કોઈ વ્યક્તિનું લોકેશન જાણવા માટે જીપીએસનો ઉપયોગ થાય છે પણ હવે તેની કોઈ જરૂરત નહીં રહે. વાતાવરણના હિસાબે શરીર પર મોજૂદ રહેતા સૂક્ષ્મ જીવ (જેમકે બેકટીરીયા, ફુગ) જીપીએસની ભૂમિકા ભજવશે. વૈજ્ઞાનિકોએ તેના માટે એક આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ટુલ વિકસીત કર્યું છે. તે સૂક્ષ્મ જીવોના નમુનાઓનો ઉપયોગ કરીને લોકેશનની જાણકારી આપી શકે છે.
જીનોમ ટેકનોલોજી એન્ડ ઈવોલ્યુશનમાં પ્રકાશિત એક અધ્યયનમાં આ જાણકારી બહાર આવી છે. સ્વીડનની એક યુનિવર્સિટીના સંશોધકોએ જાણ્યું કે શરીર પર સૂક્ષ્મ જીવ વાતાવરણ અને જગ્યાના અનુસાર બદલતા રહેતા હોય છે. એઆઈ ટુલથી જાણી શકાય છે કે આ સૂક્ષ્મ જીવ કયા પ્રકારની ભૌગોલિક સ્થિતિમાં મળી આવે છે અને આ રીતે ખબર પડી જાય કે કોઈ વ્યક્તિ કઈ જગ્યાએ છે.
આ એ પણ બતાવી શકે છે કે વ્યક્તિ સમુદ્ર તટ પર છે કે નજીકના રેલવે સ્ટેશને કે કોઈ હોટેલ કે પાર્કમાં ફર રહી છે. આ સાધન કોઈ વ્યક્તિના લોકેશનનો પતો લગાવવામાં મદદરૂપ થાય છે. જો કે તેનો ઉપયોગ કરવા માટે ખાસ ગેઝેટ (સાધન)ની જરૂર પડશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ભવિષ્યમાં તેનો ઉપયોગ મોબાઈલથી પણ સંભવ બનશે. મોબાઈલના સ્ક્રીનમાં ફેરફાર કરવામાં આવશે. સ્ક્રીન આંગળી પર હાજર સૂક્ષ્મ જીવોની ઓળખ કરવામાં સક્ષમ થઈ જશે.
એન-જીપીએસ ટેકનીક પર કામ: સંશોધકોએ એક નવી ટેકનીક વિકસીત કરી છે, જેને માઈક્રોબાયો મજિયોગ્રાફીકલ પોપ્યુલેશન સ્ટ્રકચર (એમજીપીએસ) કહેવામાં આવે છે. આ ટેકનીક કોઈપણ ક્ષેત્રના સૂક્ષ્મ જીવોની ઓળખ કરીને તે સ્થળનું વિશ્ર્લેષણ કરે છે. આ પારંપરિક જીપીએસ સિસ્ટમથી અલગ છે. માઈક્રોબાયોમનો અર્થ સમુદ્રતટ કે પાર્ક જેવા ક્ષેત્રમાં મોજૂદ બધા જીવો સાથે છે. ટેકનીકનો વિકાસ સૂક્ષ્મ જીવો પર આધારિત છે. આથી સંક્રમણનો સ્ત્રોત અને સૂક્ષ્મ જીવ પ્રતિરોધના વિકાસનો પતો લાગી શકે છે.
આપરાધિક તપાસમાં પણ આ ટેકનિક મદદરૂપ થઈ શકે છે
મુખ્ય સંશોધક એરન અલ્હાઈકે જણાવ્યું હતું કે અલગ અલગ જગ્યા પર સૂક્ષ્મ જીવ સમય સમય પર બદલાતા રહેતા હોય છે. ખાસ કરીને જયારે આપણે અલગ અલગ સ્થળોએ જતા હોઈએ છીએ. આ ટેકનીક આપણને એ સમજવામાં મદદ કરે છે કે સૂક્ષ્મ જીવ હાલમાં જ કયાં હતા. આથી આ ટેકનીક આપરાધીક મામલામાં મદદરૂપ થઈ શકે છે. સાથે બીમારી ફેલાતી પણ રોકે છે.