Paris તા.27
ફ્રાન્સના નોસ્ટ્રડામસની ભવિષ્યવાણી મુજબ 2025ના બચેલા બે મહિના ભયાવહ સાબિત થઈ શકે એમ છે. તેમણે કરેલી ભવિષ્યવાણીના લેખોને ઉકેલતાં તેઓ વર્ષનો અંત પરમાણુ યુદ્ધ, કટોકટી કે મહામારી સાથે જોડી રહ્યા છે.
તેમણે 2025ના વર્ષની ડરામણી ભવિષ્યવાણી કરી છે. તેમણે લખેલી એક કવિતાના અંશમાં તારા અને લોહીથી ખરડાયેલાં પવિત્ર સ્થાનો સાથે મંગળના શાસનનો ઉલ્લેખ કર્યો હતો. આને આધુનિક વ્યાખ્યાકારો ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ સાથે જોડે છે.
નોસ્ટ્રડામસના પુસ્તકમાં લખ્યું છે કે, મંગળ ગ્રહ તારાઓની વચ્ચે પોતાનો રસ્તો બનાવશે તો માણસના લોહીથી પૃથ્વીનાં પવિત્ર સ્થળો લાલ થઈ જશે. પૂર્વ દિશામાં 3 આગની જવાળા થશે, જ્યારે પશ્ચિમની દિશા પોતાનો પ્રકાશ ખોઈ દેશે.
તેમણે 2025માં આકાશમાંથી પડવાવાળા એક બ્રહ્માંડીય આગના ગોળાની ભવિષ્યવાણી કરી જીએ હતી. એનો મતલબ કાં તો કોઈ ક્ષુદ્ર ગ્રહ નષ્ટ થાય કાં તો પરમાણુ બોમ્બ પૃથ્વી પર પડે એવી સંભાવના છે. મંગળને યુદ્ધ અને આક્રમકતાનું પ્રતીક માનવામાં આવે છે એટલે એ હિંસાથી પ્રભાવિત સંકેતો આપે છે.

