Morbiતા.29
ઘુનડા ગામે તળાવની પાળ પાસે ૨૫ વર્ષીય યુવાન કોઈ કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લેતા મોત થયું હતું જે બનાવ મામલે ટંકારા પોલીસે તપાસ ચલાવી છે
ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી મિલનભાઈ દિનેશભાઈ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવાન ગત તા. ૨૮ના રોજ ઘુનડા (સ) ગામના હનુમાનજી વાળા તળાવની પાળ પાસે કોઈ કારણોસર પોતાની જાતે જંતુનાશક ઝેરી દવા પી લેતા મોત થયું હતું ટંકારા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે