Amreli, તા.17
અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં ચકચારી બનેલ અમરેલીના પાયલ ગોટી કેસમાં પોલીસે આખરે કોર્ટમાં પાયલ ગોટી વિરુદ્ધ કોઈ પુરાવા નહીં મળવાના કારણે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે આખરે સી.સમરીનો રિપોર્ટ અમરેલીની કોર્ટમાં કરતાં વધુ એક વખત પાયલ ગોટી કેસ અમરેલી જિલ્લામાં ચર્ચામાં આવ્યો છે.
જ્યારે આ કામના અન્ય આરોપી વિરુદ્ધમાં ભારતીય ન્યાયની કલમ 338 મુજબનો ગુન્હા લગત કોઇ પુરાવા મળેલ ન હોય અને ભુલથી કલમ 338 એડ થયેલ હોય જેથી આ ત્રણ આરોપી વિરુદ્ધમાં ઇગજ કલમ 338 પુરતુ સી- ફાઇનલ નંબર-15/2025 તા.2/09/2025 થી ભરી તપાસના કાગળો અત્રેની કચેરી મારફતે મોકલેલ હોય જે મુજબ “સી” ફાઇનલ મંજુર કરવા પણ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે અભિપ્રાય આપેલ છે.
આ બનાવમાં સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે રહેતી પાયલબેન અશ્વિનભાઈ ગોટી સહિત 4 સામે અમરેલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 336(2), 336(3), 336(4). 340(2), 353(1)(બી), 356(2), 356(3), 319(2), 54 તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000ની કલમ (66(ડી) મુજબની ફરિયાદ નોંધાય હતી.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરેલ હતી. તપાસનાં અંતે પાયલબેન ગોટી વિરૂદ્ધ ચાર્જશીટ કરવા માટે પણ પુરતા પુરાવા ન હોય અને આરોપીનું નામ ભુલથી આવેલ હોય, જેથી અમરેલી સીટી પોલીસ સ્ટે. ‘સી’ ફાયનલ નં.14/2025 તા.2/9/25 થી ભરવામાં આવેલ છે. તેમ કોર્ટમાં જણાવેલ છે.
જ્યારે મનિષભાઇ ચતુરભાઈ વઘાસીયા, અશોકભાઇ કનુભાઈ માંગરોળીયા તથા જીતુભાઈ બાવચંદભાઇ ખાતરા વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 338 મુજબનો ગુન્હા લગત કોઇ પુરાવા મળેલ ન હોય જે હકિકતની ભુલથી કલમ એડ થયેલ હોય જેથી આ ત્રણ આરોપી વિરુદ્ધમાં IPC કલમ 338 પુરતુ સી- ફાઇનલ નંબર-15/2025 તા.2/9/2025 થી ભરી તપાસના કાગળો અત્રેની કચેરી મારફતે મોકલેલ હોય, જે મુજબ “સી” ફાઇનલ મંજુર થવા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અભિપ્રાય આપેલ છે.
આમ આ ચકચારી બનાવમાં મનીષભાઈ વઘાસીયા, અશોકભાઈ માંગરોળીયા તથા જીતુભાઈ ખાત્તરા સામે અન્ય કલમો તળે ગુન્હો ચાલુ રહેશે. જ્યારે આ કેસમાં પાયલ ગોટીને સંપૂર્ણ પણે અમરેલી સાયબર પોલીસ દ્વારા બાકાત કરવામાં આવેલ છે. તેમ કોર્ટમાં લેખિતમાં જણાવેલ છે.