શહેરના તરસમિયા ફિલ્ટર પ્લાન હેઠળ આવતા કાળિયાબીડ, ઘોઘારોડ, અધેવાડ, તળાજા રોડ સહિતના વિસ્તારોમાં સવારે ૯-૩૦ કલાક બાદ થતું પાણી વિતરણ ઠપ્પ રહ્યું હતું. અચાનક અને અણધાર્યો પાણીકાપ ઝીંકવામાં આવતા હજારો નાગરિકો સવારથી બપોર અને બપોરથી રાત સુધી પાણીની રાહે બેઠા રહ્યા હતા. ઘરમાં વાપરવા માટે પાણી ન હોવાથી ઘણાં લોકોની હાલત કફોડી બની હતી.ઉલ્લેખનિય છે કે, શહેરને પાણીની જરૂરિયાતમાંથી ૭૦ એમએલડી પાણી મહિપરીએજમાંથી મળે છે. પરંતુ મહિપરીએજની કેનાલના રિપેરીંગના વાંકે અને અધૂરામાં પૂરૂં વીજકાપના કારણે છેલ્લા દસેક દિવસથી પાણીનું વિતરણ અનિયમિત થઈ રહ્યું છે. મંગળવારથી નિયમિત પાણી આપવાના દાવાની આજે ફરી હવા નીકળી ગઈ હતી. છેલ્લા ૧૦ દિવસથી પાણીના ધાંધિયા રહેતા લોકો ગળે આવી ગયા છે. ત્યારે મહાપાલિકા હવે શહેરીજનોના મૌનની પરીક્ષા લેવાની બંધ કરે તેવી રોષ સાથે લાગણી વ્યક્ત કરાઈ રહી છે.
Trending
- વધુ પડતી ચા પીવાથી 5 હોર્મોન્સ પર અસર થઈ શકે છે
- Rajkot:ભાજપ પ્રમુખનું `બારાત’ જેવું સ્વાગત : `બુક’ આપવા લાઈન લાગી
- Gujarat માં ‘નો-રિપીટ’ ફોર્મ્યુલાનું પુનરાવર્તન, મુખ્યમંત્રી સિવાય તમામ નવા ચહેરા
- CJI પર જૂતું ફેંકનારા વકીલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, SG Tushar Mehta
- Kane Williamson હવે લખનઉ સુપર જાયન્ટ્સનાં સ્ટ્રેટેઝીકલ ક્નસલ્ટન્ટનાં મહત્વનાં પદે
- ફૂલનદેવી હત્યા કેસનાં આરોપી શેરસિંહની Suratમાં ફિલ્મીઢબે રેલી
- બાવન વર્ષની વયે Malaika આઈટમ સોંગમાં : બે કરોડની ફી વસૂલી
- બોલિવૂડમાં કાળો જાદુ થાય છે! અભિનેત્રી Amrita Rao