Ahmedabad,તા.૧૬
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેમની ઉંમર ૬૧ વર્ષ હતી. તેઓ એર ઈન્ડિયાની ફ્લાઇટ એઆર્િં૭૧ દ્વારા લંડન જઈ રહ્યા હતા. આ વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા, જેમાં ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને ૧ કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. ટેકઓફ થયાની થોડી મિનિટો પછી, વિમાન મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના ડોક્ટર્સ હોસ્ટેલ પર ક્રેશ થયું. વિજય રૂપાણી કરોડોની સંપત્તિ છોડી ગયા છે. આ ઉપરાંત, ટાટા ગ્રુપે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને ૧ કરોડ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.
૨૦૨૧મા ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટ અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી.જેમાં રોકડઃ રૂ. ૨,૧૦,૨૩૩,બેંક ડિપોઝીટઃ રૂ. ૭૪,૯૩,૧૫૮,શેર અને મ્યુચ્યુઅલ ફંડઃ રૂ. ૩,૦૦,૯૬,૪૧૨,ઝવેરાતઃ રૂ. ૧૭,૯૪,૬૭૨,વીમા પૉલિસીઃ રૂ. ૧૬,૫૬,૧૨૨,વાહનોઃ રૂ. ૧૭,૮૫,૪૮૦,લોનઃ રૂ. ૮૨,૫૫,૦૩૬
વિજય રૂપાણી પાસે કુલ ૩ કરોડ રૂપિયાના મૂલ્યની અચલ સંપત્તિઓ હતી.,રાજકોટ બિન-ખેતી જમીનઃ રૂ. ૧,૪૧,૭૬,૦૦૦,આવાસઃ રૂ. ૨,૦૩,૩૧,૦૦૦,વાણિજ્યિક મિલકતઃ રૂ. ૨૧,૦૦,૦૦૦
ચૂંટણી એફિડેવિટ અનુસાર વિજય રૂપાણી પર ૮૩ લાખ રૂપિયાનું દેવું હતું, જે તેમણે પરિવારના સભ્યો અને નજીકના સહયોગીઓ પાસેથી ઉધાર લીધું હતું. આ દેવું અંજલીબેન રૂપાણી અને બિપિનભાઈ જેવા પરિચિતો પાસેથી લેવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨મા આપવામાં આવેલા ચૂંટણી એફિડેવિડથી ખ્યાલ આવે છે કે વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેનની સંયુક્ત કુલ સંપત્તિ લગભગ ૯.૨૧ કરોડ રૂપિયા હતી.,પત્નીની ચલ સંપત્તિઃ લગભગ ૫૦ લાખ રૂપિયા પત્નીની અચલ સંપત્તિઃ લગભગ ૧ કરોડ રૂપિયા આ સંપત્તિ રાજકોટ અને અમદાવાદના મુખ્ય લોકેશન પર હતી, જેનો ભાવ સતત વધી રહ્યો છે.