Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર

    December 2, 2025

    બી.એડ કરેલી પરિણીતા અને પતિ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને Ahmedabad માં છૂટક વેચતા હતા

    December 2, 2025

    સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!

    December 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
    • બી.એડ કરેલી પરિણીતા અને પતિ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને Ahmedabad માં છૂટક વેચતા હતા
    • સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!
    • Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો
    • ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi
    • એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
    • Junagadh : મહિલાને સોશીયલ મીડીયામાં મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા કઢાવનાર આરોપી પકડી પાડ્યો
    • Amreli : ૧૪ વર્ષ પહેલાં ગુમ થયેલ એક મહિલા તથા બે બાળકીઓને શોધી કાઢતી અમરેલી LCB ટીમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, December 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»અગરકર ચીફ સિલેક્ટર બન્યા પછી અનેક ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા છોડી
    ખેલ જગત

    અગરકર ચીફ સિલેક્ટર બન્યા પછી અનેક ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા છોડી

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.07

    છેલ્લા એક વર્ષમાં ટીમ ઈન્ડિયામાં ઘણાંં ફેરફારો જોવા મળ્યા છે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણાંં નવા ખેલાડીઓએ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતુ આ ફેરફારના કારણે સોશિયલ મીડિયા પર ચાહકોથી લઈને નિષ્ણાતોના નિશાન પર ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર છે. ગંભીર પર આરોપ લાગી રહ્યા છે કે, તેઓ હેડ કોચના પદ પર આવ્યા પછી જ આ ફેરફારો થયા છે. જોવા જઈએ તો આ સાચું પણ છે પરંતુ પડદા પાછળ ચીફ સિલેક્ટર અજિત અગરકરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેની એન્ટ્રી પછી ઘણાંં ભારતીય ક્રિકેટના ઘણાં દિગ્ગજો રિટાયર થઈ ગયા છે.

    અજિત અગરકર જુલાઈ 2023માં ટીમ ઈન્ડિયાના સિલેક્ટર બન્યા હતા. આ સમયે ટીમ ઈન્ડિયામાં ફેરફારની વાતો થઈ રહી હતી, પરંતુ થતું દેખાતું નહોતું. પરંતુ અગરકરે ચાર્જ સંભાળ્યા પછી તેણે ધીમે-ધીમે ફેરફારની પ્રક્રિયા શરૂ કરી અને તેની શરૂઆત ટેસ્ટ ટીમના બે મોટા દિગ્ગજોથી થઈ.

    ચેતેશ્વર પૂજારા

    છેલ્લા દાયકામાં ભારતીય ટીમ માટે ટેસ્ટ બેટ્સમેન તરીકે સૌથી મોટી ઓળખ બનાવનાર ચેતેશ્વર પુજારાનું પત્તું સૌથી પહેલા કપાયું. 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં રમ્યા બાદ પૂજારાને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ ફાઈનલ પછી જ અગરકર ચીફ સિલેક્ટર બન્યો હતો, અને પછી પુજારાની વાપસી ન થઈ શકી. ટીમમાંથી બહાર થયા બાદ પણ પૂજારાએ ડોમેસ્ટિક અને કાઉન્ટી ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું અને રન પણ બનાવ્યા. પરંતુ જ્યારે આ બધું નિષ્ફળ ગયું અને અગરકરની પસંદગી સમિતિ તેમના માટે પોતાના દરવાજા ન ખોલ્યા ત્યારે પુજારાએ તાજેતરમાં જ સંન્યાસનું એલાન કરી દીધું.

    અજિંક્ય રહાણે

    પુજારાની જેમ જ અજિંક્ય રહાણે પણ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ બેટિંગનો મુખ્ય આધાર હતો અને ઘણી વખત ટીમમાંથી બહાર થયા બાદ ટીમમાં વાપસી પણ કરી. WTC 2023ની ફાઈનલમાં તેની વાપસી એવી જ હતી, જ્યાં તેણે સૌથી વધુ રન પણ બનાવ્યા હતા. ત્યારબાદ બીજી જ સીરિઝ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી જ્યાં રહાણેને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. પરંતુ અગરકરે કમાન સંભાળતાની સાથે જ આગામી સારિઝથી જ રહાણે માટે ટીમના દરવાજા બંધ થઈ ગયા. આ સ્ટાર બેટ્સમેન ત્યારથી નિયમિતપણે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે, પરંતુ હવે તેની વાપસીની શક્યતા ઓછી છે, અને તે ગમે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

    રવિચંદ્રન અશ્વિન

    છેલ્લા એક દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમની સફળતાના સૌથી મોટા કારણોમાંથી એક રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન અચાનક નિવૃત્તિ લઈ લીધી હતી. જોકે, સીરિઝ વચ્ચે અશ્વિનની નિવૃત્તિ આશ્ચર્યજનક હતી, અને આની પાછળ કદાચ અગરકર સંપૂર્ણપણે જવાબદાર ન હતા. ગંભીરે આમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય તેવું લાગે છે, તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને સતત ત્રણ ટેસ્ટમાં તક ન આપી. પરંતુ શું ન્યૂઝીલેન્ડ સામેની ઘરેલુ સીરિઝમાં હાર બાદ સિલેક્ટર અગરકરે અશ્વિનને કોઈ ફેરફારનો સંકેત આપ્યો હતો?

    રોહિત શર્મા

    ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું અચાનક આસમાન પરથી જમીન પર આવવું ખૂબ જ ચોંકાવનારું રહ્યું છે. ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં રોહિતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેમ છતાં તેણે રમવાનું ચાલુ રાખવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પરંતુ મે મહિનામાં તેણે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા હતા. હવે, વન-ડે ફોર્મેટમાં અગરકરે રોહિત પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી છે, જેનાથી કદાચ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફોર્મેટમાં પણ ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત નથી.

    વિરાટ કોહલી

    સચિન તેંડુલકર બાદ ભારતીય ક્રિકેટ અને કદાચ વિશ્વ ક્રિકેટમાં પણ સૌથી મોટો બેટ્સમેન વિરાટ કોહલી અચાનક એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત લાવશે તેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. પરંતુ અગરકર અને ગંભીરે ટીમમાં ફેરફારોનો હવાલો આપીને આ દિગ્ગજ બેટ્સમેનને સ્પષ્ટ કરી દીધું કે, ટીમ ઈન્ડિયા તેના વિના પણ આગળ વધવા માટે તૈયાર છે, અને જો કોહલી ટૂંક સમયમાં વન-ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી દે તો તે આશ્ચર્યજનક નથી.

    મોહમ્મદ શમી

    આ યાદીમાં તાજુ નામ સ્ટાર ફાસ્ટ બોલર શમીનું છે. છેલ્લા 8-9 વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની સફળતા અને પછી સતત બે વન-ડે વર્લ્ડ કપમાં લગભગ 40 વિકેટ લઈ ચૂકેલો શમી અચાનક દરેક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની યોજનાઓમાંથી બહાર નજર આવી રહ્યો છે. 2023 વર્લ્ડ કપ પછી આખા વર્ષ સુધી ફિટનેસ સાથે સંઘર્ષ કર્યા પછી શમીએ આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાપસી કરીને નવ વિકેટ લીધી અને ટીમને વિજય અપાવ્યો હતો. જોકે, ફિટનેસના નામ પર તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેનું સિલેક્શન કરવામાં ન આવ્યું, અને હવે કોઈ પણ કારણ જણાવ્યા વિના તેને ઓસ્ટ્રેલિયામાં વન-ડે સીરિઝમાંથી પણ બહાર રાખવામાં આવ્યો. સ્પષ્ટપણે અગરકર એન્ડ કંપનીએ શમીનું ભવિષ્ય નક્કી કરી લીધું છે.

    Agarkar became chief selector Many players left Team India
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવનાર ખેલાડીઓને રેલવેએ ભેટ આપી, ત્રણ ખેલાડીઓને સીધી પ્રમોટ કરી

    December 2, 2025
    ખેલ જગત

    Nathan Lyon ગ્લેન મેકગ્રાથને પાછળ છોડી શકે છે, જેને ગાબા ટેસ્ટમાં સિદ્ધિ હાંસલ કરવાની જરૂર છે

    December 2, 2025
    ખેલ જગત

    Women’s Hockey Team ના મુખ્ય કોચનું રાજીનામું, ડચ અનુભવી ખેલાડી મુખ્ય ભૂમિકા ભજવી શકે છે

    December 2, 2025
    ખેલ જગત

    શું Rohit Sharma ફરી ઇતિહાસ રચશે, ફક્ત ૪૧ રન તેને સચિન અને વિરાટના ખાસ ક્લબમાં પ્રવેશ અપાવશે

    December 2, 2025
    ખેલ જગત

    IPL 2026માં નહીં રમે દિગ્ગજ ખેલાડી Glenn Maxwell

    December 2, 2025
    ખેલ જગત

    ઘરેલુ હિંસામાં ફસાયેલા દિગ્ગજ ક્રિકેટરનો ”Hall of Fame ‘નો દરજ્જો અને લાઇફ મેમ્બરશીપ છીનવાયા

    December 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર

    December 2, 2025

    બી.એડ કરેલી પરિણીતા અને પતિ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને Ahmedabad માં છૂટક વેચતા હતા

    December 2, 2025

    સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!

    December 2, 2025

    Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો

    December 2, 2025

    ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi

    December 2, 2025

    એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો

    December 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર

    December 2, 2025

    બી.એડ કરેલી પરિણીતા અને પતિ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને Ahmedabad માં છૂટક વેચતા હતા

    December 2, 2025

    સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!

    December 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.