Ahmedabad, તા.૨૭
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે વતનથી દૂર રહેતા લોકોને તહેવાર ટાણે ઘર જવા ઈચ્છતા હોય છે. પરંતુ બસ, ટ્રેનમાં ભારે ભીડ ઉમટવાના કારણે વતન જવા માટે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે સુરતમાં જી્ વિભાગે ૨ હજાર ૨૦૦ વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે.
સુરતમાં વસતા રત્નકલાકારો દિવાળી ઉજવવા માટે વતન સૌરાષ્ટ્ર જઈ શકે તે માટે બસની વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. સુરતના વરાછા, કતારગામ, ડભોલી, કાપોદ્વા વિસ્તારમાંથી આ બસ ઉપડશે. આગામી ૭ દિવસમાં કૂલ ૨૨૦૦ બસ દોડવામાં આવશે.
બીજી તરફ સુરતમાં દિવાળીનો તહેવાર નજીક આવતા પોલીસ એક્શનમાં આવી છે. રાત્રી દરમિયાન ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. વધુ ભીડવાળી જગ્યા અને બજારોમાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ખરીદી કરતા સમયે પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાની સૂચના આપી છે. બજારોમાં ભીડ હોવાથી ચોરીની ઘટના વધતા પોલીસ સતર્ક છે.