Surendranagar , તા.8
ધ્રાંગધ્રા શહેરમાં એક મીઠાઈ અને ફરસાણના વેપારી સામે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. આ ગુનો તેમના પિતરાઈ ભાઈએ પોતાની દુકાન પચાવી પાડવાના આરોપ સાથે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે નોંધાવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર
આવેલી યોગેશભાઈ ગુણવંતભાઈ શેઠના પિતા અને પૂર્વજોની મિલકતમાં તમામ વંશજોના સરખા ભાગ પાડવાના હતા. આ મિલકતમાં શહેરના કંસારા બજાર વિસ્તારમાં આવેલી ‘ભારત સ્વીટ માર્ટ’ નામની દુકાનનો પણ સમાવેશ થાય છે.
આરોપ છે કે, યોગેશભાઈના પિતરાઈ ભાઈ મયુરભાઈ જયંતીલાલ શેઠે છેલ્લા કેટલાક સમયથી આ દુકાન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે.આથી, યોગેશભાઈ શેઠે પોતાના પિતરાઈ ભાઈ મયુરભાઈ જયંતીલાલ શેઠ વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.