Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અરબી સમુદ્રમાં સિઝનનું First cyclone `Shakti’ ઉદભવ્યું : ગુજરાત પર સંકટ નહીં

    October 4, 2025

    Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે

    October 3, 2025

    Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે

    October 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અરબી સમુદ્રમાં સિઝનનું First cyclone `Shakti’ ઉદભવ્યું : ગુજરાત પર સંકટ નહીં
    • Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે
    • Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે
    • રિક્ટર સ્કેલ પર ૫.૭ ની તીવ્રતાવાળા શક્તિશાળી earthquake થી આર્જેન્ટિના હચમચી ગયું
    • Ankita Lokhande ના પતિએ તેના પર પ્રેમ વરસાવ્યો;ઘરને સુંદર રીતે સજાવ્યું
    • Mohammad Siraj મિશેલ સ્ટાર્ક પાસેથી ટેસ્ટ તાજ છીનવી લીધો, ૨૦૨૫ માં નંબર ૧ બેટ્‌સમેન બન્યો
    • ભારતમાં યોજાનારા T20 World Cup માટે ત્રણ જગ્યા ખાલી, આ ૯ ટીમો વચ્ચે સ્પર્ધા
    • Mirabai Chanu એ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો, ૧૯૯ કિલો વજન ઉપાડ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ના તબીબની કમાલઃ ઈન્ટરનેશનલ લેવલે મળ્યાં બે ખ્યાતનામ એવોર્ડ
    અમદાવાદ

    Ahmedabad ના તબીબની કમાલઃ ઈન્ટરનેશનલ લેવલે મળ્યાં બે ખ્યાતનામ એવોર્ડ

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,25

    અમદાવાદના ડૉ. અભય વસાવડાને થોડા દિવસ પહલાં બાર્સેલોનામાં યોજાયેલી યુરોપિયન ઓપ્થેમોલોજિસ્ટ કેટરેકટ અને રિફ્રેક્ટિવ કોન્ફરન્સમાં તેમને પ્રણેતા સમાન આંખોની બીમારીના સર્જન, સંશોધક અને તબીબી શિક્ષણના પ્રસાર બદલ એવોર્ડ એનાયત કરાયો છે. આ અગાઉ અમેરિક સોસયટી ઑફ કેટરેકટ એન્ડ રીફ્રેક્ટિવ સર્જન્સ તેમને Binkhorst Medal આપી ચુકી છે. આ બંને એવોર્ડ મેળવનાર ડૉ. અભય વસાવડા ભારતના જ નહીં પરંતુ એશિયાના પ્રથમ આંખોની બીમારીના સર્જન છે, જેણે આ સિદ્ધી મેળવી હોય. તેઓ પોતાના ક્ષેત્રીય શિક્ષણ અને સંશોધનમાં પ્રદાન આપનાર વિશ્વના બે પર્સેન્ટાઇલ તબીબોમાં સ્થાન ધરાવે છે. તબીબી જગતમાં જેમની નમ્રતા અને સાદહી પ્રેરણા-સમાન મનાય છે, તેવા 74 વર્ષીય અભય વસાવડા આજે પણ અમદાવાદ સ્થિત તેમની રઘુદીપ આઇ હોસ્પિટલમાં દર્દીઓનો દરરોજ ચેકઅપ કરે છે અને બાળકોથી માંડી વયસ્કોની સર્જરી પણ કરે છે.

    આવડી મોટી સિદ્ધિનું જણાવ્યું કારણ

    ડૉ. અભય વસાવડાનું પોતાને મળેલી આ સિદ્ધિ વિશે માનવું છે કે, ‘જો તમારે તમારા ક્ષેત્રમાં કંઈક વિશેષ પ્રદાન આપવું હોય તો તેમાં કુતૂહલ ઉમેરી સાધકની જેમ આજીવન સંશોધનમાં ગળાડૂબ થઈ જવું પડે. તમે જે પણ વ્યવસાય કે પ્રવૃત્તિ કરો તેમાં પ્રામાણિકતા અને ગુણવત્તામાં કોઈપણ સંજોગોમાં સમાધાન નહીં કરવીના ગુણો ઉમેરશો તો તમારૂ કાર્ય અને પ્રદાન દીપી ઉઠશે. આ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે.’

    ડૉ. અભય વસાવડા જ્યારે ગુજરાત સમાચારની મુલાકાતે હતાં, ત્યારે તેમને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે, તમને જ અમેરિકા અનમે યુરોપની પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા આ એવોર્ડ આપવા માટે પસંદ કરવામાં આવ્યા તેનું કારણ તમે શું માનો છો?

    આ પ્રશ્નનો જવાબ આપતા ડૉ. અભય વસાવડાએ જણાવ્યું કે, ‘શક્ય છે તેઓએ મારા છેલ્લા ચાર દાયકાના મોતિયાની સર્જરીમાં મેં જે નવી ટેક્નિક વિશ્વના તબીબો સમક્ષ વખતોવખત રજૂ કરી તે હોઈ શકે. તબીબી જગતના સંશોધનો રજૂ કરતા 200 જેટલા પેપર્સ peer-reviewed journals માં મારા નામથી છે. ખાસ કરીને નવજાત શિશુમાં મોતિયાની સર્જરીની ટેક્નિકમાં મને કારકિર્દીના પ્રારંભથી જ કંઈક પ્રદાન કરવાની ઈચ્છા હોવાથી તેમાં પ્રણેતા સમાન સંશોધન અને સર્જરી ટેક્નિક વિકસાવી છે.’

    ત્યારબાદ તેમને તેમના વિશેષ પ્રદાન અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, ‘ભારત અને વિશ્વના 150થી વઘુ તબીબોને સર્જરી માટે તાલીમ આપી છે અને તબીબી વિદ્યાર્થીઓ મારા માર્ગદર્શન હેઠળ પીએચડી પણ કરે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં આવા પ્રેઝન્ટેશન દ્વારા તબીબોને તાલીમ આપી છે. ખાસ કરીને આર્થિક અને નબળા દેશોમાં બાળકોને મોતિયાની બીમારી જોવા મળે છે. આવા બાળકોની મોતિયાની સર્જરી ખૂબ જ જટીલ અને પડકારરૂપ હોય છે. અગાઉ તેના માટે જાગૃતિ જ નહોતી. જો આવા બાળકની મોતિયાની સર્જરી ન જ થાય તો તેનું બાકીનું આખું જીવન કપરૂ બની જાય. વિશ્વના આવા લાખો બાળકોની આંખોની રોશની જીંદગીભર જળવાઈ રહી તેમાં યોગદાન આપતા જીવન સાર્થક થયું તેમ લાગે છે. આવા બધા માપદંડ નજરમાં લેવાયા હોઈ તેમ હોઈ શકે.’

    ડૉ. અભય વસાવડાએ ફેલો ઑફ રોયલ કોલેજ ઑફ સર્જન્સ ઇંગ્લેન્ડ (F.R.C.S)થી 1980માં ડીગ્રી મેળવી પછી સાડા છ વર્ષ બ્રિટનમાં રોકાયા અને ત્યાં સંશોધન કરવા સાથે હોસ્પિટલમાં કાર્યરત રહ્યા. તેમની કોલેજના ડીને તેઓ બ્રિટનમાં જ સ્થાયી થાય તે માટે તમામ સવલતો કરી આપવાની તૈયારી બતાવી હતી, તેમ છતાં ડૉ. અભય વસાવડાએ ભારતમાં જ પરત ફરવાનો નિર્ણય લીધો કેમ કે તેમને સંશોધન અને સેવાની તક ભારતમાં વઘુ દેખાતી હતી.

    ડૉ. અભય વસાવડાને ત્યારબાદ પુછવામાં આવ્યું કે, તમે તો વિશ્વભરની તીબી જગતથી પરિચિત છો. આપણે હવે આંતરરાષ્ટ્રીય સ્તરની બરારીએ આવી રહ્યાં હોઈએ તેવું નથી લાગતું?

    જેનો જવાબ આપતાં ડૉ. અભય વસાવડાએ કહ્યું કે, ‘આપણે ટેક્નોલોજીથી કદાચ બરાબર હોઈએ તો પણ અમેરિક અને યુરોપની તુલનાએ નથી, તેનું સૌથી મોટું કારણ ડૉક્ટર અને દર્દી વચ્ચે વિશ્વાસનો સંબંધ નથી. અદ્યતન ટેક્નિકથી નિદાન તો થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સર્જરી પણ થાય જ છે પણ શું ખરેખર સર્જરીનું જે નિદાન થયું છે તે યોગ્ય હોય છે ખરૂ? સ્થુળ સાધનો કે ઇન્ફ્રાસ્ટ્રકચર માત્રથી આંતરરાષ્ટ્રીય નથી બનાતું. મેં એવું સાંભળ્યું છે કે ડૉકટર્સ ટાર્ગેટ બેઝ્ડ પ્રેકટિસ કરે છે. વિદેશમાં સારવાર ચોક્કસ મોંઘી છે પણ દર્દીને વિશ્વાસ છે. જો કે અમેરિકા કરતા બ્રિટનની વિશ્વસનિયતા તેમને વઘુ પસંદ છે. ભારતમાં સંશોધન વૃત્તિ, તે માટેની સવલતો, લેબ અને સ્પેશ્યલાઇઝેશનનું કલ્ચર હજુ વિકસાવવાની જરૂર છે.’

    ડૉ. અભયે કોમ્યુનિટી સર્વિસ અને મફત આઈ કેમ્પમાં પણ ખાનગી દર્દીની જેમ જ ગરીબ દર્દી માટે સર્જરી, ડીઝપોઝેબલ સાધનો અને દવા ઉપયોગમાં લેવાય તેવી અપીલ કરી છે. તેમણે ધોળકા નજીક ફ્રી કેમ્પ દ્વારા સેંકડોસર્જરી પણ ભૂતકાળમાં કરી છે. આજે પણ તેઓ કારકિર્દીના પ્રારંભમાં વ્યસ્ત રહેતા તેટલો સમય સંશોધન અને સર્જરીમાં ગજબની સમતુલા સાથે આપે છે. શનિવારે અને રવિવારે પણ તેમના સ્ટડી રૂમમાં હોય કે હોસ્પિટલ અચુક હાજરી આપે છે.

    Ahmedaba Award doctor Eye-Specialist
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad મોલના કાપડની દુકાનના ચેન્જિંગ રૂમમાં છુપાવાયેલો મોબાઈલ ફોન મળી આવ્યો

    October 3, 2025
    અમદાવાદ

    Gujarat Pradesh BJP પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૪ ઓક્ટોબરે થશે નવા નામની જાહેરાત

    October 2, 2025
    અમદાવાદ

    Ahmedabad માં ગોઝારો અકસ્માત; કારની ટક્કરે ત્રણ લોકો નીચે પટકાયા, એકનું ઘટનાસ્થળે જ મોત

    October 2, 2025
    અમદાવાદ

    મજૂર સંઘો નવા શ્રમ કાયદાના વિરોધમાં રિવરફ્રન્ટ પર ૧૦ ઓક્ટોબરે વિશાળ સંમેલનનું એલાન

    September 30, 2025
    અમદાવાદ

    Ahmedabad માં નવરાત્રિના ગરબા આયોજકો પર જીએસટી વિભાગના દરોડા

    September 30, 2025
    અમદાવાદ

    બુલેટ ટ્રેન પ્રોજેકટમાં Ahmedabad માં વધુ એક ફલાયઓવર બ્રિજનુ કામ પૂર્ણ

    September 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અરબી સમુદ્રમાં સિઝનનું First cyclone `Shakti’ ઉદભવ્યું : ગુજરાત પર સંકટ નહીં

    October 4, 2025

    Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે

    October 3, 2025

    Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે

    October 3, 2025

    રિક્ટર સ્કેલ પર ૫.૭ ની તીવ્રતાવાળા શક્તિશાળી earthquake થી આર્જેન્ટિના હચમચી ગયું

    October 3, 2025

    Ankita Lokhande ના પતિએ તેના પર પ્રેમ વરસાવ્યો;ઘરને સુંદર રીતે સજાવ્યું

    October 3, 2025

    Mohammad Siraj મિશેલ સ્ટાર્ક પાસેથી ટેસ્ટ તાજ છીનવી લીધો, ૨૦૨૫ માં નંબર ૧ બેટ્‌સમેન બન્યો

    October 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અરબી સમુદ્રમાં સિઝનનું First cyclone `Shakti’ ઉદભવ્યું : ગુજરાત પર સંકટ નહીં

    October 4, 2025

    Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે

    October 3, 2025

    Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે

    October 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.