Ahmedabad,તા.12
અમદાવાદની વિમાની દુર્ઘટનામાં રાહત બચાવ કામગીરી અત્યંત ઝડપથી ચાલુ છે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ જે રીતે તે અગનગોળો બની ગયું તેમાં મોટા ભાગના મુસાફરો સપડાઇ ગયા હતા અને છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધીમાં 133 હતભાગી મુસાફરોના મૃતદેહ મળ્યા છે.
હજુ આ કામગીરી ચાલુ જ છે અને તમામ મૃતદેહોને અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજમાં ખસેડવામાં આવી રહ્યા છે.તબીબી સુત્રોના જણાવ્યા મુજબ મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવો ફરજીયાત કરવો પડે તેવી સ્થિતિ છે અને તેથી મૃતદેહની ઓળખમાં ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ લાગી શકે છે.
હાલ સિવિલમાં પૂરતા મોર્ગ નહીં હોવાથી અન્ય હોસ્પિટલોમાં પણ તેની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિટીશ સહિત વિદેશી મુસાફરોને પણ તેમના મૃતદેહોને વતન મોકલવા માટેની વ્યવસ્થા થઇ રહી છે. તબીબી સુત્રોએ જણાવ્યું કે હાલ સિવિલ અને બી.જે.માં તમામ તબીબોને આ કામગીરી માટે રોકી દેવાયા છે.