Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આગામી વર્ષે China ની મુલાકાત લેશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

    November 25, 2025

    Canada માં ફરી ખાલિસ્તાનીઓની નાપાક હરકત: તિરંગો ફાડયો

    November 25, 2025

    પેશાવર હુમલાનો બદલો: Afghanistan પર પાક.નો હવાઇ હુમલો: 10ના મોત

    November 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આગામી વર્ષે China ની મુલાકાત લેશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
    • Canada માં ફરી ખાલિસ્તાનીઓની નાપાક હરકત: તિરંગો ફાડયો
    • પેશાવર હુમલાનો બદલો: Afghanistan પર પાક.નો હવાઇ હુમલો: 10ના મોત
    • Junagadh : ખેડુત સહાયનાં ફોર્મ ભરવા મુદ્દે ડખ્ખો : વીસી ઉપર સરપંચના સસરાનો હુમલો
    • આરોપીને આશરો આપનાર ભાવનગરની મહિલા કોન્સ. મુંબઇમાંથી ઝડપાઇ
    • Veraval : પ્રેમિકા અને મોજશોખ પાછળનાં ખર્ચામાં દેણું થતાં પ્રેમી સિરિયલ કિલર બન્યો
    • Rajkot : ચેક રિટર્નના ગુનામાં સજા વોરંટથી બચતી ફરતી મહિલા ઝડપાઈ
    • Gondal : મૈત્રી કરારથી રહેતી યુવતી યુવક સાથે ગામમાં આવતા સાત શખ્સો તૂટી પડ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ayodhya Rammaya : સુવર્ણ શિખર પર મોદીના હસ્તે ધ્વજારોહણ
    રાષ્ટ્રીય

    Ayodhya Rammaya : સુવર્ણ શિખર પર મોદીના હસ્તે ધ્વજારોહણ

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya તા.25
    ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ફરી એક વખત ઐતિહાસીક અવસર ભવ્ય રીતે ઉજવાયો હતો અને સમગ્ર રામનગરી રામમય બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

    આ સાથે ભવ્ય રામ મંદિર સંપૂર્ણ રીતે પૂર્ણ થયાની ઘોષણા કરવામાં આવી હતી. ભવ્ય ધાર્મિક ઉત્સવમાં 8000 ખાસ મહેમાનો સામેલ થયા હતા અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

    અયોધ્યા રામમંદિરનાં સુવર્ણ શિખર પર આજે બપોરે શુભ મુહુર્તમાં વડાપ્રધાન મોદીનાં હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. 22 ફૂટ લાંબા તથા 11 ફૂટ પહોળો ધ્વજ ફરકતાની સાથે જ જયશ્રી રામનાં નારા સાથે અલૌકિક વ્યવસ્થા સર્જાયુ હતું.

    રામમંદિર ધ્વજારોહણમાં સામેલ મહેમાનો અગાઉ જ અયોધ્યા પહોંચી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અયોધ્યા પહોંચતાની સાથે જ સીધા સાત મંદિર ગયા હતા જયાં મહર્ષિ, વશિષ્ઠ, મહર્ષિ વિશ્ર્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલમીકી, દેવ અહીલ્યા, નિષાદરાજ, ગુહા તથા માતા શબરી મંદિરમાં પુજા કરી હતી. ત્યાંથી શેષાવતાર મંદિર અને ત્યારબાદ અન્નપૂર્ણા મંદિરે દર્શન પૂજા કર્યા હતા.
    રામ દરબાર ગર્ભગૃહમાં દર્શન પૂજન બાદ સુવર્ણ શિખર પર ધ્વજારોહણ કર્યુ હતું.

    શ્રી રામજન્મ ભુમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનાં ખજાનચી ગોવિંદ દેવગીરી મહારાજે કહ્યું હતું કે અભિજીત મુહુર્તમાં ધ્વજારોહણ નકકી કરવામાં આવ્યું હતું. સવારે 11.58 થી બપોરે 1 વાગ્યા સુધીનું આ શુભ મુહુર્ત હતું.ધ્વજારોહણ બાદ વડાપ્રધાને સંપૂર્ણ નિરિક્ષણ કર્યું હતું.

    અયોધ્યા રાજવંશનો ધ્વજ ત્રેતાયુગ બાદ પ્રથમ વખત અધિકારીક રીતે રામમંદિરમાં લહેરાવવામાં આવ્યો છે. વૈશ્ર્વનવ પરંપરાના સંતોએ શાસ્ત્રોનાં અધ્યયન અને વિચાર વિમર્શ બાદ આ ધ્વજની રચના કરી છે. કેસરી રંગનો ધ્વજ ત્યાગ અને સમર્પણનો પ્રતિક છે. ધ્વજ પર સુર્યવંશી ભગવાન રામનાં પ્રતિક સુર્યદેવનું આંકન કરવામાં આવ્યું છે.

    ધ્વજારોહણ સમારોહમાં સામેલ થવા ભાવિકોનાં અભૂતપૂર્વ ઉત્સાહને ધ્યાને રાખીને લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. 50 થી વધુ સ્થળોએ એલઈડી સ્ક્રીન મુકવામાં આવી હતી. રામમંદિર ખાતેનાં આ સમારોહમાં 8000 થી વધુ મહેમાન સાક્ષી બન્યા હતા.

    ધ્વજારોહણ કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામપથ પર રોડ-શો કર્યો હતો જે દરમ્યાન ઉપસ્થિત હજારો લોકોએ સ્વાગત-અભિવાદન કર્યું હતું.
    રામ મંદિર ખાતેનાં આ ભવ્ય દિવ્ય સમારોહ તથા મહાનુભાવોની હાજરીને ધ્યાને રાખીને સુરક્ષાની અભૂતપુર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી.

    6970 સુરક્ષા જવાનોને સલામતી વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.હેલીકોપ્ટર મારફત વોચ ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી હતી.

    અયોધ્યામાં ધ્વજારોહન સાથે ભવ્ય રામમંદિર સંપૂર્ણ રીતે પૂર્ણ થયાનું જાહેર કરવામાં આવ્યુ છે. જયારે 1000 કવીન્ટલ ફૂલોથી સમગ્ર રામનગરીન સજાવટ કરવામાં આવી હતી. માઈક પરથી સતત રામધુન, ભજન અને કિર્તનની અલૌકિક દિવ્ય વાતાવરણ સર્જાયુ હતું.

    રામમંદિરનો 11 ફૂટ પહોળો-22 ફૂટ પહોળો કેસરીયો ધ્વજ અમદાવાદમાં બન્યો છે

    ધ્વજમાં ચમકતા સુરજનું અંકન:ત્યાગ-સમર્પણનુ પ્રતિક

    રામનગરી અયોધ્યામાં રામ મંદિરનાં સુવર્ણ શિખર લહેરાવાયેલો 22 ફૂટ લાંબો તથા 11 ફૂટ પહોળો કેસરીયો ધ્વજ અમદાવાદમાં બનાવાયો છે. કેસરી રંગ ત્યાગ અને સમર્પણનો પ્રતિક છે. ધ્વજમાં શ્રીરામની વીરતાને દર્શાવતી ચમકતા સુરજની તસ્વીર અંકિત કરાયેલી છે. આ સિવાય ઓમ અને કોવિદારા વૃક્ષની તસ્વીર પણ છે.ત્રિકોણ આકારનાં ધ્વજને પેરાશુટ ફાઈબરથી બનાવવામાં આવ્યો છે. સંરક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ બનાવાયેલા આ ધ્વજનું વજન બે કિલોથી અધિક છે. 161 ફૂટ ઉંચા મંદિરના શિખર પર 42 ફૂટ ઉંચા ધ્વજના પોલને ધ્યાને રાખીને તૈયાર કરાયો છે.

    રામ મંદિર નિર્માણનો ઘટનાક્રમ
    અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણનો મુદ્દો તો વર્ષોથી ચાલી રહ્યો છે પરંતુ મુખ્ય લક્ષ્યાંક છેલ્લા એક દાયકામાં જ પાર પડ્યા છે અને તેનાથી મંદિર નિર્માણને નિર્ણાયક વળાંક આપ્યા હતા.

    9 નવેમ્બર 2018: સર્વોચ્ચ અદાલતે રામ મંદિરની તરફેણમાં ચૂકાદો આપીને નિર્માણ કર્યાનો માર્ગ ખોલ્યો
    25 માર્ચ 2020: ટેન્ટમાં અસ્થાયી મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરાયા
    5 ઓગસ્ટ 2020: વડાપ્રધાન મોદીના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન
    22 જાન્યુઆરી-2024: ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા
    14 એપ્રિલ 2025: મુખ્ય શીખર પર કળશ સ્થાપન
    5 જૂન 2025: રામ દરબારની સ્થાપના
    25 નવેમ્બર 2025: ધ્વજારોહણ

    સંઘવડા મોહન ભાગવત, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી-રાજ્યપાલની ઉપસ્થિતિ
    રામ મંદિર સુવર્ણ શીખર પર ધ્વજારોહણ સમારોહમાં સામેલ થવા માટે મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા હતા. અગાઉના સમારોહમાં સામેલ થયા ન હોય તેવા મહેમાનોને તેડાવવામાં આવ્યા હતા. બીજી તરફ રાષ્ટ્રપતિ સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ વગેરે પણ હાજર હતા.

    Ayodhya flag hoisting Modi at the Golden Peak
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    આગામી વર્ષે China ની મુલાકાત લેશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

    November 25, 2025
    મુખ્ય સમાચાર

    Canada માં ફરી ખાલિસ્તાનીઓની નાપાક હરકત: તિરંગો ફાડયો

    November 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    પેશાવર હુમલાનો બદલો: Afghanistan પર પાક.નો હવાઇ હુમલો: 10ના મોત

    November 25, 2025
    મુખ્ય સમાચાર

    Gift City માં દેશની પ્રથમ વર્ટીકલ યુનિ. ‘બૌદ્ધવૃક્ષ’ નું નિર્માણ થશે

    November 25, 2025
    મુખ્ય સમાચાર

    Tamil Nadu માં બે બસો વચ્ચેની ટકકરમાં છ પ્રવાસીઓના મોત: 30થી વધુ ઘવાયા

    November 25, 2025
    રાષ્ટ્રીય

    પ્રદુષણને કારણે અકાળે પ્રસુતિમાં વધારો

    November 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આગામી વર્ષે China ની મુલાકાત લેશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

    November 25, 2025

    Canada માં ફરી ખાલિસ્તાનીઓની નાપાક હરકત: તિરંગો ફાડયો

    November 25, 2025

    પેશાવર હુમલાનો બદલો: Afghanistan પર પાક.નો હવાઇ હુમલો: 10ના મોત

    November 25, 2025

    Junagadh : ખેડુત સહાયનાં ફોર્મ ભરવા મુદ્દે ડખ્ખો : વીસી ઉપર સરપંચના સસરાનો હુમલો

    November 25, 2025

    આરોપીને આશરો આપનાર ભાવનગરની મહિલા કોન્સ. મુંબઇમાંથી ઝડપાઇ

    November 25, 2025

    Veraval : પ્રેમિકા અને મોજશોખ પાછળનાં ખર્ચામાં દેણું થતાં પ્રેમી સિરિયલ કિલર બન્યો

    November 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આગામી વર્ષે China ની મુલાકાત લેશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

    November 25, 2025

    Canada માં ફરી ખાલિસ્તાનીઓની નાપાક હરકત: તિરંગો ફાડયો

    November 25, 2025

    પેશાવર હુમલાનો બદલો: Afghanistan પર પાક.નો હવાઇ હુમલો: 10ના મોત

    November 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.