Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 23, 2025

    અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: Jamnagar માં ‘મશાલ રાસ’ રમી નવરાત્રિની અનોખી ઉજવણી

    September 23, 2025

    Indian Airspace માં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો

    September 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
    • અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: Jamnagar માં ‘મશાલ રાસ’ રમી નવરાત્રિની અનોખી ઉજવણી
    • Indian Airspace માં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો
    • કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશવ્યાપી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો, 4 રાજ્યોથી કરી શરૂઆત
    • જયશંકરને મળ્યા બાદ US Secretary માર્કો બિયોએ કહ્યું કે,ભારત અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ
    • US H-1B visa ફ્રીના તોતીંગ વધારામાં ડોકટરોને રાહત મળવાના સંકેત
    • Europe માં ગરમીનો હાહાકાર : એક જ વર્ષમાં 62 હજારનાં મોત
    • Prithvi Shaw કથિત ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલના મિની વ્લોગમાં જોવા મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat ના રાજકારણમાં મોટા ફેરફારો આવશે: મંત્રીમંડળ વિસ્તરણની ફાઇલ લઈ CM દિલ્હીમાં
    ગુજરાત

    Gujarat ના રાજકારણમાં મોટા ફેરફારો આવશે: મંત્રીમંડળ વિસ્તરણની ફાઇલ લઈ CM દિલ્હીમાં

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar ,તા.23
    ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રી દરમ્યાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. વર્તમાન ક્યા મંત્રી કપાશે અને ક્યા નવા ચહેરા આવશે તે અંગે અટકળો વહેતી થઇ છે.

    નવરાત્રીના સમયમાં જ ભાજપમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતોના અંતે કેબિનેટના વિસ્તરણને પાકાપાયે મંજૂરી મળી ગઇ છે.

    ખાસ કરીને નબળો દેખાવ કરનારા મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે અને પાર્ટીના સંગઠનમાં જે અસંતોષને તેને ખાળવા માટે નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે.

    હવે નવા મંત્રીમંડળની જાહેરાત પણ નવરાત્રીમાં થશે અને ત્યારબાદ શપથવિધિ પણ આ જ પાવન પર્વના દિવસોમાં થશે. ગૃહમંત્રી અમિત શાહે હાલ સુરતની મુલાકાત લીધી હતી તે સમયે તેઓ એક કલાક સુધી પાટીલ સાથે બંધ બારણે બેઠક કરી હતી.

    રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓ પ્રમાણે ચાર વર્ષ પછી થનારા વિસ્તરણમાં 12 થી 15 નવા ચહેરા આવી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ હેતુસર આવતીકાલ મંગળવારે નવી દિલ્હી જઇ રહ્યાં છે. તેમની મુલાકાત દરમ્યાન ગુજરાતનું નવું સંભવિત મંત્રીમંડળ નિશ્ચિત થશે.

    ગુજરાતના નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા, અર્જુન મોઢવાડીયા, સી.જે.ચાવડા, સંગીતા પાટીલ, સંદીપ દેસાઈ, રિવાબા જાડેજા અથવા ડો.દર્શિતા શાહ, મેઘજીભાઈ ચાવડા અથવા ઉદય કાનગડ, ડો.પ્રદ્યુમન વાજા, સહિતના નામો ચર્ચામાં છે અને તેમને પ્રબળ રીતે મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવું નિશ્ચિત મનાઈ છે.

    ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં શાસનના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ 2027માં થવાની છે ત્યારે તે પહેલાં કેબિનેટનું વિસ્તરણ કરીને ભાજપ હાઇકમાન્ડ એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને દૂર કરવા માગે છે. ભૂતકાળમાં પણ હાઇકમાન્ડે આખે આખું મંત્રીમંડળ બદલી નાંખ્યું હોવાના દાખલા છે.

    હવે જોવાનું એ રહે છે કે હાલના મંત્રીમંડળમાંથી ક્યા સભ્યો કપાય છે અને ક્યા નવા ચહેરાઓને સ્થાન મળે છે. ઉલ્લેખનીય છે કે હવે જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ યોજાશે.

    હાલનું મંત્રીમંડળ 
    હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ઉપરાંત કનુભાઇ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, મુળુ બેરા અને કુબેર ડિંડોર મળીને કેબિનેટના આઠ સભ્યો છે.

    જ્યારે સ્વતંત્ર હવાલો ધરાવતા બે રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા છે. એ ઉપરાંત રાજ્યમંત્રીમાં બીજા છ મંત્રીઓ – મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભિખુભાઇ પરમાર, બચુ ખાબડ, પરસોત્તમ સોલંકી અને કુંવરજી હળપતિ છે.

    આટલા મંત્રીઓની હકાલપટ્ટી 
    એવું માનવામાં આવે છે કે કેબિનેટમાંથી ત્રણ અને રાજ્યકક્ષામાંથી છ મંત્રીઓ પડતા મૂકાઇ શકે છે પરંતુ છેલ્લી ઘડીએ હાઇકમાન્ડ ક્યો ફેસલો કરે છે તે મંત્રીમંડળની શપથવિધિ સમયે ખબર પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના કારણે ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

    એટલું જ નહીં એક ડઝન કરતાં વધુ સભ્યોની કામગીરી સંતોષજનક દેખાતી નથી. હાલ એવી પણ ચર્ચા છે કે ભાનુબેન બાબરીયા, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કુબેર ડિંડોર, બચુ ખાબડ, ભીખુભાઈ પરમાર જેવા મંત્રીઓને પડતા મુકાઈ તેવી શકયતા છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 23, 2025
    જામનગર

    અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: Jamnagar માં ‘મશાલ રાસ’ રમી નવરાત્રિની અનોખી ઉજવણી

    September 23, 2025
    રાષ્ટ્રીય

    Indian Airspace માં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો

    September 23, 2025
    રાષ્ટ્રીય

    જયશંકરને મળ્યા બાદ US Secretary માર્કો બિયોએ કહ્યું કે,ભારત અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ

    September 23, 2025
    રાષ્ટ્રીય

    US H-1B visa ફ્રીના તોતીંગ વધારામાં ડોકટરોને રાહત મળવાના સંકેત

    September 23, 2025
    આંતરરાષ્ટ્રીય

    Europe માં ગરમીનો હાહાકાર : એક જ વર્ષમાં 62 હજારનાં મોત

    September 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 23, 2025

    અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: Jamnagar માં ‘મશાલ રાસ’ રમી નવરાત્રિની અનોખી ઉજવણી

    September 23, 2025

    Indian Airspace માં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો

    September 23, 2025

    કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશવ્યાપી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો, 4 રાજ્યોથી કરી શરૂઆત

    September 23, 2025

    જયશંકરને મળ્યા બાદ US Secretary માર્કો બિયોએ કહ્યું કે,ભારત અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ

    September 23, 2025

    US H-1B visa ફ્રીના તોતીંગ વધારામાં ડોકટરોને રાહત મળવાના સંકેત

    September 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 23, 2025

    અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો: Jamnagar માં ‘મશાલ રાસ’ રમી નવરાત્રિની અનોખી ઉજવણી

    September 23, 2025

    Indian Airspace માં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો

    September 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.