નવી દિલ્હી તા.3
દેશભરમાં થઈ રહેલા અપરાધોમાં સગીરોની સંડોવણી વધવા લાગી છે, ખાસ કરીને હત્યા, દુષ્કર્મ, અપહરણ અને ચોરીના કેસમાં. તેમાં પણ કેન્દ્ર શાસીત પ્રદેશ દિલ્હીમાં થયેલા અપરાધોમાં 40 ટકાથી પણ વધુ કેસમાં સગીર સામેલ રહ્યા. આ ખુલાસો એનસીઆરબીના તાજેતરના 2023ના રિપોર્ટમાં થયો છે. જેમાં અપરાધના લગભગ દરેક ક્ષેત્રમાં લગભગ સગીર સામેલ થયા. એમાં કેટલાક એવા પણ મામલા બહાર આવ્યા જેમાં રેપ, હત્યા અને ડિડનેપીંગના કેસમાં 12 વર્ષથી ઓછી વયના સગીરો સામેલ થયા હતા.
એનસીઆરબીના રિપોર્ટ મુજબ દેશભરમાં થયેલા અપરાધોમાં 30,556 કેસમાં સગીરો સામેલ રહ્યા, જે 2023માં વધીને 31,365 થઈ ગયા. તેમાં કેન્દ્રશાસીત પ્રદેશોમાં થયેલા ક્રાઈમમાં 41 ટકાથી પણ વધુ કેસોમાં સગીરો સામેલ હતા. જયારે ચંદીગઢમાં 36 અને પુડુચેરીમાં 27 ટકાથી વધુ અપરાધોના મામલામાં સગીર સામેલ રહ્યા.
આ રીતે રાજયોમાં છતીસગઢ, હરિયાણા ટોપ પર રહ્યા, જયાં 17 ટકાથી વધુ મામલામાં સગીર સંડોવાયેલા હતા. ત્યારબાદ તામિલનાડુમાં 14 ટકાથી વધુ મામલામાં સગીરો હતા.
આંકડા બતાવે છે કે મર્ડરના 995 અને હત્યાના પ્રયાસના 1476 કેસમાં સગીર આરોપી રહ્યા. હત્યાના 6 કેસમાં 12 વર્ષથી ઓછા અને 308 કેસમાં 12થી16 વર્ષની વયના સગીર આરોપી રહ્યા, તેમાં 7 છોકરીઓ સામેલ છે, જયારે દુષ્કર્મના 977 કેસમાં સગીર સામેલ રહ્યા. તેમાં 10 કેસમાં 12 વર્ષથી ઓછી વયના અને 264 કેસમાં 12થી16 વર્ષની વયના સગીર આરોપી રહ્યા.
દંગાના કેસમાં પણ સગીરો પાછળ નથી રહ્યા. જયારે ચોરીના 6557 અને ઘરફોડ ચોરીના 2015 કેસોમાં સગીર સામેલ થયેલા બહાર આવ્યા હતા. અપહરણના કેસોમાં પણ સગીરો પાછળ નથી. અપહરણના 931 કેસમાં સગીર આરોપી રહ્યા. આ ઉપરાંત મારપીટ કરવા અને અન્ય પ્રકારના ગંભીર ઉપરાંત મારપીટ અને અન્ય પ્રકારના ગંભીર ઈજા પહોંચાડવાના 5836 મામલામાં સગીરોની સંડોવણી ખુલી હતી.
દર 17 મીનીટે એક મર્ડરઃ ભારતમાં દર 17 મીનીટે એક મર્ડર થાય છે. આ સપ્તાહે જાહેર એનસીઆરબીના ક્રાઈમ ડેટા અનુસાર જયાં વર્ષ 2023માં ભારતમાં દર 17 મિનિટે એક હત્યા થઈ છે. ત્યારે વર્ષ 2022નો આંકડો થોડો બહેતર છે. 2022માં દર 16 મીનીટે એક હત્યા થઈ છે. આ રીતે કેટલાક ગંભીર અપરાધોની ફ્રિકવન્સી જેમકે રેપ, દહેજ હત્યા અને ધાડમાં પણ ઘટાડો થયો છે.
પરંતુ, અનેક અપરાધોમાં કોઈ ફેરફાર નથી થયા, જેમકે ચોરી, પતિ દ્વારા ક્રુરતા અને છેડતી. આ ઉપરાંત કુલ અપરાધોની સંખ્યા હજુ પણ ચોંકાવનારા સ્તર પર છે. કેટલાક મામલામાં અપરાધની સ્થિતિ વધુ બગડી ગયેલી છે. કારણ કે બ્લેકમેલ અને જબરદસ્તીથી વસુલી લેવા મામલામાં ઝડપથી વધારો થયો
ક્રાઈમ કલોક ભારતમાં-દર મિનીટે થતી ગુનાખોરી
દેશમાં દર 1 મિનિટે મારપીટ, 3 મિનિટે હત્યાની કોશીશ, ઈરાદા વિના હત્યા, 56 મીનીટે આત્મહત્યા માટે ઉશ્કેરણી, 8 મીનીટે અપહરણ 17 મીનીટે હત્યા, 4 મીનીટે પતિ કે સબંધીઓ દ્વારા ક્રુરતા, 6 મીનીટે છેડતી, 18 મીનીટે રેપ, 75 મીનીટે દહેજ હત્યા, 3 કલાકે રેપનો પ્રયાસ, 1 મીનીટે ચોરી, 3 મીનીટે ઠગાઈ, છેતરપીંડી, 27 મીનીટે ધાડ, 23 મીનીટે વિશ્વાસઘાત, 43 મીનીટે ખંડણી-બ્લેકમેલ જેવા ગુનાઓ નોંધાય છે.