શહેરના હુડકો ક્વાટરમાં રહેતા સાગરભાઈ નરેન્દ્રભાઈ ઉનડકટએ ધંધાના વિકાસ માટે રૂ. ૨,૦૬,૧૯૦ લીધેલી રકમ પરત કરવા આપેલો ચેક રીટર્ન કેસમા આરોપી સાગરભાઈને ૯ માસની સાદી કેદ તથા ચેક મુજબની રકમ વાર્ષિક ૬% ના વ્યાજ સાથે જ્યોતિબેન બગલને ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવેલો છે. કેસની વિગત મુજબ શહેરના હુડકો ક્વાટર સાગરભાઈ નરેન્દ્રભાઈ ઉનડકટએ વૃંદાવન સોસાયટીમાં રહેતા જ્યોતિબેન બગલ પાસેથી તા. ૧૯/૧૦/૨૦૨૧ ના રોજ નોટરી રૂબરૂ પ્રોમીસરી નોટ કમ સમજુતી કરાર કરી, રૂ. ૨,૦૬,૧૯૦ માસિક રૂ. ૩,૦૦૦ ના હપ્તેથી સંબંધના દાવે મેળવેલી અને ઉપરોક્ત રકમ મેળવ્યા બાદ કટકે કટકે રૂ. ૪૨,૦૦૦ ચૂકવેલી હતી.બાદ હપ્તા ચૂકવવાનું બંધ કરતા બાકી રહેતી રકમનો ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા સદરહુ ચેક વગર વસુલાતે પરત ફરતા ફરિયાદીએ તેમના વકીલ હર્ષિલ પી. શાહ મારફત લીગલ નોટીસ મોકલાવેલી તેમ છતાં આરોપીએ રકમ પરત ન આપતા ફરિયાદીએ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ અંતર્ગત ફરિયાદ દાખલ કરેલી જેથી કોર્ટ દ્વારા આરોપીને સમન્સ કાઢી હાજર થવા હુકમ કરવામાં આવેલો હતો. કેસ ચાલી જતા કોર્ટ દ્વારા આરોપી સાગરભાઈ નરેન્દ્રભાઈ ઉનડકટને ૯ માસની સાદી કેસની સજા અને ચેક મુજબની રકમ ૩૦ દિવસમાં ૬% ના વાર્ષિક વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવાનો અન્યથા વધુ ૨ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં ફરિયાદી જ્યોતિબેન બગલ વતી રાજકોટના પી. એમ. શાહ લો ફર્મ ના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ તથા આસિસ્ટન્ટ તરીકે રવિરાજભાઇ વાળા, ઋત્વીક્ભાઈ વઘાસીયા તથા સંજયભાઈ મેરાણી રોકાયેલા હતા.
Trending
- વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
- ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
- પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
- Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
- Abhishek Sharma ૧૩૭ બેટ્સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
- Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
- ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
- બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court