Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nifty Future ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 3, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 3, 2025

    04 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nifty Future ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • 04 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 04 સપ્ટેમ્બર નું રાશિફળ
    • 8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર
    • Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે
    • Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200
    • Akhnoor માં મધરાત્રે વાદળ ફાટયું : 200થી વધુ ઘર જલમગ્ન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Air India plane crash : પાઈલોટે ‘આત્મહત્યા’ કરવા વિમાન ક્રેશ કરાવ્યુ?
    અમદાવાદ

    Air India plane crash : પાઈલોટે ‘આત્મહત્યા’ કરવા વિમાન ક્રેશ કરાવ્યુ?

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.14
    અમદાવાદ પ્લેન-ક્રેશના પ્રારંભિક અહેવાલમાં પાઇલટની ભૂલ તરફ ધ્યાન દોરતું તારણ આપ્યા બાદ એક એક્સપર્ટે પાઇલટ તારા સુસાઇડ કરવામાં આવ્યું હશે એવી આશંકા પણ વ્યક્ત કરતાં બળતામાં ઘી હોમાયું હતું.

    આ મુદે ઇન્ડિયા કમર્શિયલ પાઇલટ્સ અસોસિએશન (ICPA)એ પાઇલટની આત્મહત્યાની અટકળો પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને આ અહેવાલોને પાયાવિહોણા અને આરોપોને બેજવાબદાર ગણાવ્યા છે.

    શનિવારે જાહેર કરાયેલા પ્રારંભિક અહેવાલમાં કોકપિટ વોઇસ રેકોર્ડરની ટ્રાન્સક્રિપ્ટ શેર કરવામાં આવી નહોતી, પરંતુ રિપોર્ટમાં એક વાક્ય હતું. એક પાઇલટે બીજાને પૂછયું હતું કે તે ફ્યુઅલ કેમ કટઓફ કર્યું? ત્યારે બીજા પાઈલટે જવાબ આપ્યો કે, મેં આવું કર્યું નથી.

    ભારતના અગ્રણી ઉડ્ડયન નિષ્ણાતોમાં સ્થાન પામતા કેપ્ટન મોહન રંગનાથને કટઓફ મોડની ફયુઅલ સ્વિચ અને કોકપિટ ઑડિયોના ક્રમ તરફ ધ્યાન દોરીને આશંકા વ્યક્ત કરી હતી કે, આ ક્રેશ ઇરાદાપૂર્વક થયો હોઈ શકે છે.

    સંભવિત રીતે પાઈલટે આત્મહત્યા કરી હોઈ શકે છે. તેમને પૂછવામાં આવ્યું કે શું કોઈ પાઇલટે ઈરાદાપૂર્વક બળતણ બંધ કર્યું છે, તે સંપુર્ણપણે જાણતો હતો કે આમ કરવાથી ક્રેશ થઈ શકે છે? આ સવાલના જવાબમાં કેપ્ટન રંગનાથને કહ્યું હતું કે, બિલકુલ.

    ડ્રીમલાઈનરના એન્જિનમાં યુઅલ બંધ કરવાની કોઈ રીત છે કે કેમ? એ પૂછવામાં આવ્યું ત્યારે કેપ્ટન રંગનાથને જણાવ્યું હતું કે, ’એ જાતે જ કરવું પડે છે. એ આપમેળે અથવા પાવર-ફેલ્યરને કારણે થઈ શકતું નથી, કારણ કે ફ્યુઅલ સિલેક્ટર્સ સ્લાઈડિંગ પ્રકારનાં નથી.

    તેઓ સ્લોટમાં રહેવા માટે રચાયેલાં છે અને તમારે એમને ઉપર અથવા નીચે ખસેડવા – માટે ખેંચવાં પડે છે. તેથી અજાણતાં એમને બંધ સ્થિતિમાં ખસેડવાની શક્યતા ઊભી થતી નથી. એને બંધ સ્થિતિમાં ખસેડવા માટે ઇરાદાપૂર્વક મેન્યુઅલ પસંદગીનો કેસ ચોક્કસપણે છે.’

    ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ  ઇન્વેસ્ટિગેશન બ્યુરો એ 12 જૂનના ક્રેશ અંગે પ્રારંભિક તારણો  પ્રકાશિત કર્યાં એના 24 કલાક પછી જ કેપ્ટન મોહન રંગનાથનની ઉપરોક્ત  ટિપ્પણી આવી છે.

    સંભવિત મેડિકલ હિસ્ટરી કેપ્ટન રંગનાથને દાવો કર્યો હતો કે, ઍર ઇન્ડિયામાં કામ કરતા ઘણા પાઇલટ્સે મને જાણ કરી હતી કે ફ્લાઈટના મેમ્બર્સમાંથી એકની મેડિકલ હિસ્ટરી જાણીતી છે અને તે કેશ પહેલાં લાંબી મેડિકલ લીવ પર હતો.

    ભૂતપૂર્વ પાઇલટોના સંગઠન ICPAએ ગઈ કાલે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ’અમે આ અટકળોથી ખૂબ જ દુ:ખી છીએ, ખાસ કરીને બેજવાબદાર અને પાયાવિહોણી ધારણા જે પાઇલટની આત્મહત્યા તરફ ઇશારો કરે છે.

    આ તબક્કે આવા કોઈ દાવા માટે કોઈ આધાર નથી અને અધૂરી માહિતી પર આવા ગંભીર આરોપો લગાવવા એ માત્ર બેજવાબદાર જ નહીં, પરંતુ તે પરિવારો પ્રત્યે અત્યંત અસંવેદનશીલ પણ છે.’

    આ નિવેદનમાં ICPAએ પાઇલટોની માનસિક અને વ્યાવસાયિક તપાસ પર પણ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ’પાઇલટોને સથન મનોવૈજ્ઞાનિક અને વ્યાવસાયિક તપાસમાંથી પસાર થવું પડે છે.

    તેઓ નિયમિત તાલીમ મેળવે છે અને ઉચ્ચતમ સલામતી ધોરણો હેઠળ કામ કરે છે. આ રીતે આત્મહત્યાનો આરોપ લગાવવો એ માત્ર નૈતિક પત્રકારત્વનું ઉલ્લંઘન નથી પણ વ્યવસાયની ગરિમાની વિરુદ્ધ પણ છે.’

    Ahmedabad Air India plane crash commit 'suicide pilot crash the plane
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર

    September 3, 2025
    મુખ્ય સમાચાર

    Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200

    September 3, 2025
    મુખ્ય સમાચાર

    Akhnoor માં મધરાત્રે વાદળ ફાટયું : 200થી વધુ ઘર જલમગ્ન

    September 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ

    September 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે California માં સૈન્ય તહેનાત નહીં કરી શકે

    September 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan ના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત

    September 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Nifty Future ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 3, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 3, 2025

    04 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 3, 2025

    04 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 3, 2025

    8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર

    September 3, 2025

    Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે

    September 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nifty Future ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 3, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 3, 2025

    04 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.