Jamnagar તા.01
મૂળ દાહોદ જિલ્લાના ધાનપુરના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં વલ્લભભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગુલાબભાઈ વરસંગભાઈ પરમાર નામના 26 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે નથુવડલા ગામમાં લખમણભાઇ બાંભવાની વાડીના શેઢે એક ઝાડની ડાળીમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવ અંગે મૃતકના પિતા વરસંગભાઈ માનસંગભાઈ પરમારે પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાને આજથી આઠ મહિના પહેલાં નથુવડલા ગામની સીમમાં મજૂરી કામ કરતા ઉદેસિંગ સુનકાભાઈ બામણીયાની પુત્રી કાજલબેન સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. પરંતુ છેલ્લા ચાર મહિનાથી તેની પત્ની કાજલ રિસાઈને પોતાના પિતાને ઘેર નથુવડલા ગામે ચાલી ગઈ હતી, અને પરત આવતી ન હતી.

