Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat માં માવઠાનો મારઃ ૧૦ લાખ હેક્ટર પાક નાશ, ૭ દિવસમાં સર્વે પૂર્ણ કરી રાહત પેકેજ

    October 30, 2025

    Bhavnagar મહુવા યાર્ડના પૂર્વ ચેરમેનનો ધડાકો, સરકાર ટેકાના ભાવે મગફળી ન ખરીદે

    October 30, 2025

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, આઇઇડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત છ સૈનિકો માર્યા ગયા

    October 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat માં માવઠાનો મારઃ ૧૦ લાખ હેક્ટર પાક નાશ, ૭ દિવસમાં સર્વે પૂર્ણ કરી રાહત પેકેજ
    • Bhavnagar મહુવા યાર્ડના પૂર્વ ચેરમેનનો ધડાકો, સરકાર ટેકાના ભાવે મગફળી ન ખરીદે
    • Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, આઇઇડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત છ સૈનિકો માર્યા ગયા
    • Junagadh: વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ
    • Junagadh: કમોસમી વરસાદથી પાક નુકસાનીનો ૮૫ ટીમો દ્વારા સર્વે : સર્વેની કામગીરી ૮ દિવસમાં પૂર્ણ કરાશે
    • 31 ઓક્ટોબર નું પંચાંગ
    • 31 ઓક્ટોબર નું રાશિફળ
    • વાવાઝોડા Melissa એ હૈતી, જમૈકા અને ક્યુબામાં વિનાશ વેર્યો છે, જેમાં ૨૫ લોકો માર્યા ગયા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: ૧૭ હજાર કરોડનો એમઓયુ, પીપાવાવ પોર્ટ વિસ્તરણથી ૨૫ હજાર રોજગારી
    ગુજરાત

    Gandhinagar: ૧૭ હજાર કરોડનો એમઓયુ, પીપાવાવ પોર્ટ વિસ્તરણથી ૨૫ હજાર રોજગારી

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૯

    ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (એપીએમ ટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે એમઓયુ સંપન્ન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા ગુજરાતની વધુ એક પહેલ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને પીપાવાવ પોર્ટના કેપેસિટી એક્સપાન્શનથી ગુજરાતમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટને નવી દિશા મળશે,એમઓયુના પરિણામે પીપાવાવ પોર્ટના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફના મહત્વપૂર્ણ કદમથી ભારતના ‘મેરિટાઈમ ગેટવે’ તરીકેની ગુજરાતની ઓળખ વધુ સુદ્રઢ થશે,આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને ૨૫ હજાર જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે.

    આ એમઓયુનો ઉદ્દેશ્ય પીપાવાવ બંદરના કેપીસીટી એક્સપાન્શનથી રાજ્યમાં અદ્યતન ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતના દરિયાઈ ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ એમ.ઓ.યુ.ની સરાહના કરતા કહ્યું કે, પીપાવાવ પોર્ટ્‌સના વિસ્તરણને પરિણામે ગુજરાતની ભારતના ‘મેરિટાઇમ ગેટવે’ તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખ વધુ સુદ્રઢ થશે.એટલું જ નહિ, ગુજરાતમાં પોર્ટ્‌સ નેટવર્કને વધુ મજબૂત બનાવીને રાજ્યના ઉદ્યોગો, નિકાસકારો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને સશક્ત બનાવશે. નિકાસ અને આયાતના સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે. બંદર આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો, વેરહાઉસિંગ અને સપ્લાય ચેઈનની સુવિધાઓ વિકસશે અને રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો પણ થશે.

    આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને ૨૫ હજાર જેટલી નવી રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. આ રોજગારીની તકો સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે અને ગ્રામ્ય વિસ્તારમાં જીવન સ્તરમાં પણ સુધારો લાવશે.

    આ સમજૂતી કરાર દ્વારા પીપાવાવ બંદરની હાલની કન્ટેનર, બલ્ક, લિક્વિડ તથા રો-રો કાર્ગો વહન કરવાની ક્ષમતામા વધારો થવાના પરિણામે બંદરની કામગીરી વધુ અસરકારક અને ઝડપી બનશે. આ રોકાણ અંતર્ગત નવા લિક્વિડ કાર્ગો બર્થ, યાંત્રિક બલ્ક હેન્ડલિંગ સુવિધાઓ, આધુનિક કન્ટેનર ટર્મિનલ્સ, ડિજિટલ ઓપરેશન સિસ્ટમ્સ અને પર્યાવરણલક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે.

    અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ સંભવિત વિસ્તરણ પછી પીપાવાવ બંદર ગુજરાતના દરિયાઇ ક્ષેત્રમાં એક નવી ઓળખ પ્રસ્થાપિત કરશે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મેરીટાઈમ અમૃતકાલ વિઝન ૨૦૪૭ને અનુરૂપ ગુજરાતના નોન મેજર પોર્ટસની ક્ષમતા વધારીને ૨૦૪૭ સુધીમા ૩૦૦૦ એમએમટીપીએ કરવાના લક્ષ્યાંકમાં આ વિસ્તરણ પ્રોજેકટ મહત્વપૂર્ણ બનશે.

    એપીએમ ટર્મિનલ્સ એશિયા અને મિડલ ઇસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ જોન ગોલ્ડનરે જણાવ્યું હતું કે, આ રોકાણ યોજના ફક્ત પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે નથી, પરંતુ તેનાથી ગુજરાત, ભારત અને વૈશ્વિક વેપાર માટે નવી તકો ખુલશે.  તેમણે જણાવ્યું કે, તેમનું લક્ષ્ય પીપાવાવને વિશ્વ કક્ષાની કાર્યક્ષમતા અને ગ્રીન ગ્રોથનું મોડેલ બનાવવા સાથે સ્થાનિક સમુદાય માટે કાયમી સમૃદ્ધિનું નિર્માણ કરવા અને દરિયાઇ વેપારમાં ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બનાવવાનું છે.આ એમ.ઓ.યુ. થવા અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ, મુખ્યમંત્રીના સલાહકાર અને જીએમબીના ચેરમેન  એસ. એસ. રાઠૌર, બંદરો અને વાહન વ્યવહારના અગ્ર સચિવ આર. સી. મીના, ગુજરાત મેરિટાઈમ બોર્ડના કાર્યકારી વાઈસ ચેરમેન  રેમ્યા મોહન તથા મેરિટાઈમ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat માં માવઠાનો મારઃ ૧૦ લાખ હેક્ટર પાક નાશ, ૭ દિવસમાં સર્વે પૂર્ણ કરી રાહત પેકેજ

    October 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, આઇઇડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત છ સૈનિકો માર્યા ગયા

    October 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    વાવાઝોડા Melissa એ હૈતી, જમૈકા અને ક્યુબામાં વિનાશ વેર્યો છે, જેમાં ૨૫ લોકો માર્યા ગયા છે

    October 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russian સૈનિકોએ બે યુક્રેનિયન શહેરોને ઘેરી લીધા, યુદ્ધ વચ્ચે પુતિને મોટો દાવો કર્યો

    October 30, 2025
    મુખ્ય સમાચાર

    International Star Don Lee પ્રભાસ સાથે ‘સ્પિરિટ’ ફિલ્મમાં દેખાશે

    October 30, 2025
    રાષ્ટ્રીય

    Microsoft CEO Satya Nadella ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે, એઆઈ કોન્ફરન્સમાં હાજરી આપશે

    October 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat માં માવઠાનો મારઃ ૧૦ લાખ હેક્ટર પાક નાશ, ૭ દિવસમાં સર્વે પૂર્ણ કરી રાહત પેકેજ

    October 30, 2025

    Bhavnagar મહુવા યાર્ડના પૂર્વ ચેરમેનનો ધડાકો, સરકાર ટેકાના ભાવે મગફળી ન ખરીદે

    October 30, 2025

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, આઇઇડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત છ સૈનિકો માર્યા ગયા

    October 30, 2025

    Junagadh: વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ

    October 30, 2025

    Junagadh: કમોસમી વરસાદથી પાક નુકસાનીનો ૮૫ ટીમો દ્વારા સર્વે : સર્વેની કામગીરી ૮ દિવસમાં પૂર્ણ કરાશે

    October 30, 2025

    31 ઓક્ટોબર નું પંચાંગ

    October 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat માં માવઠાનો મારઃ ૧૦ લાખ હેક્ટર પાક નાશ, ૭ દિવસમાં સર્વે પૂર્ણ કરી રાહત પેકેજ

    October 30, 2025

    Bhavnagar મહુવા યાર્ડના પૂર્વ ચેરમેનનો ધડાકો, સરકાર ટેકાના ભાવે મગફળી ન ખરીદે

    October 30, 2025

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, આઇઇડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત છ સૈનિકો માર્યા ગયા

    October 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.