Rajkot,તા.1
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા નામના બે સ્ટેશન છે – ચાંદલોડિયા ‘A’ અને ચાંદલોડિયા ‘B’. યાત્રીઓને અપીલ છે કે તેઓ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ શરૂ કરતા પહેલાં એ ખાતરી કરી લે કે તેમની ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી રહી છે. સાચા સ્ટેશનની માહિતી લેવાથી ટ્રેન ચૂકી જવાથી અથવા અન્ય અસુવિધાઓથી બચી શકાય છે.
ચાંદલોડિયા બી સ્ટેશનમાં 20937 – પોરબંદર – દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ, 20938 – દિલ્હી સરાય રોહિલ્લા – પોરબંદર એક્સપ્રેસ, 19269 – પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ, 19270 – મુઝફ્ફરપુર – પોરબંદર એક્સપ્રેસ, 22958 – વેરાવળ – ગાંધીનગર કેપિટલ સોમનાથ એક્સપ્રેસ, 22957 – ગાંધીનગર કેપિટલ – વેરાવળ સોમનાથ એક્સપ્રેસ, 19120 – વેરાવળ – ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, 19119 – ગાંધીનગર કેપિટલ – વેરાવળ એક્સપ્રેસ, 09569 – રાજકોટ – બરૌની સ્પેશિયલ, 09570 – બરૌની – રાજકોટ સ્પેશિયલ, આગમન પ્રસ્થાન રહેશે.
પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝન યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ પ્રવાસ પહેલાં તેમની ટ્રેનનું સાચું સ્ટેશન ચોક્કસપણે તપાસી લે અને સમયસર ત્યાં પહોંચે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.