Rajkot તા.૧૮ઃ
રાજકોટ સ્થિત જાણીતી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ દ્વારા શિક્ષકો અને ટેકનીકલ ક્ષેત્રના ઉત્સાહીઓ માટે ઈમરજીંગ સેમીકન્ડકટર ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સીસ્ટમ એઆઈ, આઈઓટી ઈન્ટીગ્રેશન વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની વર્કશોપનું આગામી તા. રપ તથા ર૬ સપ્ટેમ્બર-ર૦ર૬ના દિવસોમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
હાલના સમયમાં ભારત સરકારના નસ્ત્રસેમીકન્ડકટર ઈન્ડીયા મીશનસ્ત્રસ્ત્ર અંતર્ગત ઈલેકટ્રોનીકસ અને ચીપ ડીઝાઈન ક્ષોત્રે ક્રાંતિકારી ફેરફારો થઈ રહ્યા છે. આ ક્ષેત્રે ઝડપથી વધી રહેલી માંગ અને નવીનતમ ટેકનોલોજીથી ભવિષ્યના વિદ્યાર્થીઓને સુસજજ કરનાર ફેકલ્ટીઓને ટ્રેનીંગ આપવા માટે બે દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપ આયોજીત કરવા અઈંઈઝઊ દ્વારા ચાલતા નસ્ત્રવાણીસ્ત્રસ્ત્ર કાર્યક્રમ અંતર્ગત અનુદાન મળેલ છે. આ અનુદાન વી.વી.પી. કોલેજના ગઇઅ એક્રીડીટેડ ઈલેકટ્રોનીકસ અને કોમ્યુનીકેશન વિદ્યાશાખાના ફેકલ્ટી પ્રો. શેરોન એચ. ક્રિષ્ટી અને પ્રો. ડો. વિશાલ નિમાવતને મળેલ છે.
સંસ્થાના આચાર્યશ્રી ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ ઈલેકટ્રોનીકસ અને કોમ્યુનીકેશન વિભાગના વડા ડો. ચાર્મીબેન ચાંગેલાના માર્ગદર્શન હેઠળ આ બંને શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહેલ છે.
વર્કશોપના મુખ્ય આકર્ષણો અને હેતુઓ
દ નિષ્ણાંતોનું માર્ગદર્શન આ વર્કશોપમાં સેમીકંડકટર અને ઈલેકટ્રોનીકસ ઈન્ડસ્ટ્રીઝના અનુભવી તજજ્ઞો તથા વિષય નિષ્ણાંતો દ્વારા પ્રેકટીસ અને થીયરીકલ જ્ઞાન આપવામાં આવશે.
દ ચીપ ડીઝાઈનીંગ અને મેન્યુફેકચરીંગ સેમીકન્ડકટરના ઉત્પાદન, આઈસી ડીઝાઈન વર્તમાન ટેકનોલોજી જેવી કે એઆઈ અનેઆઈઓટીના સેમીકંડકટર માટેના ઉપયોગ અંગેનું ઉંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવશે.
દ રોજગાર અને રીસર્ચની તકો ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝમાં સેમીકંડકટરમાટે એન્જીનીયર્સની ઉભી થનારી નવી તકો અને ભવિષ્યના સ્કોપ અંગે વિશેષ ચર્ચા આદાન-પ્રદાન કરવામાં આવશે.
આ બે દિવસીય વર્કશોપ ભારત સરકારની ગઊઙ૨૦૨૦ની પહેલ અંતર્ગત ગુજરાતી ભાષામાં આયોજીત કરવામાં આવેલ છે. દેશ-રાજયમાંથી વિવિધ ડીપાર્ટમેન્ટ તથા ઈન્ડસ્ટ્રીમાંથી મોટી સંખ્યામાં ફેકલ્ટી મેમ્બર્સ, રીસર્ચર્સ વર્કશોપમાં ભાગ લેવા નોંધણી કરાવેલ છે.
આ વર્કશોપ સફળ રહે તે માટે સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી કેોશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા,શ્રી હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવીનભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી છે.

