બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને ૨ લાખ ૬૫ હજાર ૮૦૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે
New Delhi, તા.૨૪
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ-૨૦૨૪ રજૂ કર્યું છે. આ બજેટ ૪૮ લાખ ૨૦ હજાર કરોડનું છે. આ બજેટમાં દરેક મંત્રાલય માટે અલગ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રએ રાજનાથ સિંહના સંરક્ષણ મંત્રાલયને ૪ લાખ ૫૪ હજાર ૭૭૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
બજેટમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને ૨ લાખ ૬૫ હજાર ૮૦૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. શિવરાજ સિંહ ચૌહાણ હાલમાં દેશના ગ્રામીણ વિકાસ મંત્રી છે. જો કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો ૧ લાખ ૫૧ હજાર ૧૫૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ મંત્રાલયની જવાબદારી પણ શિવરાજ સિંહ ચૌહાણના હાથમાં છે. તમને જણાવી દઈએ કે આ વખતે ભારતનું કુલ બજેટ ૪૮ લાખ ૨૦ હજાર ૫૧૨ કરોડ રૂપિયા છે. પીએમ મોદીએ કહ્યું છે કે આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપશે. આ એક એવું બજેટ છે જે દેશના ગામડાઓ, ગરીબો અને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ બજેટનું મોટું ફોકસ દેશના ખેડૂતો છે. અનાજ સંગ્રહ માટે વિશ્વની સૌથી મોટી યોજના બાદ હવે અમે શાકભાજી ઉત્પાદન ક્લસ્ટર બનાવવા જઈ રહ્યા છીએ. જેનાથી નાના ખેડૂતોને શાકભાજી, ફળો અને અન્ય પેદાશો માટે નવા બજારો મળશે અને સારા ભાવ મળશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાંથી ગરીબી ખતમ કરવાની અને ગરીબોને સશક્તિકરણ કરવાની દિશામાં આજના બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગરીબો માટે ૩ કરોડ નવા મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઁસ્ એ કહ્યું કે આ બજેટ આદિવાસી ઉન્નત ગામ અભિયાન અને સંતૃપ્તિ અભિગમ દ્વારા ૫ કરોડ આદિવાસી પરિવારોને મૂળભૂત સુવિધાઓ સાથે જોડશે. આ ઉપરાંત ગ્રામ સડક યોજના હેઠળ ૨૫ હજાર નવા ગ્રામીણ વિસ્તારોને રસ્તાઓથી જોડવામાં આવશે. આજે જે બજેટ ફાળવાયું છે જેમાં રોડ અને ટ્રાન્સપોર્ટ બાદ બીજા સ્થાને આવે છે રક્ષા મંત્રાલય. આ મંત્રાલય રાજનાથ સિંહ સંભાળે છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે ૪.૫૪ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અમિત શાહના ગૃહ મંત્રાલય માટે ૧,૫૦,૯૮૩ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
કયા મંત્રાલયને બજેટમાં કેટલી ફાળવણી…….?
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સંભાળે છે એ કૃષિ મંત્રાલય માટે બજેટમાં ૧,૫૧,૮૫૧ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
જેપી નડ્ડાના સ્વાસ્થ્ય મંત્રાલય માટે ૮૯,૨૮૭ કરોડ રૂપિયાની જોગવાઈ થઇ છે.
ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રાલય માટે ૧૨૫૬૩૮ કરોડ રૂપિયાની જોગવાઈ થઇ છે.
એસ. જયશંકરના વિદેશ મંત્રાલય માટે ૨૨૧૫૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે
શહેરી વિકાસ માટે બજેટમાં ૮૨૫૭૭ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
ઉર્જા મંત્રાલય માટે ૬૮૭૬૯ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
આઈટી અને ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય માટે ૧૧૬૩૪૨ કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે.
ગ્રામીણ વિકાસ માટે ૨૬૫૮૦૮ કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી.