Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક

    October 28, 2025

    Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો

    October 28, 2025

    Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક
    • Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો
    • Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો
    • Rajkot ફાઇનાન્સ કપનીના કર્મચારીએ કારનું ડીપી 5 લાખ ઓળવી જઈ યુવક સાથે કરી ઠગાઈ
    • Rajkot માં દેશી દારૂના હાટડા પર પોલીસ ત્રાટકી
    • India and Australia વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૩૨ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે
    • Babar Azam ની મનમાની હવે સહન કરવામાં આવશે નહીં, તેમની બેટિંગ પોઝિશન બદલાશે; મુખ્ય કોચ
    • Tilak Verma પોતાની પહેલી મેચમાં મોટો સીમાચિહ્ન હાંસલ કરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Saurashtra માં આફતનો વરસાદ : કપાસ – મગફળીને મોટું નુકસાન : સહાયની માંગ
    સૌરાષ્ટ્ર

    Saurashtra માં આફતનો વરસાદ : કપાસ – મગફળીને મોટું નુકસાન : સહાયની માંગ

    Vikram RavalBy Vikram RavalOctober 28, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.28
    સૌરાષ્ટ્રમાં ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદનો કહેર ચાલુ રહ્યો હતો અને આજે સવારે પૂરા થતા 24 કલાક દરમ્યાન અમરેલી જીલ્લામાં સૌથી વધુ રાજુલામાં 10 ઈંચ, અમરેલી, જાફરાબાદ, લીલીયામાં 2-2 ઈંચ, તેમજ ભાવનગરના મહુવામાં વધુ 7.5, તળાજા-વલ્લભીપુરમાં 4.5, જેસરમાં 3.5, કોડીનારમાં 2, ગીર સોમનાથના સુત્રાપાડામાં 6.5, ઉનામાં 5.5 ઈંચ, ગીર ગઢડામાં 4 ઈંચ, જામનગર પંથકમાં 0.5થી ઈંચ, રાજકોટ શહેર-જિલ્લામાં ઝાપટાથી માંડી 0.5 ઈંચ, વરસાદ વરસ્યો હતો.

    ઉલ્લેખનિય છે કે, સતત ભારે વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. અને મગફળી-કપાસનો લાખો રૂપિયાનો તૈયાર પાક નષ્ટ થઈ ગયો છે અને સર્વત્રથી સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી રહી છે. દરમ્યાન મળતા અહેવાલો મુજબ

    અમરેલી
    ગુજરાતમાંથી ચોમાસાએ કાયદેસર રીતે વિદાય લીધા બાદ પણ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમરેલી શહેર સહિત જિલ્લામાં હળવા ઝાપટાંથી લઈ રાજુલામાં 10 માં દસ ઇંચ વરસાદ પડ્યો છે. અમરેલી શહેરમાં છેલ્લા બે દિવસથી કારતક માસમાં અષાઢી માહોલ જામ્યો છે. હળવાથી લઈ ધોધમાર કમોસમી વરસાદ શરૂ રહેવા પામેલ છે. ત્યારે અમરેલી શહેરમાં ગઇકાલ સાંજથી ગઇકાલ બપોર સુધી ધીમીધારે અવિરત કમોસમી વરસાદ શરૂ રહેવા પામેલ હતો.

    અમરેલીમાં ગઇકાલે જ કમોસમી વરસાદએ મંડાણ કર્યાં હતા. અમરેલીમાં ગઇકાલે સાંજથી કમોસમી વરસાદ શરૂ થવા પામેલ છે. ત્યારે પણ આખી રાત ધીમીધારે અવિરત કમોસમી વરસાદ શરૂ રહેવા પામેલ હતો જે આજે બપોર સુધી શરૂ રહેલ હતો. બપોર બાદ કમોસમી વરસાદે ખમૈયા કરેલ છે.

    એક તરફ અમરેલીના મોટા મુખ્ય માર્ગો ઉપર ખોદકામ થયું છે. જેને લઈ શહેરીજનો ભારે મુશ્કેલીમાં હતા. ત્યાં આજે વરસાદે લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે. દિવાળી પછી આજથી માર્કેટયાર્ડ તથા સરકારી ઓફિસ આજથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે કારતક માસમાં અષાઢી માહોલ સર્જાયો છે.

    અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના જાફરાબાદ શહેર સહિત કોસ્ટલ બેલ્ટ ગામડાઓમાં ગઇકાલ કમોસમી વરસાદ પડ્યો હતો. જેને જાફરાબાદ શહેર સહિતના ગામની શેરીઓ પાણીમાં તરબતર થઈ જવા પામેલ હતી.

    રાજુલાના કુંભનાથ મહાદેવ પટાંગણમાં વરસાદી પાણી ભરાયા હતા. રાજુલા તાલુકાના વાવેરા, દિપડિયા, ધારેશર, બરફટાણા, સારોડીયામાં વરસાદ પડતા તથા ઉપરવાસના વરસાદના કારણે ઘાતરવડી-2 ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

    સાવરકુંડલા ગ્રામ્યમાં પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ પડતા સાવરકુંડલાના ભમ્મર ગામની ફુલઝર નદીમાં આવ્યું પૂર આવ્યું છે. જ્યારે ભમ્મરની જામવાળી નદીમાં આવ્યું પૂર આવ્યાનું જાણવા મળેલ છે. ભારે વરસાદથી ખેડૂતોની મગફળી તણાઈ જવા પામેલ છે. અને સાવરકુંડલા મહુવા જવાનો માર્ગ બંધ થઈ જવા પામેલ છે.

    ભાવનગર
    ગોહિલવાડ પંથકમાં  કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે. માવઠા એ સમગ્ર જિલ્લામાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી કરી છે. જિલ્લાના કેટલા ગામો તો એવા છે કે જ્યાં ચોમાસામાં વરસાદ પડ્યો નથી તેઓ વરસાદ હાલમાં પડી રહ્યો છે. જિલ્લાના મહુવામાં વધુ સાડા સાત ઈંચ વરસાદ પડ્યો છે. મહુવામાં સતત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે.

    આજે મંગળવારે સવારે 6 કલાકે કલાકે પૂરા થતા પહેલા 26  કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 110, ઉમરાળામાં 62 ,ભાવનગર શહેરમાં 37 ,ઘોઘામાં 25, સિહોરમાં 64 ,ગારીયાધારમાં 57, પાલીતાણામાં 43, તળાજામાં118, મહુવામાં 187 અને જેસર માં 81 મી.મી. વરસાદ નોંધાયો છે.

    ભાવનગર જિલ્લાના ઘોઘા ના કુકઙ અને આસપાસના ઓદરકા ,નવાગામ , કંટાળા ,ગોરીયાળી (રામપર) ગરીબ પુરા ,ભાખલ ,વાવઙી , પીથલપુર  ,છાયા ,પાણીયાળી  ,સહિત ના વિસ્તારો માં મેધ તાંડવ ને કારણે રોઙ રસ્તા માં ગાબઙા પઙયા છે  અનેક રસ્તાઓ ધોવાયા છે. તો કમોસમી ભારે વરસાદથી મગફળી ,કપાસ ,ડુંગળી ,જુવાર ,બાજરી  કેળ સહિતના પાકોમાં વ્યાપક નુકશાન થતા ખેઙુતો ને પઙયા ઉપર પાટું  ,મોંઘાદાટ ખાતર -બિયારણ નાખ્યાં હોવાથી ખૈઙુતની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે. જેને કારણે  લાખો પિયા નું નુકસાન થયું છે.નુકસાન નો સર્વ કરી વળતર ચુકવવા માંગણી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના અમુક ગામોમાં તો આખાય ચોમાસા નથી પડ્યો એટલો વરસાદ ત્રણ કલાક માં પડ્યો છે.

    ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા રોડ ગાયત્રીનગર લક્ષ્મીનારાયણ સોસાયટી બ્લોક નંબર પાંચમાં મકાનની બાલકની અચાનક જ ધરાશાય થઇ હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

    બોરતળાવ ફરી ઓવરફ્લો 
    કુંભારવાડા કૈલાસ વાડી પાસે વરસાદ ના પાણી ભરાયા હતા.ગોઠણ સુધી ના પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા હતા. બોરતળાવ પાસેના ધોબી ઘાટના નાળા માં પાણી ભરાયા હતા. કાળિયાબીડ વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. કોળીયાક નિષ્કલંક મહાદેવ જાવાનો પુલ ઉપર પાણી આવી જતા ટ્રાફીક જામ થયો હતો. સમગ્ર ગોહિલવાડ પંથકમાં ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

    સલાયા
    સલાયા તથા આજુબાજુના ગામોમાં આજે બપોરે કમોસમી વરસાદ ખાબક્યો હતો.ભારે પવન સાથે આ વરસાદ ખાબકતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી.આ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાની થઈ હતી.લગભગ ખેતરોમાં માંડવી તેમજ અન્ય પાકોને ઉપાડી અને પાથરા કરવામાં આવ્યા હતા.જેમાં વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકશાની જવા પામી છે.આ કમોસમી વરસાદ લગભગ એક કલાક સુધી ધીમી ધારે વરસ્યો હતો.આ કમોસમી વરસાદથી સૌથી વધુ ખેડૂતોને વધુ નુકશાન જવા પામ્યું છે.હાલ પણ આ લખાઈ રહ્યું છે ત્યારે ધીમીધારે વરસાદ ચાલુ છે.

    વેરાવળ
    ગીર સોમનાથ જિલ્લામાં સતત આજે ત્રીજા દિવસે અડધા થી પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો છે, આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.સુત્રાપાડામાં 6.5, ઉનામાં 5.5 ઈંચ ગત સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીના આંકડા મુજબ ગીરગઢડામાં 109 મીમી (સવા ચાર ઇચ), તાલાલામાં 22 મીમી (એક ઇચ), વેરાવળમાં 5 મીમી (અડધો ઇચ), સુત્રાપાડામાં 25 મીમી (એક ઇચ), કોડીનારમાં 80 મીમી (પોણા ચાર ઇચ), ઉનામાં 115 મીમી (પાંચ ઇચ) વરસાદ પડયો છે.

    આ કમોસમી વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળીના વાવેતર માં પાક બરબાદ થતા તેમને આવક મળવાને બદલે વાવેતરમાં ખર્ચ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર તાત્કાલિક સહાય આપે તેવી માંગ ઉઠી છે. જિલ્લામાં સૌથી વધુ ઉના, ગીરગઢડા, કોડીનાર તાલુકામાં આ કમોસમી વરસાદ વધુ પડતા ચિંતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

    જામનગર
    જામનગર શહેર અને જિલ્લામાં એકાએક કારતક માસમાં ચોમાસા જેવા વાતાવરણ વચ્ચે  અડધો થઈ બે ઇંચ વરસાદ થતા ખેતરોમાં વાડીઓમાં પાણી ફરી વળ્યાં હતા. જોડિયામાં બે ઇંચ,કાલાવડ અને લાલાઓઉરમાં પોણા બે ઇંચ અને જામનગર અને જામજોધપુરમાં અડધો અડધો ઇંચ વરસાદ થયો હતો.

    આ કમોસમી વરસાદથી  ખેડૂતોના મ્હોં સુધી આવેલ કોળ્યો છીનવાઈ ગયો હોવાની ફરિયાદ ખેડુતો કરી રહ્યા છે.જિલ્લામ મગફળી,કપાસ સહિતના પાકોને વ્યાપક નુકશાન ને લઈ ચિંતાના વાદળો જગતના તાત ઉપર ઘેરાયા છે.

    હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે. બપોર બાદ અચાનક ભારે પવન સાથે મોસમી વરસાદ તૂટી પડયો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

    Amreli ​​Amreli Heavy rain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક

    October 28, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો

    October 28, 2025
    આંતરરાષ્ટ્રીય

    Trump જાપાનના ’મહાન’ મહિલા નેતાની પ્રશંસા કરી, દુર્લભ પૃથ્વી કરાર પર હસ્તાક્ષર કર્યા

    October 28, 2025
    ગુજરાત

    આંતરજ્ઞાતિના લગ્નથી પરિવાર સંબંધ તોડી નાખે તો પણ વારસાગત સંપત્તિમાં હકક મળે

    October 28, 2025
    અન્ય રાજ્યો

    કર્ણાટકમાં RSS ની ગતિવિધિ પર અંકુશ મુકવાના રાજ્ય સરકારના પ્રયાસને: High Courtનો સ્ટે

    October 28, 2025
    રાજકોટ

    Rajkot: રેસકોર્સ સંકુલનું સંપૂર્ણ નવીનીકરણ કરાશે : અર્ધો અબજના પ્લાનની તૈયારી

    October 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક

    October 28, 2025

    Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો

    October 28, 2025

    Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો

    October 28, 2025

    Rajkot ફાઇનાન્સ કપનીના કર્મચારીએ કારનું ડીપી 5 લાખ ઓળવી જઈ યુવક સાથે કરી ઠગાઈ

    October 28, 2025

    Rajkot માં દેશી દારૂના હાટડા પર પોલીસ ત્રાટકી

    October 28, 2025

    India and Australia વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૩૨ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે

    October 28, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક

    October 28, 2025

    Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો

    October 28, 2025

    Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો

    October 28, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.