Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025

    ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના
    • Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા
    • ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે
    • 26 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 26 સપ્ટેમ્બર નું રાશિફળ
    • વિસ્થાપિત Kashmiri હિન્દુઓને નોકરીમાં છૂટછાટ આપવી જોઈએ, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
    • Mithun Chakraborty વિરુદ્ધ કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી નહીં,કોલકાતા હાઈકોર્ટે ટીએમસી નેતાને આદેશ આપ્યો
    • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાંકે બિહારી મંદિર અને નિધિવનની મુલાકાત લીધી અને વૃંદાવનમાં કલ્પવૃક્ષનો છોડ વાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»’Malnutrition-Free Gujarat’ અભિયાનનું સૂરસુરિયું, કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહારો:કેગના અહેવાલ
    ગુજરાત

    ’Malnutrition-Free Gujarat’ અભિયાનનું સૂરસુરિયું, કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહારો:કેગના અહેવાલ

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૫

    ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાતના વિકાસ મોડલ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગુજરાતના સ્થાપના દિવસથી જ રાજ્ય વિકાસમાં અગ્રેસર રહ્યું હોવા છતાં, આજે પણ રાજ્ય પર કુપોષણનું લાંછન હોવાનો આક્રોશ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે ભાજપના છેલ્લા ત્રણ દાયકાના શાસનકાળ દરમિયાન કુપોષણની સમસ્યા યથાવત રહેવા બદલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

    ચાવડાએ જણાવ્યું હતું કે, કેગના અહેવાલમાં પણ ગુજરાતમાં કુપોષણની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે કહેવાતા ’મોદી મોડલ’ના ગુજરાતમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ કુપોષણની સમસ્યા આજે પણ યથાવત છે. તેમના મતે, ભાજપના ત્રણ દાયકાના શાસન દરમિયાન ગુજરાત પર આ સૌથી મોટું લાંછન છે. આંકડા ટાંકીને તેમણે કહ્યું કે આખા દેશમાં કુપોષિત જિલ્લાઓની યાદીમાં કુલ ૧૦ પૈકી પાંચ જિલ્લા એકલા ગુજરાતના છે. ખાસ કરીને આદિવાસી જિલ્લાઓમાં કરોડો રૂપિયાના ખર્ચ છતાં કુપોષણનું ઊંચું પ્રમાણ જોવા મળે છે, જે સરકારી યોજનાઓની નિષ્ફળતા દર્શાવે છે.

    અમિત ચાવડાએ કુપોષણ સામેની લડાઈના મુખ્ય કેન્દ્રો એવા આંગણવાડીઓની સ્થિતિ પર પણ ધ્યાન દોર્યું. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતની વસ્તીના પ્રમાણમાં રાજ્ય પાસે પૂરતા આંગણવાડી કેન્દ્રો નથી. જે કેન્દ્રો છે, તેમાંથી અનેક ભાડાના મકાનમાં ચાલે છે અને ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અનેક આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે જ્યાં લાઇટ, પાણી કે ટોઇલેટની વ્યવસ્થા પણ નથી. સરકાર ખરીદીઓમાં ભ્રષ્ટાચાર કરવામાં મસ્ત છે, જ્યારે આંગણવાડી જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે, “ભાજપના મળતિયા અને અધિકારીઓ ક્યારેય કુપોષિત થતા નથી, કુપોષણનો ભોગ માત્ર ગરીબ અને સામાન્ય પ્રજા જ બને છે.”

    ચાવડાએ આંગણવાડી કાર્યકરો (બહેનો)ના મુદ્દે પણ સરકારની આલોચના કરી. તેમણે કહ્યું કે જ્યારે **ભીડ ભેગી કરવાની** હોય કે અન્ય કામ હોય, ત્યારે સરકાર આંગણવાડીની બહેનોનો ઉપયોગ કરે છે, પરંતુ તેમના હિતની વાત આવે ત્યારે સરકાર ગંભીરતા દાખવતી નથી. તેમણે ઉમેર્યું કે, હાઇકોર્ટે આદેશ આપ્યો હોવા છતાં પણ સરકાર આંગણવાડી બહેનોને પૂરતો પગાર આપવામાં ગંભીર નથી, તેમને કાયમી કરવામાં આવતી નથી અને તેમનો પગાર પણ પૂરતો નથી.

    આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ સરકાર સમક્ષ નીચે મુજબની તાત્કાલિક માંગણીઓ મૂકીઃ

    ૧. આંગણવાડી બહેનોને પૂરતો પગાર આપવામાં આવે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે.

    ૨.  રાજ્યની વસ્તીના પ્રમાણમાં નવા આંગણવાડી કેન્દ્રો તાત્કાલિક બનાવવામાં આવે અને હાલના જર્જરિત કેન્દ્રોને સુવિધા યુક્ત બનાવવામાં આવે.

    ૩.  ૨૦% બાળકો હજી પણ યોજનાનો લાભ લઇ શકતા નથી. સરકારે આ બાળકોનો સર્વે કરીને તેમને પોષણ યોજનાઓનો તાત્કાલિક લાભ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

    ચાવડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો ગુજરાતને કુપોષણના લાંછનમાંથી મુક્ત કરવું હોય, તો સરકારે માત્ર વાતો કરવાને બદલે જમીની સ્તરે નક્કર કામગીરી કરવી પડશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhinagar માં સાઇકો કિલરના મોત બાદ પરિવારે આરોપીનો મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો

    September 25, 2025
    ગુજરાત

    દારૂની હેરાફેરી કરવા દેવા માટે લાંચ લેતા Valsad ના બે હોમગાર્ડની ધરપકડ કરાઇ

    September 25, 2025
    અમદાવાદ

    Ahmedabad ના કણભામાં પોલીસે વાઇબ્રન્ટ પાર્કમાંથી ૨૨૩ કિલો ભેળસેળ ઘી પકડી પાડ્યું

    September 25, 2025
    અમદાવાદ

    CM ભુપેન્દ્ર પટેલ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી

    September 25, 2025
    અમદાવાદ

    શિક્ષણ મંત્રી ઋષિકેશની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીની ઉજવણી

    September 25, 2025
    ગુજરાત

    Kheda જિલ્લામાં નકલી સર્ટિફિકેટ કૌભાંડ, ૧૧૨ શિક્ષકોની ખોટી રમત ઝડપાઈ

    September 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025

    ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે

    September 25, 2025

    26 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 25, 2025

    26 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 25, 2025

    વિસ્થાપિત Kashmiri હિન્દુઓને નોકરીમાં છૂટછાટ આપવી જોઈએ, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

    September 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Andhra Pradesh-Telangana માં ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના

    September 25, 2025

    Jetpur માં મકાનમાંથી જુગારધામ ઝડપાયું: છ શખ્સ પકડાયા

    September 25, 2025

    ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી Missile નું સફળ પરીક્ષણ કર્યુંઆ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે

    September 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.