New Delhi,તા.12
એર ઈન્ડિયાની આજે લંડન જતી ફલાઈટ નં. એઆઈ-0171 કે જે બપોરે 13:10 કલાકે રવાના થઈ હતી અને વિમાન ખરેખર 1.38 મીનીટે ટેકઓફ કયુર્ં હતું. આમ લગભગ 28 મીનીટ આ ફલાઈટ લેઈટ હતી. તેને 1.38 રનવે નં.21 પરથી રવાના થવા માટે મંજુરી મળતા જ પાઈલોટે વિમાનને ટેકઓફ કરાયું હતું.
પરંતુ 1.42 કલાકે જ વિમાન તૂટી પડયું હતું. ફક્ત ચાર મીનીટમાં એવું શું બન્યું કે વિમાન ક્રેસ થયું. ફલાઈટ રવાના થતા જ પાઈલોટે કંટ્રોલ ટાવરને મેડે મેસેજ મોકલ્યો હતો.
જેનો અર્થ એ હતો કે વિમાનમાં પ્રારંભથી જ કોઈ ક્ષતિ હતી પરંતુ તે ઉડયન પૂર્વે કેમ ધ્યાનમાં ન આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. આ પ્રકારની દુર્ઘટના પૂર્વ ચકાસણી સમયે કોઈ મોટી ક્ષતિને નજર અંદાજ થઈ ગઈ હોય તેવું માનવામાં આવે છે અને વાસ્તવિક તારણ બહાર આવશે.