદીશ બાંગરવા સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.